Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 479
________________ શબ્દાર્થ XVII તેનું નામ સ્વછંદ છે. સ્વ અને છંદ મળીને શબ્દ થયો છે સ્વછંદ. સ્વના બે અર્થ થાય. એક સ્વરૂપ અને બીજો અર્થ અહમ્. અને છંદ એટલે નાદ અથવા ટેવ, વૃત્તિ, આદત એનું એ કરવાની ટેવ તેને કહેવાય છે છંદ. અહમૂનો છંદ, વૃત્તિઓને ગમે, મનને ગમે, અહમના કહેવા પ્રમાણે ગમે તેવી પોતાની ઈચ્છાઓનું ડહાપણ ડોળવું. અજ્ઞાનની સત્તા, વૃત્તિઓ અને વાસનાની સત્તા, મોહ અને કષાયોની સત્તા, અહંકારની સત્તા અને ઈચ્છા પ્રમાણે ડહાપણ ડોળવાની સત્તા, આ પાંચ સત્તા તળે જે જીવ કામ કરે છે તેને જ્ઞાનીઓ સ્વછંદ કહે છે. સ્વચ્છંદનો રોગ અનાદિકાળનો છે. જીવે વિવિધ પ્રકારની સાધનાઓ પોતાના સ્વછંદે કરેલ છે તેમાં સફળતા મળી નથી. સ્વછંદને રોકવો ઘણો મુશ્કેલ છે. મને ગમશે તે જ કરીશ, પણ વાસ્તવિક શું છે તેનો વિચાર કરતો નથી, માટે સ્વછંદી છે. પરિભ્રમણનું કારણ સ્વછંદ જ છે. સ્વછંદે ક્રિયાઓ કરવી, સ્વછંદ શાસ્ત્રો વાંચવા, વાંચીને શુષ્કજ્ઞાની બની બેસવું, આ મોક્ષનું સાધન નથી પણ સંસારનું કારણ છે, સ્વચ્છેદ હેય છે, છોડવા લાયક છે. સ્વચ્છંદ રોકયા પછી જ સમ્યક પ્રકારે સાધનાની શરૂઆત થાય. પરમકૃપાળુ દેવ કહે છે પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વછંદ રોકાય છે. બીજા ઉપાયો કરવા જતાં તે બમણો થશે. ગાથા - ૧૬ સગુરુ યોગ યોગ એટલે પ્રાપ્તિ. મળવું એક વાત અને યોગ થવો બીજી વાત. પ્રાપ્તિ અથવા યોગ એટલે સદ્ગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન, ટ્યુનીંગ થઈ જવું. સદ્ગુરુની ચેતનામાંથી જે કંપનો, જે ભાવો, જે ઉલ્લાસ આવે છે તે તમામ ભાવો શિષ્યમાં દાખલ થાય, આવું ટ્યુનીંગ તેને કહેવાય છે યોગ. આવો યોગ પ્રાપ્ત થાય તો જસ્વછંદ રોકાય. સ્વછંદ રોકનાર પરિબળ માત્ર સદ્ગુરુ સાથે ટ્યુનીંગ થવું, યોગ થવો. ગાથા - ૧૦ સમકિત - સમ્યગદર્શન. દર્શનમોહનો ઉપશમ અથવા ક્ષયોપશમ થતાં જેનિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યતત્ત્વ, પરમતત્ત્વ અથવા શુદ્ધાત્માની અનુભૂતિ થાય તેને જ્ઞાની પુરુષો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492