Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૦/૧૦૫
આ રીતે પુરૂષનું જીવન દુઃખમય છે. પરંતુ તેના કરતાં સ્ત્રીનું જીવન સુખમય છે.
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ જ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં ઉક્ત સ્ત્રીની જેમ મનુષ્ય સંબંધી શબ્દાદિ કામ ભોગોને ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો !
તે સાધુ નિદાન રે, ક્યાર પછી તે નિદાન શક્ય કરીને તેના આલોચના અને પ્રતિક્રમણ ન કરે.
તેમ ન કરીને જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે.
કાળ ધર્મ પામ્યા પછી તે કોઈ દેવલોકે દેવ થાય.
તે દેવ મોટી ઋદ્ધિવાળો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો થાય છે. ઇત્યાદિ બધું પહેલાં નિદાન માફક જાણવું.
- તે દેવલોક્થી ચ્યવીને તે દેવ બાલિકારૂપે ઉત્પન્ન પણ થાય
– તેવા ઉત્તમ પુરૂષને પત્નીરૂપે પણ અપાય
- તે પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા થાય છે. ઇત્યાદિ બધું જ પૂર્વવત સમજી લેવું.
[આવા નિદાનયુક્ત તેણીને -
(૧) કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાતો મળે છે.
(૨) પરંતુ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી. કેમકે તેણી ધર્મના' શ્રવણને માટે અયોગ્ય છે.
તે ઉત્કટ અભિલાષાવાળી યાવત્ દક્ષિણ દિક્ષાવર્તી નરકે નાફીરૂપે ઉત્પન્ન થાય છે.
તેમજ ભવિષ્યમાં પણ બોધિ દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નીયાણાનું આ પાપરૂપ ફળ છે. તેથી તે વલિપ્રરૂપિત ધર્મને સાંભળી શક્તો નથી.
[આ ત્રીજું નિયાણું વર્ણ
[૧૦૬] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે આ નિર્ણન્ય પ્રવચન સત્ય છે યાવત્ બધાં દુઃખોનો અંત કરે છે.
એવા તે કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ સાધ્વી તત્પર થાય અને સુધા, તૃષા આદિ પરીષહ સહન કરે.
પરંતુ તેમ સહન કરતાં ક્દાચિત કોઈ કામ વાસનાનાનો પ્રબળ ઉદય તેણીને થઈ પણ જાય તો
તે સંયમની ઉંગ્ર સાધના થકી ઉદિત ામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ગથી કોઈ ઉગ્નવંશી કે ભોગવંશી પુરૂષને જુએ છે ઇત્યાદિ બધું પહેલાં નિયાણા માફક જાણવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org