Book Title: Diksha Vidhi Author(s): Naychandrasagar Publisher: Purnanand Prakashan View full book textPage 7
________________ 594 2 2€ 2 પ્રસ્તાવના ‘દીક્ષા’ એ જિનશાસનનું મૂળ છે. શાસન સ્થાપનાર પરમાત્માએ પણ દીક્ષાનું પ્રમાણ ગણી સ્વીકારી છે, તેનું પરિપાલન કર્યું છે છે પછી જ સાધનાસિદ્ધિના સોપાન સર કર્યા છે. સર્વ હિન્દુ સંપ્રદાયોમાં ‘દીક્ષા’ શબ્દ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. નિયમ-ઉપનિયમ Dog | યજ્ઞ-હોમાદિમાં આવતી પ્રક્રિયાને દીક્ષા' કહે છે. ‘ાતિ વ્યિતાં તાવત્ ક્ષgયાત્ પપ સન્નત' અર્થાત દિવ્યતાને આપનાર અને પાપ Oo થવા પરંપરાને નષ્ટ કરનાર દીક્ષા છે. એમ ગૌતમીય તત્રમાં જણાવ્યું છે. યોગિની તત્ર પણ ‘ટ્રીયતે જ્ઞાનમત્યનાં ક્ષીયતે પાપ સંવય' શબ્દથી | દિવ્યતાને જ્ઞાન જણાવી લગભગ ઉપરના જ અર્થને અનુસરે છે. જૈન આમ્નાય પ્રમાણે દીક્ષાનો અર્થ સંયમ-ચારિત્ર થાય છે. શ્રેય(કલ્યાણ-મોક્ષ)નું દાન અને અશિવ(કર્મ)નું ક્ષપણનાશ) Bી કરવો તેને નિયુક્તિકારોએ દીક્ષા કહી છે. ઓઘનિર્યુક્તિમાં પ્રવાસન્ શબ્દથી દીક્ષાનો અર્થ પ્રવજયા કર્યો છે. નિશીથ સૂત્રમાં દીક્ષા Sી અને પ્રવજયા ને પર્યાયવાચી શબ્દો ગણાવ્યા છે, ‘મોક્ષ પ્રતિ વ્રનનં પ્રવળ્યા' અર્થાતુ “મોક્ષ પ્રતિ ગમન કરવું' તેવો અર્થ નિર્યુક્તિકારોને 2G|| અભિપ્રેત છે. પ્રવજ્યા એટલે મહાવ્રતોનો સ્વીકાર' એમ સીધો જ અર્થ ૧૬મા પંચાશકજીમાં છે. શુદ્ધ ચરણયોગએ મોક્ષનું કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર માની આચાર ગ્રંથોમાં “ચરણ યોગ તે પ્રવજયા' કહી છે જયારે સ્થાનાંગ સૂત્ર તો ‘શુદ્ધ વરાયો વિ મોક્ષ” જણાવી શુદ્ધ ચરણયોગને જ મોક્ષ કહ્યો છે. મતલબ શુદ્ધ ચરણ યોગમાં જ આગળ વધવું તે પ્રવજ્યા કહી છે. “પ્રવ્રાનં-પાગ્ય: પ્રઝર્વેન વરાળથોડું મi ત’ જણાવી ધર્મસંગ્રહકાર ત્રીજા અધિકારમાં પાપ ક્રિયાઓથી નિવૃત્ત થઇને, શુદ્ધ આચરણ યોગોમાં પ્રકર્ષે(વિશેષ પ્રકારે) ગમન કરવું તે પ્રવજયા કહે છે. ટૂંકમાં તાત્પર્ય એ છે કે પૌગલિક આરંભ સમારંભથી અટકી વિઠ્ઠી સદ્ આચરણને સ્વીકારી આત્મશુદ્ધિ સ્વરૂપ મોક્ષમાર્ગ તરફ ગતિ કરાવનાર તત્ત્વ તે દીક્ષા છે. દીક્ષા બહુમૂલી ચીજ છે. શાસ્ત્રકારોએ ‘નિર્વાણ વીનં’ કહી દીક્ષાને મોક્ષના બીજ તરીકે મૂલવ્યું છે. યોગ્ય અધિકારીને વિધિપૂર્વક દીક્ષા વિધિ | ‘સ તન્ત્રાનુસારેખ ઢીક્ષા ' આપવાનું જણાવ્યું છે. અયોગ્ય ‘નષ્ટ તદ્દા' સંસાર વૃદ્ધિનું કારણ બનાવે છે તેથી પરમાર્થીઓએ | અયોગ્ય આત્માને કરુણાભાવથી નિષેધ કર્યો છે. અધ્યાત્મભાવો શુદ્ધ બુદ્ધિગમ્ય હોવાથી જ્ઞાનીને દીક્ષાના અધિકારી ગણ્યા છે, પણ તે માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય મગજના ભારરૂપ જ્ઞાન નહીં પણ મોહના ક્ષયોપક્ષમરૂપ આત્મપ્રતીતિ સ્વરૂપનું જ્ઞાન (BC % 0% 08 % 26 Po PoS 8 8 8 8 8 8 8 2 896 Jain Education International 2010_05 For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28