Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 404
________________ પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ૩૬ રાજાઓને પણ સાથે જ નમાવ્યા. તે રાજાને ધર્મમતિ નામે સુજ્ઞ પુત્ર હતું. એકદા પ્રજાજન સહિત રાજા સભામાં બેઠે હતું, ત્યારે દ્વારપાલને તેણે પૂછયું કેન્દ્રનગરમાં કઈ જ્ઞાની છે?” તેણે કહ્યું “દર્શનીઓ છે.” એટલે રાજાએ તેમને બોલાવતાં, તેઓ આવીને સભામાં બેઠા. ત્યાં રાજાએ આદરથી પૂછયું કે–ત્રિકાલજ્ઞાનના વિષયમાં તમે બેલે કે જેમાં મને વિશ્વાસ આવે. ત્યારે એક કુશળ બ્રાહ્મણ બોલ્યા કે—“હે રાજન! એક ધનાઢય શેઠની ભાર્યા સાંજે મરણ પામશે, મારા જ્ઞાનમાં એ મને પ્રત્યય લાગે છે; પછી રાજાએ બૌદ્ધને પૂછ્યું કે–આ બ્રાહ્મણ બેન્ચે તે સત્ય છે કે કેમ?” બૌદ્ધ બલ્ય હે ભૂપ! એ વાત કેવળ મિથ્યા છે. તે વણિપ્રિયા હજી વિશ વર્ષ જીવશે.” એમ પરસ્પર વિરૂદ્ધ વાણું સાંભળતાં રાજા ભે–એમાં કેની વાણી સાચી છે, તે જોનાચાને પૂછે.” એટલે રાજાના ઉપધથી અવધિજ્ઞાનને ઉપયોગ દઈનેયથાર્થ સ્વરૂપ જાણી આચાર્યોએ રાજાને કહ્યું કે –“હે ભૂપાલ! એ બંનેનું વચન સત્ય થવાનું.” એમ અતિ વિરૂદ્ધ સાંભળી રાજા બહુ આશ્ચર્ય પામ્યું. પછી તે બંનેને વિસજી, રાજાએ ધનાઢ્ય શેઠને કહ્યું કે–“તું ઘરે જા અને પુરૂષોને સાવધાન રાખી રાહ જે. વળી બરાબર સાવધાન થઈ યત્નપૂર્વક જુઓ કે વિધાતા એમનાં વચનમાં તેનું વચન સત્ય કરે છે.' એમ રાજાએ કહેતાં શેઠ ઘરે ગયો અને બધી વાત તેણે પિતાની સ્ત્રીને કહી સંભળાવી એટલે સાંજે પોતાનું મરણ સાંભળતાં તે વૈર્ય ધરી, પુણ્ય અને કીર્તિ માટે યથેચ્છાએ દાન દેવા લાગી. હવે ધનાઢ્ય શેઠે લગ્નવેળા જોવા માટે સાંજે લોકોને પોતાના મકાનની ઉપર બેસાર્યા. બીજા લેકેને બહાર કહા, હાથમાં શસ્ત્ર લઈ, ભાર્યાની રક્ષા કરવા બીજાને આવવા ન દેતાં પોતે એકલો ઉભું રહ્યો. એવામાં કે ગામમાં કે ગ્રામ્ય બાળક એક ખેડુના ખેત

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420