Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 172
________________ ભિક્ષુવર્ગ ૧૨૩ જે ભિક્ષુ પાંચ બંધનોને કાપી નાખે, પાંચ બીજાં બંધનેને તજી દે તથા પાંચ (શ્રદ્ધા, સ્મૃતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા)ની વધારે ઉત્તમ રીતે ભાવના કરે અને પાંચ સ્કેની આસક્તિને તજી દઈને આગળ વધેલ હોય, તે આ પ્રપંચના. પૂરને તરી ગયેલો કહેવાય છે. ૧૧ બંધનો દસ છે, તેમાંનાં પ્રથમ પાંચ આ પ્રમાણે છે – ૧ સક્રાયદિદિ (સત્કાયદષ્ટિ), ૨ વિચિકિચ્છા (વિચિકિત્સા), ૩ સીલધ્વતપરામાસ (શીલવતપરામર્શ), ૪ કામરાગ, ૫ પટિવ (પ્રતિઘ); બીજાં પાંચ બંધને આ પ્રમાણે છે –૧ રૂપરાગ, ૨ અરૂપરાગ, ૩ માન–અહંકાર, ૪ ઉચ્ચ (ૌહત્ય) અવિા (અવિદ્યા); તેમનો અર્થ ક્રમશઃ આ પ્રમાણે છે –“સત્કાયદષ્ટિને શબ્દાર્થ “કાયા સત્ છે એવી દષ્ટિ', પરંતુ બૌદ્ધ પરિભાષા પ્રમાણે તેને અર્થ જુદા પ્રકારને છે; તે માટે જુઓ ધમ્મપદને ગુજરાતી અનુવાદ “સંયોજન’ શબ્દ-(ગુજરાત વિદ્યાપીઠ); વિચિકિત્સા એટલે બુદ્ધ, ધર્મ અને સંધમાં અવિશ્વાસ-આ સાંપ્રદાયિક અર્થ છે; સાધારણ રીતે “વિચિકિત્સા'નો અર્થ “સંશય' થાય છે; શીલવતપરામર્શ— અમુક તપ કે વ્રતવરતોલાં માત્ર કરવાથી મુક્તિ મળે છે એવી શ્રદ્ધા; કામરાગ’નો અર્થ પ્રસિદ્ધ છે; પ્રતિધ એટલે ક્રોધ; રૂપરાગ એટલે બ્રહ્મલોક વગેરે સ્વર્ગો મેળવવાની ઈચ્છા–તૃષ્ણા; અરૂપરાગ એટલે અરૂપ દેવેલેકે મેળવવાની ઇચ્છી; માન અને અવિદ્યાનો અર્થ જાણીતે છે; ઉચ્ચ એટલે બ્રાંતચિત્ત-ચિત્તની અસ્થિરતા; આ દસ બંધનમાંનાં પ્રથમ પાંચનું નામ “અવરભાગી સંજન' છે અને પાછળના પાંચનું નામ “áભાગી સંજન” છે; બૌદ્ધ પરંપરામાં “સંયેજન’ શબ્દ બંધનને સૂચક છે, તેમ જૈન પરંપરામાં અને વૈદિક પરંપરામાં પણ “સંયોગ' શબ્દ અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષાએ બંધનનો સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194