Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 454
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૩ પ્રવચન ક્રમાંક - ૩૬ ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ સાધનાની પ્રક્રિયા જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. (૪૧) ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું વર્ષદ આહી. (૪૨) ટીકા જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૧) જેથી તે સુવિચારદશા ઉત્પન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. (૪૨) - બી જમીનમાં જાય છે, અને વૃક્ષ જ્યારે થાય છે, ત્યારે ખ્યાલમાં આવે છે કે આ ફળ્યું. પરંતુ બીજ એમને એમ ફળતું નથી. ક્રમિક વિકાસ થાય છે. નાનકડાં રાઈના દાણા જેટલા બીજમાંથી ઘેઘૂર વડલો થવો, તે બીજા માટે અસાધારણ ઘટના છે. આ ઘટના જે ઘટશે તે બીજમાં ઘટશે, બીજ વડે ઘટશે. બીજ વગર નહિ થાય. જેમ બીજ ઘેઘૂર વડલો થવામાં અનિવાર્ય છે તેમ સાધનામાં જીવની યોગ્યતા તે બીજ છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને સદ્ગુરુનો જોગ પ્રાપ્ત ન થાય, અને જોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધ પ્રાપ્ત ન થાય, અને બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુવિચારણા પ્રાપ્ત ન થાય, અને સુવિચાર ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોહ ન જાય, મોહ ન જાય તો મોક્ષ પ્રાપ્ત ન થાય. આ એક ક્રમ છે, આ એક સાધનાની પ્રક્રિયા છે, વ્યવસ્થા છે. તેના વિના મોક્ષનો માર્ગ હાથમાં આવતો નથી. એ માર્ગ હાથમાં ન આવે ત્યાં સુધી જીવનમાં જે કષાયો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492