Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ રતિવાકય ચૂલિકા ૧૫૩ ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિનું નરક સમાન અત્યંત દુઃખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ ત્યાગ માર્ગમાં આનંદપૂર્વક રહેવું ઘટે. નોંધ- ત્યાગથી પ્રાપ્ત થતું આધ્યાત્મિક સુખ છે તે અનુપમ સુખ છે. તેની તુલના સ્વર્ગીય સુખ સાથે ન જ કરી શકાય. પરંતુ અહીં તો જેમ મનુષ્યજીવન કરતાં દેવજીવન ઉત્કૃષ્ટ છે તેમ ગૃહસ્થજીવન કરતાં ત્યાગી જીવન ઉત્કૃષ્ટ છે અને માનવજીવન કરતાં નરકજીવન નિકૃષ્ટ છે તેમ આદર્શ જીવન કરતાં પતિત ગૃહજીવન નિકૃષ્ટ છે તે બતાવવા પૂરતું ઉપરનું ઉપમાવાય છે. [૧૨] ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત થયેલા દુર્દશ્ય મુનિનો; અલ્પ તેજ થઈ ઠરી ગયેલા યજ્ઞના અગ્નિ અને ભયંકર ઝેરી છતાં ડાઢ ખેંચી લીધેલા સર્પની માફક, દુરાચારીઓ પણ તિરસ્કાર કરે છે. | નેધ–સર્પનું ઝેર ઠાલવવાનું સાધન ગયા પછી તેને બાળકો પણ સતાવે છે, યજ્ઞનો અગ્નિ પવિત્ર મનાય છે છતાં તેજ ગયા પછી તેની કશી કિમત રહેતી નથી અને દેહમાંથી ચેતન ગયા પછી તે દેહની કિંમત પણ રહેતી નથી તેમ સાધુધર્મરૂપ આત્મા ગયા પછી તે સાધક નિચેત બની જાય છે તેથી તેની દશા એક હલકા વર્તનવાળા ગૃહસ્થ કરતાં પણ ઘણુંપાત્ર બની જાય છે. [૧] ધર્મથી પતિત થયેલા અધર્મને સેવનારા અને પિતાના વ્રત નિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુને આ લેકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધર્મ, અપયશ અને હલકાં માણસોમાં પણ નિદા ઇત્યાદિ ગેરલાભ થાય છે. અને જીવનના અંતે પરલોકમાં પણ અધર્મના ફળસ્વરૂપે તેને અધમગતિ મળે છે. [૧૪] જે સાધક બેદરકાર (દુષ્ટ) ચિત્તના વેગને વશ થઈ ભાગોને ભેગવવા સારુ તે તે પ્રકારના અસંયમ (સંયમથી વિરૂદ્ધ વર્તન- ને આચરીને જેની કલ્પના ન કરી શકાય તેવી દુખદ (નરક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202