Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ (ગતાંક પ૪ ૧૦૩થી ચાલુ). દેવગિરિ અને સહજ શેઠ. ઉપર જે સાહુ સહજાએ બંધાવેલા જિનમંદિરને જિનપ્રભસૂરિએ શાહી ફરમાન બતાવીને મુસલમાનથી કરાતા વિનાશથી બચાવી લીધું તે સાહુ સહજા શત્રુ જય તીર્થ ઉપર સં. ૧૩૧માં (મહા સુદ ૧૪ને દિવસે) ૧૫,મો ઉદ્ધાર કરાવનાર સંઘપતિ સમરસિંહ 1 આ ઉદ્ધારના સંબંધમાં નીચેની હકીકત અનુસંધાનમાં લેવા જેવી છે–વિ. સં. ૧૦૮માં મધુમતી(મહુવા)ના વતની જાવડશ હે ભગવાન સ્વામીના હાથે જે આદીશ્વર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી તેના મતકને સં. ૧૭૬૯માં ૧૪મી સદીના મહા અ યાચારી બાદશાહ અલાઉદીન અનીતા સૈનિકોએ ઉરદ કરી નાખ્યા હતા, અને સં. ૧:૧૩માં ઉદાયનમંત્રીને પુત્ર બાહડમત્રીએ બે દાહ, સત્તા લાખ દ્રવ્ય ખચ જે મુખ્ય મંદિર બંધાવ્યું હતું તેના પણ કેટલાક ભાગોના વિનાશ કર્યો હતો. સં. ૧૩૮પમાં રચેલા શત્રુંજયતીર્થક૯૫ વિવિધ તીર્થ કલ્પાન્તર્ગત)માં જિનપ્રભસૂરિજી छ -ही ग्रहर्तुक्रियास्थानसंख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं बिम्बं म्लेच्छैर्भग्नं कलेर्वशात् + ૧૨૬ / હા, હા ! મહાખેદની વાત છે કે, જાવડશાહે સ્થાપેલા બિંબને સં. ૧૭૬૯માં કલિકાલના પ્રભાવથી પ્લે છાએ ભગી નાંખ્યું. ઉપદેશતરંગિણીમાં (પૃ. ૧૭૬, ૧૩૭) કહ્યું છે કે, દિલ્લીથી ૧ લાખ એંશી હજારની મુસલમાન ફોજ સૌરાષ્ટ્રમાં આવી હતી, અને તેણે જાવડશાહે સ્થાપેલી પ્રતિમાને ભંગ કર્યો હતે. આ દુઃખદ અને ભયાનક ઘટનાથી ભારતવર્ષના સમગ્ર જૈનસંધમાં હાહાકાર વ્યાપી ગયો હતો અને જૈનોના પ્રાણસમાન આ સર્વશ્રેષ્ઠ તીર્થને વિનાશ થવાથી આખો સંઘ શોકસાગરમાં ડૂબી ગયે હતા. બરાબર આ અવસરે જ જિનશાસનરૂપી વનમાં સમર નામનો સિંહ પ્રગટ થયું કે જેણે પિતાના બુદ્ધિ-પરાક્રમથી અતિવિષમ સમજમાં પરમતારક શત્રુંજય તીર્થાધિરાજને ઉદ્ધાર કર્યો. સમરસિંહ ઉપર સુલતાનની ઘણી પ્રીતિ હતી, તેથી તેનો લાભ ઉઠાવવા તેણે નિર્ણય કર્યો. અને જેના દર્શન માત્રથી જીવન ધન્ય બને છે તે તીયને ઉદ્ધાર કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી. સુલતાનને પ્રસન્ન કરીને ફરીથી તીર્થસ્થાપના માટે મંજૂરી મેળવી લીધી. વસ્તુપાલ મંત્રીએ ભવિષ્યમાં લેખોથી તીર્થના ભંગની સંભાવનાથી નવડશાહે જે મમ્માણિખાણના પાષાણથી પ્રતિમા કરાવી હતી તે જ ખાણમાંથી બે મટી શ્રેષ્ઠ ફલહી( શિલા) લાવીને ભોંયરામાં રાખી હતી કે કદાચ ભવિષ્યમાં મૂર્તિનો ભંગ થાય છે તેમાંથી યુગાદિદેવ શ્રી આદિનાથ અને શ્રી પુંડરીકવામીની પ્રતિમા ભરાવી શકાય. સમરસિંહે આ પાષાણુની મૂર્તિ ભરાવવા વિચાર કર્યો, પરંતુ “વિષમ કાલમાં આવી શ્રેષ્ઠ ફલહીને ઉપયોગ કરવામાં જોખમ છે' એમ માનીને સંધે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 29