Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 11
________________ સુધી અમારી સાથે જ રહ્યા. પૂ. કાન્તામાસીનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ અને પરગજુ હતો.તેમને કોઈ સંતાન ન હતું પરંતુ અમોને જ સંતાન માની ખૂબ જ સારી રીતે ઉછેરવામાં સદ્દભાગી બન્યા હતા. ધર્મનિષ્ઠ માસીબાએ અમને સુસંસ્કારનો વારસો આપ્યો હતો. અમારા પૂ. બા તથા પૂ. માસીબા બંનેનો કંઠ ખૂબ સુરીલો હતો. અમારા ગામમાં પ્રભુનાં સ્તવનો, સર્જાયો ખૂબ જ ભાવથી બધાને સંભળાવતા હતા. પૂ. બા. પૂ. બાપુજી અને પૂ. માસીબાનાં અમે ખૂબ જ ઋણી છીએ. તે સૌનું ઋણ અમે આ જન્મમાં ઉતારી શકીએ તેમ નથી. આવા માતા-પિતાની છત્રછાયા આજે અમારી ઉપર નથી, પરંતુ તેમને આપેલા આ ધર્મ-સંસ્કારની છાયાથી જ આ વિષમકાળમાં સારી રીતે જીવી રહ્યા છીએ તે કેમ ભૂલાય ? તેઓને એકપણ દિવસ અમે ભૂલી શક્યા નથી. જન્મ લેવા પડે ત્યાં સુધી આવી અમૃત છાયા મળે તેવી અભ્યર્થના. ઘણાં જ સમયથી તેઓની સ્મૃતિમાં કોઈ પુસ્તક છપાવવાની ઇચ્છા હતી અને તે આજે સાકાર થઈ રહી છે. આ પુસ્તક અમે પૂ. પિતાશ્રી, પૂ. માતુશ્રી અને પૂ. માસીબાનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ અને અંતરમાં અનેરો આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તક આપ સૌને ભેટ ધરી મંગલમય-કલ્યાણકારી અને આધ્યાત્મિક માર્ગે અજવાળા પાથરનાર બની રહે તેવી અમે ભાવના ભાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. આ શુભકામમાં પૂ. સુનંદાબહેને અમને ખૂબ જ મહેનત કરી સહયોગ આપ્યો છે. તે માટે અમે પૂ. બહેનનાં ખૂબ જ ઋણી છીએ. લિ. આપનો પરિવાર ભારતી હિમાંશુ શાહ પારસ સોનમ 26 Old Homestead Road, Searingtown new york 11507 U.S.A. Tel : 516 294 7323 પરિવાર મંજુલાબહેન પુરુષોત્તમદાસ રમેશભાઈ પુરુષોત્તમદાસ અજિતભાઈ પુરુષોત્તમદાસ ચંદ્રકાન્તભાઈ પુરુષોત્તમદાસ મનુભાઈ પુરુષોત્તમદાસ ભારતીબહેન પુરુષોત્તમદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 282