Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 363
________________ W.KHISKYRGR89988RRY વ્યંજનમાં પ્રવેશ કરવો. વ્યંજનમાંથી દ્રવ્યમાં આવવું અથવા મનોયોગથી કાયયોગમાં, કાયયોગથી વચનયોગમાં, વચનયોગથી મનોયોગમાં એમ દ્રવ્ય, શબ્દ અને યોગોમાં સંક્રમણ કરવું. જુદી જુદી રીતે પરિણમવું વિચરવું. એ શુલધ્યાનનો પહેલો પાયો ભેદ છે. શુક્લધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્ક અપ્રવિચાર 38888888888888888888888888888 48888 યાન દીપિકા 8888888888 એકત્વ, પાંચ ધર્માસ્તિકાયાદિ તેના ગુણપર્યાય વગેરેનો વિચાર ન કરવો, અનંત જીવો છે તેમનો પણ વિચાર ન કરવો, આત્માના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણો તેનો પણ જુદો વિચાર ન કરવો પણ તે સર્વનો સમાવેશ-એકતા-કરતા જવું, જેમ કે અનેક દ્રવ્યોની વિશેષ જાતિને સામાન્ય એક દ્રવ્યમાં સમાવવી. આત્માના અનંત ગુણોનો એક આત્મામાં સમાવેશ કરવો, અનંત આત્માઓનો એક સત્તા સામાન્ય આત્મામાં સમાવેશ કરવો, અને અનેક દ્રવ્યની સામાન્ય જાતિઓનો એક મહાસત્તા-સામાન્યમાં સમાવેશ કરવો. અથવા પર્યાયનો ગુણ વિષે સમાવેશ કરવો, ગુણનો પર્યાય વિષે અને ગુણપર્યાયનો દ્રવ્ય વિષે સમાવેશ કરવો. ગુણપર્યાયોની વિવિધતા હું જ છું, તે આત્માના ગુણપર્યાયો મારાથી ભિન્ન નથી, જે શુદ્ધ આત્મા સિદ્ધ ૫રમાત્માનું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, એમ કરી બન્નેની એકતા સાધવી. અથવા મહાસત્તા સામાન્યની અપેક્ષાએ એક સત્ છે. અને તે હું છું. આ ધ્યાન એકત્વપણે, સ્વરૂપતન્મયપણે કરવું. વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અવલંબનપણે સર્વનો મહાસત્તા-સામાન્યમાં સમાવેશ કરવો. અપ્રવિચાર, વિકલ્પરહિત-સમયાંતરવાળા દર્શન, જ્ઞાન જેટલું પણ અંતર-કે વિકલ્પ ન કરતાં એકરસ-નિર્વિકલ્પ ૩૬૨ 388888888888888<s&Kaa%a8sMa%a8K For Private & Personal Use Only Jain Education International 88888888 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396