Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 11
________________ 11 પ્રકરણ-૫ અષ્ટાવક્ર કહે છે-કે તારો કશાની ય સાથે “સંગ” નથી, --તું શુદ્ધ (આત્મા) છે, તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે? --આ પ્રમાણે “દેહાભિમાન” નો નાશ કરી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૧) સમુદ્ર માં જેમ (ફેણ થી પાણી નો પરપોટો ઉદય પામે છે પેદા થાય છે, તેમ, --તારામાંથી તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે, --આત્મા ને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૨) અવ્યક્ત માંથી વ્યક્ત બનેલું જગત, પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક ( મિથ્યા) હોઈ, --તે જગત દોરડામાં દેખાતા સર્પ ની જેમ તારા નિર્મલ આત્મા માં છે જ નહિ, --આથી તું (જગત ના વિચારો છોડી ને) “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૩) સુખ-દુઃખ ને સરખાં ગણી,આશા-નિરાશા ને સમાન ગણી,તેમજ --જીવન અને મરણ ને પણ સરખાં ગણી ને, --પૂર્ણતા ને પ્રાપ્ત કરી ને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૪) પ્રકરણ-૫-સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36