Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦૧ દાનતાસિંશિકા/શ્લોક-૩૧ હોવાના કારણે ક્રિયાભેદ જ પ્રાપ્ત થાય છે. “સાવદ્યત્વેડ'િ અહીં ' થી એ કહેવું છે કે સ્વરૂપથી નિરવદ્ય હોય તો તો અનિષ્ટ નથી, પરંતુ સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્ય હોવાથી અનિષ્ટ નથી. ભાવાર્થ - જે શ્રાવકો પાત્રાપાત્રનો વિવેક કરીને “આ સુપાત્ર છે તેવી બુદ્ધિપૂર્વક સાધર્મિકવાત્સલ્યાદિ પ્રવૃત્તિ કરતા હોય અને સાધર્મિકની ભક્તિમાં જે આરંભનો પરિહાર અશક્ય હોય તેટલો જ આરંભ કરતા હોય અને ભક્તિમાં ઉપયોગી ન હોય તેવા આરંભનો પરિહાર કરવા સમ્યફ યતના કરતા હોય તો પ્રશસ્ત વ્યાપાર પણ વર્તતો હોય છે. તેથી સાધર્મિક વાત્સલ્યાદિ પ્રવૃત્તિમાં જે દ્રવ્યથી હિંસા થાય છે, તેનાથી તેઓને લેશ પણ કર્મબંધ થતો નથી. આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિ કરનાર લોકસંજ્ઞાથી કરતા હોય અથવા પોતાના સામાજિક મોભા પ્રમાણે કરતા હોય તો તેમાં શુભયોગ નથી; પરંતુ “આ સાધર્મિકો ગુણોના આધાર છે અને તેવા ગુણવાન આત્માઓની ભક્તિ કરીને હું પણ તેવા ગુણોની પ્રાપ્તિ કરું,” એવા શુભ અધ્યવસાયપૂર્વક સાધર્મિકવાત્સલ્યાદિ કરતા હોય, અને તે ક્રિયામાં પણ શક્ય એટલી હિંસાનો પરિહાર કરીને ભક્તિમાં ઉપયોગી હોય તેનાથી અધિક બિનજરૂરી હિંસા ન થાય તે રીતે યતનાપરાયણ હોય, તેવા શ્રાવકની સાધર્મિક વાત્સલ્યાદિ પ્રવૃત્તિમાં જે હિંસા થાય છે, તેનાથી તે શ્રાવકને લેશ પણ કર્મબંધ થતો નથી; કેમ કે તે ક્રિયા સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પણ સાધર્મિક પ્રત્યેના ગુણોના બહુમાનપૂર્વકની હોવાથી અને શાસ્ત્રવિધિ પ્રમાણે યતનાપૂર્વકની હોવાથી ગુણવૃદ્ધિનું કારણ છે, માટે અનુબંધથી નિરવદ્ય છે. તેથી તેમાં થતી હિંસાથી કર્મબંધ નથી. તેમાં સાક્ષી આપતાં કહે છે – “કોઈ જીવ સૂત્રવિધિથી પૂર્ણ હોય, ગુણવાનની ભક્તિ કરીને અધ્યાત્મભાવમાં જવા માટેની વિશુદ્ધિથી યુક્ત હોય અને સાધર્મિકવાત્સલ્યાદિમાં અનાવશ્યક હિંસાના પરિવારમાં તનાવાળો હોય, તો તેના વડે જીવોની જે વિરાધના થાય છે, તે નિર્જરાફળવાળી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142