Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 42
________________ યુદ્ધ અને મહાવીર વાસ્તવિકતા ઉપરના ભ્રમભર્યા વિશ્વાસને લીધે માણસ એની વાસનામાં તણાય છે, પણ એથી કશી નિત્ય વસ્તુ પ્રાપ્ત થતી નથી, તેથી સંસારવાસનાને પરિણામે બ્રમણ, કંદન, વ્યાધિ, શોક, દારિદ્રય અને મૃત્યુ વાળું મિથ્થા સંસારબંધન આવે છે. ઉત્પાદ શાળાની વચલી કડીઓ હજી આપણે લેવાની રહી. આદિ અને ભય વચ્ચે છ કડીઓ છે તથા મધ્ય અને અંત વચ્ચે બે છે. પ્રથમની છે પ્રમાણે છે: ૨. સંસ્કાર, ૩. વિજ્ઞાન, ૪. નામ અને ૫, ૫. ડાયતન-છ ઈદ્રિય પ્રદેશે. પાંચ ઇંદ્રિયોમાં ભારતવાસીઓ મનસને ઉમેરી ઇ કરે છે. ૬. સ્પર્શ અને ૭. વેદના. દરેક કડી પોતાની પાછલી કહીને આધારે રહેલી છે અને તેથી પહેલી અને આઠમી કડી એ બેને સાથે વિચાર કરતાં આ નીચેની શ્રેણી જી શકાય? અવિદ્યામાંથી સંસ્કાર ઉત્પન્ન થાય છે, એમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમાંથી નામ અને રૂપ ઉત્પન્ન થાય છે, નામ અને રૂ૫માંથી છ ઇકિયપ્રદેશ ઉત્પન્ન થાય છે, એમાંથી સ્પર્શ ઉત્પન્ન થાય છે, એમાંથી વેદના “ઉત્પન થાય છે. અને એમાંથી તૃષ્ણ ઉત્પન્ન થાય છે. અવિવાથી તૃષ્ણા સુધી વિસ્તરતા માનવભવના પ્રદેશના આથી સંખ્યાબંધ ઉપપ્રદેશ બને છે, અને એ આખા ક્રમને આપણે શારીરિક અને માનસિક ભાવે સમજવામાં છે. અને હવે બુદ્ધને સમજાય છે-આપણે એમના વિચારક્રમને યુરોપિયન પદ્ધતિએ વિચારીએ-જે અજ્ઞાનજનિત સંસારબંધનની ભૂમિકા ઉપર વ્યક્તિજીવનના આરંભમાં પ્રથમ તે એને અનુકૂળ પ્રવૃત્તિ રચાય છે. ત્યાર પછી એ સંસ્કાર એને દરીને સર્વ સામાન્ય વિજ્ઞાનના એટલે કે એકતા અને ભેદભાવ સમજવાની સાદી શક્તિના પ્રદેશમાં લઈ જાય છે, આમાં માનસિક ગતિ થાય છે અને એને આપણે મૂળ ચેતના કહી શકીએ. આ શકિતમાંથી વળી નામના અને રૂપના ભેદની જાગૃતિ થાય છે અને એથી માણસ પિતાને સત્ય રૂપે અને બાહ્ય જગતને નામ રૂપે ઓળખે છે. અને આ સત્ય તથા નામ વચ્ચેનું ભેદભાન વિસ્તરતાં તેમાં છ ઇન્દ્રિય પ્રદેશ ઉમેરાય છે, એટલે કે પિતાની જાત અને બાહ્ય જગત વચ્ચે, દષ્ટિ અને દૃશ્ય વચ્ચે, શ્રવણ અને શ્રાવ્ય વચ્ચે અને એવાં બીજ ઇંદ્રિયજંન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58