________________
અષ્ટાવક્ર ગીતા. તે અભેદ બતાવે છે. જેમ કે–સામાજિક અચકા જ અને તરત એટલે—બ્રહ્મ હુંજ છું. આ આત્મા બ્રહ્મ છે અને તે તું જ છે. બીજાં બ્રહ્મસ્વરૂપને બતાવનારાં વાક્ય છે તે અવાન્તરવાય કહેવાય છે. જેમ કે-વાં જલ ત્રણ. સત્ય, જ્ઞાન અનંત બ્રહ્મ છે. જેણે બ્રહ્મય સાંપ્યું છે તેને કોઈ વસ્તુ પિતાથી જુદી જણાતી નથી એટલે મુકિતની પણ તેને ચિંતા થતી નથી.
अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥११॥
અર્થ. જેનું અંતર સંકલ્પ રહિત છે, અને બહારથી (ઉપર ઉપરથી) જે સ્વછંદે ચાલતે જણાય છે, એવા બ્રાંતની તેવી તેવી દશા–વર્તનાવસ્થાઓને તેના જેવી બ્રાંત દશાવાળા જ જાણે છે–સમજે છે, બીજાથી તેનાં સ્વછંદ વર્તન સમજાતાં નથી.
ટીકા. જે બ્રહ્મજ્ઞાની અંતઃકરણથી સર્વ વિકલ્પો રહિત હોય છે તે બ્રાંત-ઉન્મત્તની માફક સ્વચ્છેદે ચાલે એટલે વર્તે છે. એ એનો સ્વેચ્છાચાર-વિહાર અંતઃકરણમાં સ્કૂલે હતો નથી; પરંતુ પ્રાપ્ત પ્રસંગને આભારી હોય છે. અર્થાત ઉપર ઉપરનો–વિકાર રહિત હોય છે, એની ઈચ્છાનો હોતો નથી, પણ શરીરન્દ્રિયની સ્વભાવગત પ્રેરણુને હોય છે, તેથી બાધક ગણાતો નથી. જ્ઞાની–બ્રહ્મજ્ઞાનીને આવા સ્વેચ્છાચાર જે તેના જેવો જ્ઞાની હોય તે જ સમજે છે, પ્રાકૃત માણસો સમજતાં નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां तत्त्वविचारणानाम
सप्तमोऽध्यायः समाप्त ॥