Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 14
________________ પ્રકરણ-૮ અષ્ટાવક્ર કહે છે કે જયારે ચિત્ત (મન) કાંઇ-- ઈચ્છે—કે—શોક-- કરે, --કાંઇ—છોડી–દે--કે –કાંઇ–ગ્રહણ—કરે, --કાંઇ—હર્ષ—કરે—કે—કોપ (ગુસ્સે) –કરે, ત્યારે જ “બંધન” થાય છે. (૧) જયારે ચિત્ત ઈચ્છા કરતુ નથી, શોક કરતુ નથી, --છોડી દેતું નથી કે ગ્રહણ કરતુ નથી, --હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું, ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨) જયારે ચિત્ત કોઈ પણ દૃષ્ટિ થી (નજરથી) વિષયો માં “આસક્ત થઇ જાય છે, --ત્યારે “બંધન” થાય છે, અને --જયારે ચિત્ત બધીય દષ્ટિ થી વિષયોમાં “અનાસક્ત” થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે. (૩) જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ છે, અને, --અહમ (દેહાભિમાન) છે, ત્યારે “બંધન” છે, --એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ. (૪) પ્રકરણ-૮-સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36