________________
પ્રકરણ-૮
અષ્ટાવક્ર કહે છે કે
જયારે ચિત્ત (મન) કાંઇ-- ઈચ્છે—કે—શોક-- કરે,
--કાંઇ—છોડી–દે--કે –કાંઇ–ગ્રહણ—કરે, --કાંઇ—હર્ષ—કરે—કે—કોપ (ગુસ્સે) –કરે, ત્યારે જ “બંધન” થાય છે. (૧)
જયારે ચિત્ત ઈચ્છા કરતુ નથી, શોક કરતુ નથી,
--છોડી દેતું નથી કે ગ્રહણ કરતુ નથી, --હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું, ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨)
જયારે ચિત્ત કોઈ પણ દૃષ્ટિ થી (નજરથી) વિષયો માં “આસક્ત થઇ જાય છે,
--ત્યારે “બંધન” થાય છે, અને --જયારે ચિત્ત બધીય દષ્ટિ થી વિષયોમાં “અનાસક્ત” થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે. (૩)
જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ છે, અને,
--અહમ (દેહાભિમાન) છે, ત્યારે “બંધન” છે, --એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ.
(૪)
પ્રકરણ-૮-સમાપ્ત