Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ ૨૨૮ જનેના આત્માને, કુદરતથી સમ્બન્ધ કરતું; મજા તેની તે લે, હૃદય કર વિસ્તીર્ણ કુમળું; અને એ ઉર્મિ માં દ્રવી પડ મુકાવી છગર તું.” લૂખી ઉભિદ વિદ્યા, સૂકી વળી ઔષધિ બધી, જહી સુધી તેની કૃતિ જનસ્વભાવે નવ મળી; અહિં આ ઉગેને, તરૂ વળી અહીં આ ન ઉગતું, કવિતા વિના એ મુજ દિલ ગણે શુષ્ક સઘળું.” શું છે? બુલ બુલ ઉડયું ગુલઝારથી, ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં; ગુલશન પડી મહારી સૂની, એ ગુલશને જઈ શું કરું ! આંબે ન આવ્યો મહેર, ટહુકી કાકલા ન રહવારમાં; અન્ને રવિ ઉગતાંજ છાયો, વસંતને હું શું કરું? વહાલાં તણું હૈડાં ન ઉછળે, પ્રેમ નવ નયને વસે, પણ એકલા મુખથી હસે, એ વહાલ લઈ હું શું કરું? દીલમાં પડ્યા કારી જખમ, મરહમ નથી ઘા રૂઝવા, હૈયા મહીં કળ નથી વળી, રાયા વિના બીજું શું કરું? નવ સમિર મૃદુ શિળ વહે, ઉઠે ન ઉમિસર મહીં; મુજ હદય પણ જડ બની રહે, સરવર તીરે જઇ શું કરું? ગાજે ન પ્રભુનાં ગાન, મન ગળી જાય પ્રભુતામાં નહીં, હળે વીકાર જગ્યા રહે, તે મંદિરે જઈ શું કરું?

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32