Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ૧૩ અધ્યયન-૭ (અધ્યયન-૩-વંદન) [૧૦] શિષ્ય કહે છે) હે ક્ષમા (આદિ દશવિધ ધર્મથી યુક્ત) શ્રમણ (હે ગુરુદેવ !) આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત નિર્વિકારી અને નિષ્પાપ પ્રાણાતિપાત આદિ પાપકારી પ્રવૃત્તિ રહિત કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં (અથતુ સાડા ત્રણ હાથ અવગ્રહ રૂપ મયદાની અંદર) નજીક આવવાની પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપો. નિસીહી (એટલે સર્વ અશુભ વ્યાપારોના ત્યાગપૂર્વક) (એ શબ્દ બોલી અવગ્રહમાં પ્રવેશ કરીને પછી શિષ્ય બોલે) અધોકાય એટલે કે આપણા ચરણને હું મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અલ્પગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતિત થયો છે? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઇન્દ્રિયો અને કષાયો ઉપઘાત રહિત વર્તે છે ? હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું ખમાઉં છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. (એમ બોલી શિષ્ય અવગ્રહની. બહાર નીકળે છે.) દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલી આસાતના વડે, ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે, સર્વકાળ સંબંધી-સર્વ પ્રકારના મિથ્યા ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણની લીધે થયેલી આશાતના વડે જે કોઈ અતિચાર થયો હોય તેનાથી એ ક્ષમાશ્રમણ હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગહ છું. અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મ પર્યાયોનો ત્યાગ કરું છું. ત્રીજા અધ્યયનની મુનિદીપરના સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪-પ્રતિકમણ) [૧૦-૧] (નમસ્કાર મંત્રની) વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ ૧ મુજબ જાણવી. [૧૧] કરેમિ ભંતે - વ્યાખ્યા - પૂર્વ સૂત્રઃ ૨ મુજબ જાણવી. [૧૨] મંગલ-એટલે સંસારથી મને પાર ઉતારે તે અથવા જેનાથી હિતની પ્રાપ્તી થાય તે અથવા જે ધર્મને આપે તે (આવા “મંગલ’ - ચાર છે.) અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલ છે. (અહીં અને હવે પછી સૂત્રઃ ૧૩, ૧૪ માં “સાધુ' શબ્દના અર્થમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, આદિ સર્વને સમજી લેવા. તેમજ કેવલી પ્રરૂપિત ધર્મથી શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ બંનેનો સમાવેશ જાણવો. [૧૩] ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ભાવલોકમાં ચારને ઉત્તમ કહ્યા છે. અહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ અહંતોને સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય છે. અર્થાત્ તેઓ શુભ ઔદયિક ભાવમાં વર્તે છે. આમ તે ભાવલોકમાં ઉત્તમ છે. સિદ્ધો ચૌદ રાજલોકને અંતે મસ્તકે બિરાજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 396