Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ ¥¢ * દશા-૭ ‘ભિક્ષુ પ્રતિમા' • આ દસાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે, જે રીતે આ પૂર્વેની દસામાં શ્રાવક-શ્રમણોપાસની ૧૧ પ્રતિમાઓનું નિરૂપણ કરેલ છે. તેમ આ દસામાં ભિક્ષુ અર્થાત્ શ્રમણ કે સાધુની ૧૨ પ્રતિમાઓનું સૂત્રકારશ્રી નિરૂપણ ી રહેલાં છે. અહીં પણ ‘પ્રતિમા’ શબ્દનો અર્થ ‘વિશિષ્ટ પ્રકરના આચારયુક્ત પ્રતિજ્ઞા' એ પ્રમાણે જ સમજવો. [૪૮] હે આયુષ્યમાન ! તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલું છે કે – આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષુપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષુપ્રતિમા કઈ કહી છે ? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી વ્હેલી બાર ભિક્ષુ પ્રતિમા આ પ્રમાણે છે (૧) એક્માસિકી, (૨) દ્વિમાસિકી, (૪) ત્રિમાસિકી, (૪) ચતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) છમાસિકી, (૭) સાતમાસિકી, (૮) પહેલી સાત અહોરાત્રિડી, (૯) બીજી સાત અહોરાત્રિકી, (૧૦) ત્રીજી સાત અહોરાત્રિકી (૧૧) અહોરાત્રિકી (૧૨) એક રાત્રિકી. [૪૯] માસિકી ભિક્ષુપ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ, મનુષ્ય ફે તિર્યંચ સંબંધી જે કાંઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અહીંન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતાપૂર્વક તેનો સામનો કરે છે. ૧૬૩ માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું Ò. [દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણીનો દાતા આપે તે.] આ દત્તિ પણ અજ્ઞાત કુળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, પણ, ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ કરવી ક્શે છે. વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી સ્પે. પણ બે, ત્રણ, ચાર, પાંચ, વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી ન Ò. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળકને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર પાણીની દત્તિ લેવી ન પે. જેના બંને પગ ડેલી ઉંબરાની બહાર હોય કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન Ò, પણ એક પગ અંદર ને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું Ò. પણ જો તે દેવા ન ઇચ્છતી હોય તો તેના હાથે લેવું ક્શે નહીં. ન માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલા સાધુને આહાર લાવવા માટેના ત્રણ સમય મધ્યાહ્ન અને (૩) અંતિમ -- ઝ્યા છે (૧) આદિ દિવસનો પહેલા ભાગ, (૨) મધ્યે દિવસનો અંતિમ ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68