Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 18
________________ પ્રકરણ-૧૨ જનક કહે છે કે પહેલાં શારીરિક (કાયિક) કર્મો નો,પછી વાણી ના કર્મો નો (વાચિક) અને તેના પછી, --માનસિક કર્મો નો ત્યાગ કરી, હવે હું સ્થિત (સ્થિર) છું. (૧) શબ્દ વગેરે વિષયો માં આસક્તિ ના અભાવ થી (વિષયો પ્રત્યે અનાસક્ત) અને, --આત્મા તો અદૃશ્ય (જોઈ ના શકાય તેવો) હોવાથી, --કદીક “વિક્ષેપ” તો “એકાગ્ર” હૃદય વાળી સ્થિતિ માં સ્થિત (સ્થિર) છું. (2) “વિક્ષેપ” દશામાં રહેલા ને માટે સમ્યક અભ્યાસ કરી “ સમાધિ” સુધી પહોંચવાનો નિયમ છે, --અને “સમાધિ” દશા માં રહેનારા માટે પણ ઉલ્ટા નિયમ- વ્યવહારો છે,તે નિયમો જોઈ ને, --(હું તો) આત્માનંદમાં (નિજાનંદમાં) સ્થિત (સ્થિર) છું. (3) ત્યાજ્ય (ત્યાગવાનું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનું) –હવે રહ્યું નથી, --તેથી “હર્ષ” અને “શોક” ના અભાવ વાળી સ્થિતિ માં સ્થિત (સ્થિર) છું. (૪) આશ્રમ માં રહેવું કે આશ્રમ થી પર થવું, ધ્યાન કરવું કે ધ્યાન ના કરવું, મન ને માનવું કે ના માનવું, --વગેરે વાતો માં માત્ર “હું” જ વિકલ્પ (મારી મરજી અનુસાર) આપું, એમ સ્થિત (સ્થિર) છું. (૫) જેમ કર્મ કરવાં એ અજ્ઞાન નું કાર્ય છે,તેમ કર્મ ના કરવાં તે પણ અજ્ઞાન નું કાર્ય છે, --આ “તત્વ” ને જાણી લઇ “હું” સ્થિત (સ્થિર) છું (૬) અચિંત્ય (બ્રહ્મ) નું ચિંતન કરનારો પણ “ચિંતન-રૂપ” થાય છે, એ સમજી ને, --તે “અચિંત્ય” (બ્રહ્મ) નું ચિંતન છોડી ને સ્થિત (સ્થિર) છું. (૭) જેણે આ પ્રમાણે સ્થિરતા ની સ્થિતિ કરી છે,તે કૃતકૃત્ય થયા છે, અને --જેનો આવી સ્થિરતા નો “સ્વ-ભાવ” બન્યો છે તે પણ કૃતકૃત્ય જ છે. પ્રકરણ-૧૨-સમાપ્ત (૮) 18

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36