Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 108
________________ દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦ વ્યુત્થાન નથી; કેમ કે ધ્યાનનો અપ્રતિબંધ છે=વ્યવહારની આચરણામાં ધ્યાનનો અભાવ નથી. વ્યવહારની આચરણામાં ધ્યાનનો અભાવ નથી, તે સ્પષ્ટ કરે છે - સુવ્યાપાર ..... અનુભાવેવ, સુવ્યાપારરૂપ તેનું=વ્યવહારનું અર્થાત્ મોહના ઉન્મૂલનને અનુકૂળ સંયમયોગનાં ઉચિત કૃત્યોનું, કરણતિરોધમાં=મોહમાં પ્રવર્તતા મન-વચન-કાયાના યોગોરૂપ કરણના નિરોધમાં, અનુકૂળપણું હોવાથી જ વ્યવહારની ક્રિયામાં ઘ્યાનનો પ્રતિબંધ નથી, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે શુદ્ધ આત્મભાવ તરફ જવામાં સુદઢ યત્ન કરાવે તેવી પ્રવૃત્તિરૂપ ધ્યાનથી સંયમની બાહ્ય ક્રિયાઓમાં થતો વ્યાપાર કેમ પ્રતિબંધક થતો નથી. તેમાં હેતુ કહે છે – ચિત્તવિક્ષેપાળમ્ ..... પ્રતિવન્ધત્વાત્, ચિત્તના વિક્ષેપોનું જતત્પ્રતિબંધકપણું છે=આત્મભાવમાં જવાને અનુકૂળ ધ્યાનનું પ્રતિબંધકપણું છે. ૮૫ અહીં પ્રશ્ન થાય કે શુદ્ધ આત્મભાવ તરફ જવામાં સુદઢ યત્ન કરાવે તેવી પ્રવૃત્તિરૂપ ધ્યાનથી વિરોધી એવી સંયમની બાહ્ય ક્રિયાઓમાં થતો વ્યાપાર પ્રતિબંધક નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે Jain Education International एकध्यानान्तरं વિવેિત્ ।। વળી, મૈત્રી આદિ પરિકર્મવાળા ધ્યાનાન્તરના આરંભમાં=નિર્વિકલ્પદશાસ્વરૂપ શુદ્ધઉપયોગરૂપ ધ્યાન કરતાં પૂર્વના ધ્યાનરૂપ મૈત્રી આદિ પરિકર્મવાળા ઘ્યાનાન્તરના આરંભમાં, એક ધ્યાનનું અંતર રહેલું છે=નિર્વિકલ્પઉપયોગરૂપ ધ્યાનથી પૂર્વમાં થતા ધ્યાનમાં એક ધ્યાન અને બીજા ધ્યાનની વચમાં અંતર રહેલું છે, અને તે રીતે= ધ્યાનાન્તરના આરંભકાળમાં એક ધ્યાનનું અંતર રહેલું છે તે રીતે, તેટલા માત્રથી=વ્યવહારનયને અભિમત ક્રિયામાં આત્મમાત્રપ્રતિબંધરૂપ ધ્યાન નથી પરંતુ ભિન્ન ક્રિયામાં ચિત્તના ગમનરૂપ વ્યાપાર છે તેટલા માત્રથી, વ્યુત્થાનપણામાં, સમાધિના પ્રારંભતા પણ વ્યુત્થાનપણાની આપત્તિ છે. એથી આ=વ્યવહારમાં વ્યુત્થાન છે એ, દિગંબરનું વચન, ન કિંચિત્=કોઈ અર્થવાળું નથી. ।।૩૦। * સમાધિપ્રારમ્ભસ્થાપિ માં ‘પિ' થી એ કહેવું છે કે વ્યવહારનયને અભિમત ..... ―― For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122