Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 119
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૩૨ છે. તે કારણથી ક્રિયા અને સમભાવતા પરિણામરૂપ જ્ઞાનસ્વરૂપ દીક્ષા હોવાથી, સમુચ્ચયથી=જ્ઞાન-ક્રિયાના તુલ્યબળથી, આર્યો વડે શિષ્ટ પુરુષો વડે પરમાનંદને કરનારી મનાઈ છે= દીક્ષા મોક્ષસુખને કરનારી મનાઈ છે. ૩૨ ભાવાર્થ :સામાયિકના પરિણામરૂપ સદ્દીક્ષા એકરૂપ હોવા છતાં ભૂમિકાના ભેદથી સદ્દીક્ષા ચિત્ર પ્રકારની ક્રિયાસ્વરૂપ – શાસ્ત્રમાં, દીક્ષા બકુશપણાદિરૂપ ચિત્ર પ્રકારે છે, તેમ પૂર્વશ્લોકમાં કહેવાયેલ છે. તેથી એ ફલિત થાય કે દીક્ષા લેનારા નિગ્રંથો છે અર્થાત્ સમભાવના પરિણામવાળા છે; કેમ કે નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ એ છે કે ચાલ્યો ગયો છે ગ્રંથ જેમાંથી=રાગ-દ્વેષનો પરિણામ જેમાંથી, તે નિગ્રંથ છે, અને તેઓ બકુશપણાદિ પાંચ ભેદોવાળા છે. આ કથનથી એ ફલિત થાય કે પાંચ પ્રકારના નિગ્રંથો કહેવાથી તેઓ પાંચેય રાગ-દ્વેષના પરિણામ વગરના છે, માટે સામાયિકના પરિણામવાળા છે, તેથી નિગ્રંથ છે; અને બકુશના આચારાદિ, કુશીલના આચારાદિ દરેકના આચારોથી ચિત્ર પ્રકારે નિગ્રંથો છે. તેથી દરેક જીવ પોતપોતાની ભૂમિકા પ્રમાણે જુદી જુદી ક્રિયાઓ કરનારા સદ્દીક્ષાવાળા છે, અને સદ્દીક્ષાવાળા સર્વ જીવો સમતાના પરિણામરૂપ એક સામાયિકના પરિણામવાળા છે. આમ છતાં દરેકની સમતાનો પરિણામ ક્ષયોપશમભાવની તરતમતાથી જુદો હોવા છતાં, સમતાના પરિણામરૂપે એક છે. આથી દીક્ષાના પ્રારંભકાળમાં જે સાધુઓ શાસ્ત્રવચનના ઉપયોગથી સર્વ પ્રવૃત્તિ કરે છે, તેઓ શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવવાળા છે. ફક્ત તે સમભાવ તરતમતાના ભેદથી પ્રકૃતિરૂપે સ્થિર થયેલ છે, તેથી નિગ્રંથોના ભેદ છે, અને સમભાવ સ્થિર કરવા માટે અને અતિશયિત કરવા માટે તે તે સાધુઓ સ્વ-સ્વ ભૂમિકા અનુસાર ક્રિયાઓ કરે છે. તેથી સદ્દીક્ષાવાળા સર્વ સાધુ એક ક્રિયા કરતા નથી. આ કથનથી દિગંબરો જે કહે છે કે “શુદ્ધઉપયોગરૂપ દીક્ષા પરમદીક્ષા છે અને તે દીક્ષા આત્મમાત્રમાં પ્રતિબંધરૂપ ધ્યાનમાં ઉદ્યમ કરનારા સાધુઓને છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122