Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 112
________________ દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૩૦-૩૧ ૮૯ આરંભને ધ્યાનનો વિરોધી માનવો પડે, માટે વ્યવહારનયને અભિમત ક્રિયામાં વ્યુત્થાનદશા છે, એ પ્રકારનું દિગંબરનું વચન અકિંચિત્કર છે. સારાંશ ઃ * અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ નિર્વિકલ્પદશામાં વર્તતા હોય છે ત્યારે, આત્મમાત્રમાં પ્રતિબંધરૂપ ધ્યાનની સંતતિ ચાલે છે, અને તે વખતના તેમના ચિત્તમાં મૈત્રી આદિ ભાવોનો નાશ છે અર્થાત્ મૈત્રી આદિ ભાવોથી રહિત તેમનું ચિત્ત છે. * નિર્વિકલ્પ ભૂમિકાને નહિ પામેલા અને તે ભૂમિકામાં જવા તત્પર થયેલા યોગીઓ અવસરે ધ્યાનમાં યત્ન કરે છે ત્યારે, તેઓને ધ્યાનની સંતતિ વર્તતી નથી, પરંતુ એક ધ્યાન પછી અન્ય ધ્યાનનું અંતર વર્તે છે; અને તેઓનું ચિત્ત મૈત્રી આદિ ભાવોથી પરિકર્મિત છે, તેથી મૈત્રી આદિ ભાવોથી અન્યથા ભાવોનો ચિત્તમાં લેશથી પણ સ્પર્શ નથી. * બીજા પ્રકારના યોગીઓ કરતાં તેની પૂર્વની ભૂમિકાવાળા સાધુઓ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ ચિત્તના વિક્ષેપના પરિહારપૂર્વક શાસ્ત્રવચનથી નિયંત્રિત થઈને કરે છે. તેઓનું ચિત્ત મૈત્રી આદિ ભાવોથી વાસિત છે, તોપણ મૈત્રી આદિ ભાવોથી પરિકર્મિત થયેલું નથી. આ ત્રણે પ્રકા૨ના સાધકો વ્યુત્થાનદશાવાળા નથી, પરંતુ જેઓની સંયમની ક્રિયામાં ચિત્તના વિક્ષેપો વર્તે છે, તેઓ વ્યુત્થાનદશાવાળા છે. I[૩૦]l અવતરણિકા : શ્લોક-૨૬માં કહેલું કે શુભઉપયોગ અને શુદ્ધઉપયોગનું મોક્ષરૂપ ફળ પ્રત્યે તુલ્યકક્ષપણું નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે, તે ઉચિત નથી; અને તેનું અત્યાર સુધી નિરાકરણ કર્યું. હવે તેઓનું કથન ભ્રાંતરૂપ છે, તે સ્પષ્ટ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ - विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुद्धैकरूपेण वृथा भ्रान्तं दिगम्बरैः । । ३१ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122