________________
સુધી અમારી સાથે જ રહ્યા. પૂ. કાન્તામાસીનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ અને પરગજુ હતો.તેમને કોઈ સંતાન ન હતું પરંતુ અમોને જ સંતાન માની ખૂબ જ સારી રીતે ઉછેરવામાં સદ્દભાગી બન્યા હતા. ધર્મનિષ્ઠ માસીબાએ અમને સુસંસ્કારનો વારસો આપ્યો હતો. અમારા પૂ. બા તથા પૂ. માસીબા બંનેનો કંઠ ખૂબ સુરીલો હતો. અમારા ગામમાં પ્રભુનાં સ્તવનો, સર્જાયો ખૂબ જ ભાવથી બધાને સંભળાવતા હતા. પૂ. બા. પૂ. બાપુજી અને પૂ. માસીબાનાં અમે ખૂબ જ ઋણી છીએ.
તે સૌનું ઋણ અમે આ જન્મમાં ઉતારી શકીએ તેમ નથી. આવા માતા-પિતાની છત્રછાયા આજે અમારી ઉપર નથી, પરંતુ તેમને આપેલા આ ધર્મ-સંસ્કારની છાયાથી જ આ વિષમકાળમાં સારી રીતે જીવી રહ્યા છીએ તે કેમ ભૂલાય ? તેઓને એકપણ દિવસ અમે ભૂલી શક્યા નથી. જન્મ લેવા પડે ત્યાં સુધી આવી અમૃત છાયા મળે તેવી અભ્યર્થના. ઘણાં જ સમયથી તેઓની સ્મૃતિમાં કોઈ પુસ્તક છપાવવાની ઇચ્છા હતી અને તે આજે સાકાર થઈ રહી છે.
આ પુસ્તક અમે પૂ. પિતાશ્રી, પૂ. માતુશ્રી અને પૂ. માસીબાનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ અને અંતરમાં અનેરો આનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તક આપ સૌને ભેટ ધરી મંગલમય-કલ્યાણકારી અને આધ્યાત્મિક માર્ગે અજવાળા પાથરનાર બની રહે તેવી અમે ભાવના ભાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ.
આ શુભકામમાં પૂ. સુનંદાબહેને અમને ખૂબ જ મહેનત કરી સહયોગ આપ્યો છે. તે માટે અમે પૂ. બહેનનાં ખૂબ જ ઋણી છીએ.
લિ. આપનો પરિવાર ભારતી હિમાંશુ શાહ પારસ સોનમ
26 Old Homestead Road, Searingtown new york 11507 U.S.A.
Tel : 516 294 7323
પરિવાર મંજુલાબહેન પુરુષોત્તમદાસ રમેશભાઈ પુરુષોત્તમદાસ અજિતભાઈ પુરુષોત્તમદાસ ચંદ્રકાન્તભાઈ પુરુષોત્તમદાસ મનુભાઈ પુરુષોત્તમદાસ ભારતીબહેન પુરુષોત્તમદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org