________________
૩૨
.
અષ્ટાવક્ર ગીતા.
વસ્તુમાંથી બીજી વસ્તુની ઉત્પત્તિ તેનું નામ આરંભવાદ. જેમકે-અન્ય વસ્તુ તંતુ તેમાંથી અન્ય વસ્તુ ભિન્ન કપડાંની ઉત્પત્તિ થાય છે, તેમ એક જાતના પરમાણુથી બીજી અને ત્રીજી જાતની વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેમ આ જગત ઉત્પન્ન થયેલું છે. આમ દર્શનશાસ્ત્રવાળા જુદા જુદા મત આપે છે ત્યારે વેદાંત વિવર્તવાદને આગળ મૂકે છે અને એમ માને છે કે એકની એક વસ્તુ પિતાની પૂર્વ સ્થિતિમાંથી બીજી અવસ્થા લઈને પ્રતીત થાય, તે વિવર્તવાદ કહેવાય; જેમ દેરડી મૂળ વસ્તુ છે તેમાં સર્પ દેખાય છે તેમ. અર્થાત વસ્તુ તે એકજ છે, પરંતુ તેમાં બીજી વસ્તુને ભ્રમ થાય છે, આનું નામ વિવર્તવાદ. આ પ્રમાણે આદિ વસ્તુ પરબ્રહ્મ છે પરંતુ અજ્ઞાનને લીધે તેમાં જગતની ભ્રાંતિ થઈ જાય છે; વસ્તુતઃ બ્રહ્મ તે એની એક ને એકજ અવસ્થામાં રહે છે પણ અવિદ્યાને લીધે તેમાં નાના મેદવાળું વિશ્વ અજ્ઞાનીઓને દેખાય છે.
વિવર્તવાદને અનુસરીને કુંડળ અને ઘટને અનુક્રમે સુવર્ણ અને મૃતિકાના વિવર્તરૂપ માનવામાં આવે છે, પણ દોરીમાં સર્પની ભ્રાંતિની માફક આ દષ્ટાંત ઘટતું નથી. કૃતિકામાં ઘટની બ્રાંતિ અસંભવિત છે, જો કે ઘટમાં કૃતિકા છે એમ કહેવાય. જગત બ્રહ્મમાં વિલીન થાય છે. તે તેની ભ્રાંતિરૂપ હોવાથી થાય છે. ઘડાની માફક અન્ય સ્વરૂપ જગત ગણાય નહિ. આ રીતે જનક રાજા વેદાંતના વિવર્તવાદને અનુસરી પિતાના અજ્ઞાનથી જગતને અને જ્ઞાનથી તેને પિતામાંજ ભળતું સમજી આનંદ પામવા લાગ્યા.
अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे। ब्रह्मादिस्तंभपर्यतं जगमाशेपि तिष्ठतः ॥ ११ ॥
અર્થ. જેને વિનાશ નથી એવા મને (આત્માને) નમરકાર છે, કે જે હું(આત્મા) બ્રહમાથી માંડીને તૃણ લગી (સર્વને) જગતને નાશ થતાં પણ જે ને તે રહું છું. ૧૧