Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad
View full book text
________________
888880
& sta838308338888888888888888
88888888
38,8988/93839 સંસ્થરડરસ્ટ સ્કિમ્યુનીસR83માનદીપિકા
(૯) તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા.
(૧૦) હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત્ સૂલટું ચિંતવવું.
(૧૧) તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું. અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું.
(૧૨) તે ભાવ દૃઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા વીતરાગ દેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી.
(૧૩) તે ૫૨મ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
(૧૪) સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ઊત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિષે શ્રી વીતરાગ દેવ અત્ર છે, એમ ભાવવું.
(૧૫) સ્વરૂપ સમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે, એમ ભાવવું. (૧૬) તેમના મૂર્ખસ્થાનનને વિષેથી તે વખતે ૐકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું.
(૧૭) તે ભાવનાઓ દૃઢ થયે તે ૐકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૩૭૬ 38s38*&@€@ssw8w889w8s383@Gaza
Jain Education International
88888
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396