Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 110
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ CC ભજનાસૂત્રમાં ‘અન્નમન્ને=અન્યોન્ય' પદ ગ્રહણ કર્યું છે, માટે આવો અર્થાંત૨ કરવો શક્ય નથી. આશય એ છે કે ‘અન્યોન્ય' પદથી એ નક્કી થાય છે કે, “(૧) જે આધાકર્મિક આહારને વાપરે છે, તે આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર સ્વકર્મો દ્વારા=સ્વક્રિયા દ્વારા, લેપાય છે, એમ જાણવું; અને (૨) જે આધાકર્મિક આહાર વાપરે છે, તે આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર સ્વકર્મો દ્વારા નથી લેપાતા, એમ જાણવું.” આ પ્રમાણેનો અર્થ ‘અન્યોન્ય’ પદના ગ્રહણને કારણે થઈ શકે, પરંતુ અન્યથા થઈ શકે નહીં; કેમ કે ૫૨સ્પ૨નો અર્થ એ છે કે, “આધાકર્મિક આહાર અને આધાકર્મિક આહારને વાપરનાર આત્મા પરસ્પર લેપાય છે અને પરસ્પર નથી લેપાતા.’ હવે જો ‘પરસ્પર’નો અર્થ ‘આધાકર્મિક આહાર વાપરે છે તે પરસ્પર લેપાય છે, અને જે નથી વાપરતા તે પરસ્પર નથી લેપાતા' એ અર્થ કરીએ તો તેનાથી એ પ્રાપ્ત થાય કે બીજા વિકલ્પમાં અર્થાત્ ‘જે નથી વાપરતા તે પરસ્પર નથી લેપાતા એ રૂપ બીજા વિકલ્પમાં, આધાકર્મિક આહારનું ગ્રહણ જ નથી તો પરસ્પર નથી લેપાતા, એવું કેમ કહી શકાય ? તેથી બીજા વિકલ્પમાં પણ આધાકર્મિક આહાર વાપરનારને ગ્રહણ કરીને પરસ્પર નથી લેપાતા,' એમ કહેવું જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે, ‘ઊન્નમન્ને’=અન્યોન્ય=‘પરસ્પર’ શબ્દનો માત્ર પ્રથમ વિકલ્પ સાથે=ઉપ૨માં બતાવેલ નં. ૧ સાથે, અન્વય કરીને અર્થ કરીએ તો અમારા કથન પ્રમાણે અર્થ થઈ શકશે. તે આ રીતે ‘જે આધાકર્મિક આહાર વાપરે છે, તે આત્મા પરસ્પર સ્વકર્મ વડે લેપાય છે; અને જે આધાકર્મિક આહાર નથી વાપરતા, તે નથી લેપાતા.’ આ રીતે ‘પરસ્પર’ શબ્દનો અન્વય માત્ર પ્રથમ વિકલ્પ સાથે કરવાથી ‘આધાકર્મિક એકાંતે દુષ્ટ છે' તે સિદ્ધ થઈ શકે છે. પૂર્વપક્ષીના આ સમાધાન સામે ગ્રંથકાર કહે છે કે સ્વરૂપથી અસાવદ્યમાં ભજના બતાવવાનું અનતિપ્રયોજન છે. આશય એ છે કે ‘આધાકર્મિક આહાર જે વાપરે છે, તે પરસ્પર સ્વકર્મો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142