Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 70
________________ ૪૭ દીક્ષાદ્વાત્રિશિકા/બ્લોક-૧૬-૧૭ સ્વની શત્રુતાવાળા દેહને ભેદનારા વીર પુરુષો :વળી તે વીર પુરુષો સ્વસમુચ્છયને ભેદનારા છે. સ્વસમુછુય એટલે સ્વની શત્રુતા છે જેમાં એવું કાર્પણ અને દારિક શરીર. આ કાર્પણ અને ઔદારિક શરીર જીવને સંસારમાં જકડી રાખે છે. ઔદારિક શરીરને વશ થયેલો જીવ સર્વ આરંભ-સમારંભ કરીને કાર્મણ શરીરને પુષ્ટ કરે છે, અને પુષ્ટ થયેલું કાર્મણ શરીર અનેક જન્મોની પ્રાપ્તિ કરાવીને ઔદારિક આદિ શરીરને આપે છે; અને તે દારિક આદિ શરીરથી આરંભસમારંભ કરીને જીવ કાર્પણ શરીરને પુષ્ટ કરે છે. આ રીતે અનર્થોની પરંપરાનાં કારણ જીવ માટે આ બે શરીર છે, અને તે બે શરીરનો વિનાશ કરવામાં જેઓ મહાપરાક્રમવાળા છે, તેઓ વીર પુરુષો છે, અને તે વીર પુરુષોનો શ્લોક-૧પમાં કહેવાયેલ દુષ્કર પંથ છે. વીર પુરુષોનો દુષ્કર પંથ : અહીં કહ્યું કે વીર પુરુષોનો આ દુષ્કર પંથ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વીર પુરુષો જ આ પંથને સેવી શકે છે. જેમાં તેવું સત્ત્વ નથી, તેઓ દીક્ષા ગ્રહણ કરે તોપણ પૂર્વસંયોગનો ત્યાગ કરીને ઉપશમ તરફ જતા નથી, અને ભૂમિકા અનુસાર કાયાનું પીડન કરતા નથી. કદાચ બાહ્ય આચરણારૂપે કાયાનું પીડન કરે, તોપણ મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે કાયાનું પીડન કરી શકતા નથી. તેથી સામાન્ય જીવો માટે દીક્ષાના આ પંથનું સેવન દુષ્કર છે, માટે વીર પુરુષો જ આ દુષ્કર પંથને સેવી શકે છે. આવા અવતરણિકા - શ્લોક-૧૬માં કહ્યું કે વીરોનો આ દુષ્કર પંથ છે, અને વીર તે કહેવાય કે જે શત્રુના નાશ માટે મહાપરાક્રમ કરે. તેથી પ્રશ્ન થાય કે સદીક્ષા ગ્રહણ કરનાર મહાત્માઓ કયા શત્રુના નાશ માટે ઉદ્યમવાળા છે કે જેથી તેઓને વીર કહેવામાં આવે છે ? તે બતાવવા અર્થે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122