________________
ચશોમતીને પરણે છે. પિતા દીક્ષા લઈ, કેવલી બની, નગરમાં આવે છે. નવભવનો સંબંધ જણાવે છે, પુત્ર પુંડરીકને રાજ્ય સોંપી શંખ બધા સાથે સંયમ લઈ નિરતિચાર ચારિત્રપાલતા વીશસ્થાનકની આરાધના કરે છે. પ્રાંતે પાદપોપગમ અનશન કરી આઠમા ભવે અપરાજિતદેવલોકે જાય છે. વ્યાધ્યાયમાનં નવાં ભવંગના, જીવંત્ત્વનું સામ્રતવેતન: .૮૮, -દરૂ] એક ચિત્તે નવમો ભવ સાંભળો.
- નવમો ભવ:- યદુવંશની ઉત્પત્તિ બતાવે છે. જંબૂદ્વીપ ભરતક્ષેત્ર મથુરાનગરી, હરિવંશના મુકુટસમા યદુરાજવી થયા ત્યાર પછી હરિવંશમાં ઉત્પન્ન થયેલા યાદવો કહેવાયા.
हरिवंशशिरोरत्नं, यदुस्तत्राभवन्नृपः । થતો વાવવા ત્યારણ્યાં, અરે દરિવંશના સાશા [.૮, -૬ર૦].
નંદિષણમુનિની કથા-વસુદેવના પૂર્વભવ શ્રીનંદિષેણમુનિની કથા. મગધદેશે, નંદિગ્રામે કોઈ બ્રાહ્મણ, સુમિલાપત્નીને ત્યાં તેનો આંખે જોવો ન ગમે, દેખાવે બળી ગયેલ વાસણ જેવો, બિલાડી જેવી આંખવાળો, ગણપતિ જેવા પેટ વાળો, હાથી જેવા દાંતવાળો, ઊંટ જેવા હોઠ વાળો, વાંદરા જેવા કાનવાળો, ચપટ એવા નાકવાળો, નાનપણમાં મરી ગયેલ મા-બાપવાળો, પુત્ર નંદિષણનો જન્મ થયો. મામાના ઘરે મોટો થાય છે. કોઈ લગ્ન કરવા તૈયાર થતું નથી, તેથી જીવનને ધિક્કારતો જંગલમાં જાય છે, શ્રી સુસ્થિતમુનિ પાસે હિતશિક્ષા સાંભળી દીક્ષાનો સ્વીકાર કરે છે. પછી સૂત્ર અને અર્થના જાણકાર, સંવેગથી ભરપૂર, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, પંચસમિતિથી યુક્ત, વૈરાગ્યની વૃદ્ધિવાળા, પોતાના શરીરની આકાંક્ષા વગરના તપસ્વી એવા તેઓ, સાધુની વૈયાવચ્ચનો અભિગ્રહ લે છે. દેવસભામાં ઈદ્ર પ્રશંસા કરે છે. ઈન્દ્રની વાતની અશ્રદ્ધા કરતા કોઈક દેવે પરીક્ષામાટે જંગલમાં અતિસારના વ્યાધિવાળા મુનિનું રૂપ લે છે, તેમજ ક્યાં છે તે નંદિષેણ? બોલતા બીજા રૂપ વડે ઉપાશ્રયે આવે છે. મંદિષેણમુનિ છઠ્ઠના પારણે મોઢામાં કોળીયો મૂકતા અટકી જાય છે, તું મંદિષેણ છે, તું વૈયાવચ્ચી છે સેવા કર્યા વગર બેસી ગયો. હાથમાં લીધેલ કોળીયો મૂકતા નંદિષણમુનિ માફી માંગે છે. ફરમાવો કામ. ગામ બહાર એક ગ્લાન સાધુ છે, અતિસારનોરોગી છે, વૈયાવચ્ચ કરનાર કોઈ ન હોવાથી તરસ્યા મરી જશે, બતાવો મને. હું તેમની સેવા કરીશ, શુદ્ધ પાણીની ગવેષણા કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org