Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 263
________________ ' 1 . [શ્રીવિજયપદ્વરિતચક્રીની દીક્ષા લેવી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જણાવે છે – દીક્ષા વિચાર જણાવતા ભગીરથે વિનંતિ નાથને, કરતા મહત્સવ સગર ચક્રી દીલ ધરી બહુ હર્ષને, દિક્ષા ગ્રહીને દ્વાદશાંગી હર્ષથી તે મુનિ ભણ્યા, સમતાદિ ગુણથી ચાર ઘાતિ કર્મ હણી કેવલી થયા. ૪૦૦ સ્પષ્ટાર્થ–સગર ચક્રી પ્રભુને પિતાને દીક્ષા લેવાને વિચાર જણાવે છે. ભગીરથ રાજા અજીતનાથ સ્વામીને વિનંતિ કરીને ચકવર્તીનો દીક્ષા મહોત્સવ કરે છે. પછી સગર ચક્રવર્તી ઘણા હર્ષથી દીક્ષા લે છે. અને આચારાંગાદિ બાર અંગેને તે મુનિ ભણ્યા. તથા સમતા વગેરે ગુણોથી જ્ઞાનાવરણીય, દર્શનાવણ્ય મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. ૪૦૦ બીજા શ્રી અજીતનાથ પ્રભુને પરિવાર કેટલે હવે તે ત્રણ લેકમાં જણાવે છે – વિચરતા પ્રભુદેવને પરિવાર પંચાણું ગણી, એક લાખ મુનીશ્વરા એ સંપદા સાધુ તણી; ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી ચૌદ પૂર્વી મુનિવર, સાડત્રીશસો ચૌદશે ને પાશ મણપજ્જવ ધરા. ૪૦૧ સ્પાઈ–તીર્થકરપણે વિચરતા પ્રભુ શ્રી અજીતનાથને પરિવાર કેટલે હતું તે જણાવે છે–પ્રભુના પરિવારમાં પંચાણુ ગણું એટલે ગણધર હતા. અને એક લાખ મુનિઓ હતા. એ સાધુની સંપદા કહી. વળી ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓનો પરિવાર હતે. વળી સાધુઓમાં ચૌદ પૂર્વ પર મુનિવરેની સંખ્યા સાડત્રીસ સે અથવા ત્રણ હજારને સાતસેની હતી. તથા મન:પર્યવજ્ઞાની સાધુઓની સંખ્યા ચૌદસે ને પચાસની હતી. ૪૦૧ અવધિનાણી નવ સહસ તિમ ચારસે અવધારિયે, સહસ બાવીશ કેવલી શત ચાર બાર હજાર એ વાદી તથા વૈદિયધરા શત ચાર વીસ હજાર એ, બે લાખ અટ્ટાણુ સહસ શ્રાવક ગુણી ના ભૂલીએ. ૪૦૨ સ્પષ્ટા–નવ હજાર ને ચાર અવધિ જ્ઞાનીઓની સંખ્યા હતી. બાવીસ હજાર કેવલજ્ઞાનીઓ હતા. તથા બાર હજાર ને ચાર વાદીએ એટલે અન્ય મતવાળા સાથે વાદ કરવાની શક્તિવાળા સાધુઓ હતા. વળી વીસ હજાર ને ચારસે વિક્રિયધરા એટલે વૈકિય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284