Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 254
________________ . • સ્મરણુ–મંત્ર ભગવાનરૂપ સત્પરૂષનાં આત્મગુણદર્શક તથા અન્ય ઉપકારી વચને મંત્રણવરૂપ છે. તેમની વાણું તે તે અનુભવને નિચોડ છે, અનુભવનું અમૃત છે. તે અપૂર્વ વાણીમાં અગાધ અને અમાપ શક્તિ રહેલી છે. ભવ્ય ભક્તજનના હૃદયમાં સેંસરી ઊતરી જઈ તેનામાં પરિણામ પામે એવી અદૂભુતતા તે વચનગ ધરાવે છે. અનુભવસિદ્ધિ થયા પછી નિશદિન આપાગી, આત્મારામી અને આત્મનિષ્ઠ પુરૂષની પરમ પવિત્ર ને નિર્મળ હદયસરિતામાંથી સહજતાએ પ્રવહતી વચનજળધારાનું સામર્થ્ય અલૌકિક કેમ ન હોય? આત્મપ્રદેશના બળવીર્યના સ્પર્શથી પૂરી રીતે રંગાયેલ વાણમાં અચિંત્ય શક્તિને સંચય કેમ ન સંભવે ? એ મધુર અને મિષ્ટ, ઉપયોગી અને ઉપકારી વચનમંત્રને સ્વાભાવિક પ્રભાવ જ એ છે કે તેનું ઉત્સાહપૂર્ણ અને શ્રદ્ધાપૂર્ણ ભાવથી સ્મરણ કરનાર સાધક-ભક્તની સ્થૂલ પ્રકૃતિનું આમૂલ પરિવર્તન થાય છે, તેની પાર્થિવ વૃત્તિ એકદમ પલટાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280