________________ 264 श्रीचतुःशरणप्रकीर्णकम् नामगोत्रभेदभिन्नस्यैवोपदेशाद् भावजिनादतिव्यवहितपर्यायस्य मरीचे व्यजिनत्वमेव कथं युक्तमिति चेत् ? सत्यम्, आयुःकर्मघटितस्य द्रव्यत्वस्यैकमविकादेर्मेदनियतत्वेऽपि फलीभूतभावार्हत्पदजननयोग्यतारूपस्य प्रस्थकादिदृष्टान्तेन दूरेऽपि नैगमनयाभिप्रायेणाश्रयणात्। योग्यताविशेषे च ज्ञानिवचनादिनावगते दोषमुपेक्ष्यापि तेषां वन्दनवैयावृत्त्यादिव्यवहारः संगच्छते / अत एवातिमुक्तकवीरचनाद्भाविभद्रतामवगम्य स्थविरव्रतस्खलितमुपेक्ष्याग्लान्या वैयावृत्त्यं निर्ममे / ટીકાર્ચ - અથ વ્યસ્થાશ્રયેત્ પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, દ્રવ્યત્વનું અનુયોગ દ્વારસૂત્રમાં દ્રવ્યસંખ્યાદિના અધિકારમાં એકભવિક, બઢાયુષ્ક અને અભિમુખનામગોત્રના ભેદથી ભિન્નનો ઉપદેશ હોવાથી, ભાવજિનથી અતિવ્યવહિત અતિવ્યવધાનવાળો=અતિદૂર, પર્યાય છે. જેનો એવા મરીચિને, દ્રવ્યજિનપણું જ કઈ રીતે યુક્ત છે? તેનો સિદ્ધાંતકાર જવાબ આપે છે કે, તારી વાત સાચી છે, (અનુયોગવારસૂત્રના કથન પ્રમાણે મરીચિના ભવમાં દ્રવ્ય જિનપણું કહી શકાય નહિ, પરંત) આયુષ્યકર્મઘટિત એવા દ્રવ્યત્વનું, એકભવિકાદિ ભેદથી નિયતપણું હોવા છતાં પણ, ફળીભૂત એવા ભાવઅહતુપદ-જનનયોગ્યતારૂપ દ્રવ્યત્વનું, પ્રસ્થાદિ દષ્ટાંત વડે દૂરમાં પણ નૈગમનયના અભિપ્રાયથી આશ્રણ થાય છે. વિશેષાર્થ : અનુયોગદ્વારસૂત્રમાં દ્રવ્ય-સંખ્યાદિ અધિકારો છે, ત્યાં દ્રવ્ય કોને કહેવાય એ કથનમાં ત્રણ પ્રકારના દ્રવ્યનું કથન કર્યું છે. (1) એકભવિક, (2) બદ્ધાયુષ્ક અને (3) અભિમુખનામ ગોત્ર અને તે ત્રણે દ્રવ્યતીર્થંકરમાં આ રીતે પ્રાપ્ત થાય છે - ભગવાન જે ભવમાં તીર્થકર થવાના હોય એના પૂર્વભવમાં જે દેવ કે નરકભવમાંથી આવે છે તે દેવ કે નરકભવમાં, તે તીર્થંકરનો જીવ છે તે એકભવિક દ્રવ્યતીર્થકર છે, અને તે ભવમાં જ્યારે ચરમભવનું આયુષ્ય બાંધે ત્યારે તે બદ્ધાયુષ્ક દ્રવ્યતીર્થકર કહેવાય છે, અને છેલ્લા ભવમાં ભાવતીર્થંકર થવાને અભિમુખ-પરિણામવાળો હોય ત્યારે એક અંતર્મુહૂર્ત પહેલાં અભિમુખનામગોત્રરૂપ દ્રવ્યતીર્થકર કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય છે, તીર્થંકરભવના પૂર્વભવમાં આયુષ્ય બાંધ્યા પૂર્વે એકભવિક દ્રવ્યતીર્થકર છે, ચરમભવનું આયુષ્ય બાંધે ત્યારથી માંડીને કેવલજ્ઞાનની પ્રાપ્તિના અંતર્મુહૂર્ત પહેલાં સુધી બદ્ધાયુષ્ક દ્રવ્યતીર્થકંર છે, અને ભાવતીર્થંકર થવાના અંતર્મુહૂર્ત પહેલાં તીર્થંકરનામકર્મને અભિમુખનામગોત્રવાળા તે દ્રવ્યતીર્થકર છે, આ ત્રણને જ ત્યાં દ્રવ્યરૂપે સ્વીકારેલ હોવાથી, તેના પૂર્વના ભવમાં તે દ્રવ્યતીર્થકર કહી શકાય