________________
પ્રાચીન કાળમાં બદામ નાણા તરીકે વપરાતી હતી. આઠ બદામની એક પાઈનું ચલણ હતું. તે કાળમાં પૈસાના સ્વરૂપે બદામ વર્ષીદાનમાં પ્રવેશી પછી પરંપરામાં વિહિત થઈ. નાણા-પૈસા અને ચોખા સિવાય અન્ય કોઈ વસ્તુ વર્ષીદાનમાં
અપાય નહીં. સંસારના પ્રતીક સ્વરૂપ કંચન-કામિનીના ત્યાગના પ્રતીક રૂપે પૈસાનું વર્ષીદાન આપવાનું છે. CS પ્ર. ચોખા શા માટે ?
. ચોખામાં ડાંગરનું છોતરું નીકળી ગયું છે. ડાંગર હોય ત્યાં સુધી ઉગે પણ ચોખા ઉગે નહીં તેમ સંયમી, સંસારનું છોતરું કાઢી નાંખી હવે ક્યારેય સંસારમાં જન્મ ધારણ કરવો ન પડે એવો આ માર્ગ છે તે જણાવવા પૈસાની સાથે થોડા ચોખા PQ ભેળવે. ચોખાનું પ્રમાણ બહુ જ સામાન્ય હોય.
વર્ષીદાન માત્ર દીક્ષાના પ્રસંગે જ અપાય - ઉછાળાય. દીક્ષા સિવાયના કોઈપણ પ્રસંગે વર્ષીદાન દેવાય નહીં. દર્શન- તુ પૂજા કરવા જતાં કે અન્ય પ્રસંગોમાં (વરઘોડા વિગેરેમાં) વર્ષીદાન ન અપાય (ઉછાળાય નહીં) અલબત્ત દાન અપાય કોઈના હાથમાં આપવું, કામ લાગે તે રીતે આપવું તે દાન છે. પૈસાને ખરાબ માની ફેંકી દેવું, તે વર્ષીદાન છે. આ ||8|| જિતકલ્પનો વિવેક સહુએ સાચવવો. બંનેમાં દાતાની યોગ્યતા અને અધ્યવસાયો ભિન્ન ભિન્ન છે. મતિભ્રંશ કે શંકા- ની કુશંકા ન થાય તે ધ્યાન રાખવું...!*
દીક્ષા વિધિ
* વળી વર્ષિદાનમાં ચોખા એટલા માટે કે ચોખામાં સહજ રીતે પાકો પારો હોય છે અને પાકા પારાનું તાંત્રિક વિધાનોમાં બહુ મહત્વ હોય છે અહીં એ મહત્વ છે કે ચોખા ઉછાળવાથી ઉછાળનાર વ્યક્તિને કોઇની દુષ્ટ નજર ન લાગે, કોઇ દુષ્ટ તત્વ હેરાન ન કરે આવા આશયથી યત્ર તંત્રની જેમ અહીં ચોખા ઉછાળવાનું વિધાન છે. એવો જાણકાર વ્યક્તિઓનો અભિમત છે.
Jain Education international 2010_05
For Private Personal use only
www.jainelibrary.org