Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 134
________________ ૧૧૩ દાનહાત્રિશિકા/બ્લોક-૩૧ અતિથિસંવિભાગ વ્રતમાં સાધર્મિકવાત્સલ્યનો અંતર્ભાવ થાય છે. સાધર્મિક વાત્સલ્ય કરીને શ્રાવક સંયમની શિક્ષા ગ્રહણ કરે છે, તેથી વિવેકી શ્રાવકનું સાધર્મિકવાત્સલ્ય સંયમનો હેતુ છે. એ પ્રકારનો ધર્મસાગરજીનો આશય છે. વસ્તુતઃ સાધર્મિકવાત્સલ્યમાં જીવઘાતપરિણામ નથી. માટે વર્જનાઅભિપ્રાયથી તેનો ત્યાગ થાય છે તેમ માનવું ઉચિત નથી. ઉત્થાન : પૂર્વમાં ધર્મસાગરજીએ વર્જનાઅભિપ્રાયને ઉપાધિરૂપ બનાવીને વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી જીવઘાતપરિણામજન્યત્વનો ત્યાગ થાય છે, અને વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિવાળી વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, એમ સ્થાપન કર્યું. તેમાં પણ ગ્રંથકારે દોષ બતાવ્યો. હવે તેની સામે પૂર્વપક્ષી શું કહે તે બતાવીને તે પણ સંગત નથી, તેમ બતાવતાં ગ્રંથકાર કહે છે – ટીકા : स्यादेतत् वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमिति, मैवं, विशेषणविशेष्यभावे विनिगमनाविरहात् । अन्यथा दोषाभावविशिष्टबाधत्वेनैव दुष्टज्ञाने प्रतिबन्धकत्वप्रसङ्गात्, विशेष्याभावस्थलेऽतिप्रसङ्गाच्च । ટીકાર્ય : ધર્મસાગરજીના મતમાં આ પ્રમાણે થાય – . વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાત્વેન પ્રતિબંધકપણું હોતે છતે= વિરાધનાનું પ્રતિબંધકપણું હોતે છતે, કોઈ દોષ નથી. ઊલટું વર્જનાઅભિપ્રાયના પૃથફ કારણત્વની અકલ્પના હોવાથી લાઘવ છે. “ત્તિ' શબ્દ ધર્મસાગરજીના કથનની સમાપ્તિમાં છે. " ધર્મસાગરજીને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે વિશેષણવિશેષ્યભાવમાં વિનિગમતાનો વિરહ છે અર્થાત્ વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષણ કરવું અને વિરાધનાને વિશેષ કરવી, કે વિરાધનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142