Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 131
________________ ૧૧૦ ટીકાર્ય - દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ જે ધર્મવિશિષ્ટ=જપાકુસુમધર્મથી વિશિષ્ટ, જે વસ્તુ=સ્ફટિકરૂપ વસ્તુ, પોતાનું સ્વરૂપ=નિર્મળતારૂપ સ્વરૂપ, ત્યાગ કરે છે, તે ધર્મ=જપાકુસુમરૂપ ધર્મ, ત્યાં=સ્ફટિકમાં, ઉપાધિ છે, એ નિયમથી વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના, જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશના હેતુનો પરિત્યાગ કરે છે, એ પ્રકારના ભાવાર્થના પર્યાલોચનથી અનુપહિત વિરાધનાપણાથી= વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત નથી એવી વિરાધનામાં રહેલ વિરાધનાપણાથી, પ્રતિબંધકપણું પ્રાપ્ત થાય છે. એથી ઉપહિત એવી તેનું=વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત એવી વિરાધનાનું, પ્રતિબંધકાભાવપણું=સાધર્મિકવાત્સલ્યાદિમાં નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવપણું, અક્ષત છે, એ પ્રમાણે ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે, આ વાત બરાબર નથી; કેમ કે પ્રકૃત વિરાધનાવ્યક્તિમાં=સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના વ્યક્તિમાં, જીવઘાતપરિણામજન્યત્વનું અસત્ત્વપણું હોવાના કારણે ત્યાગ કરાવવા માટે અશક્યપણું છે. આથી જ=સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વનું અસત્ત્વ છે આથી જ, તત્પ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ પણ=જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકજ્ઞાનનાપ્રતિબંધરૂપ પણ, તે દાનની= સાધર્મિકવાત્સલ્યાદિમાં કરાતા દાનની, અનુપપત્તિ છે. ભાવાર્થ : વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ બતાવવા અર્થે યુક્તિ બતાવતાં ધર્મસાગરજી કહે છે કે આ પ્રકારનો ઉપાધિનું લક્ષણ છે કે જે ધર્મવિશિષ્ટ જે વસ્તુ=જપાકુસુમરૂપ ધર્મથી વિશિષ્ટ એવી સ્ફટિકરૂપ વસ્તુ, નિર્મળતારૂપ નિજસ્વરૂપનો ત્યાગ કરે છે, તે જપાકુસુમરૂપ ધર્મ સ્ફટિકમાં ઉપાધિ કહેવાય છે, આવો નિયમ છે. એ નિયમ પ્રમાણે જેમ જપાકુસુમના સાંનિધ્યથી સ્ફટિક નિર્મળતાનો ત્યાગ કરે છે, તેમ યતનાપૂર્વક સાધર્મિકવાત્સલ્ય ક૨ના૨ જીવમાં વર્તતો વર્જનાનો અભિપ્રાય સાધર્મિકવાત્સલ્યમાં વર્તતી વિરાધનામાં રહેલ જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમના નાશના હેતુનો ત્યાગ કરે છે. તેથી જેમ સ્ફટિક જપાકુસુમને કારણે નિર્મળતા વિનાનું બને છે, તેમ સાધર્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142