Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ઉત્કટ પુણ્ય બાંધીને આવેલ અપવાદરૂપ તિર્યંચો સિવાય, બાકીનાં સઘળાંય તિર્યંચો અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ જીવનભર કર્યા કરે છે : એ જ કારણે ઉપકારી ટીકાકાર પરમર્ષિ ફરમાવી ગયા કે - ૨૬૪ " क्षुत्तृहिमात्युष्णभयार्दितानां, पराभियोगव्यसनातुराणाम् । अहो ! तिरश्चामतिदुःखितानां, મુલ્લાનુષ? । જિત વાર્ત્તમેત્તમ્ ।। ।।” “અહો ! ક્ષુધા, તૃષા, ઠંડી, અતિ ગરમી અને ભય આદિથી પીડિત અને પરના હુમલારૂપ દુઃખથી આતુર એ જ કારણે અતિ દુઃખિત એવા તિર્યંચોને સુખનો પ્રસંગ એ ખરેખર વાર્તામાત્ર જ છે ! અર્થાત્ એ જીવોને સુખ છે એમ કહેવું અશક્ય છે.” જે જીવોને આપણે અપવાદરૂપ ગણીએ એવા તિર્યંચો પણ સુખી જ છે એમ માની લેવાનું નથી કારણ કે એ જીવોને પણ પરાધીનતા આદિ અમુક દુઃખો તો છે જ. આથી સ્પષ્ટ છે કે પંચેંદ્રિય તિર્યંચોમાં સુખના સંગમની વાતો કરવી એ માત્ર વાતો જ છે પણ વાસ્તવિક નથી. મનુષ્યગતિ પણ દુઃખથી ભરેલી જ છે ઃ નકગતિ અને તિર્યંચગતિને દુઃખથી ભરેલી ફ૨માવ્યા પછી મનુષ્યગતિને પણ ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે - "मनुष्यगतावपि चतुर्द्दशयोनिलक्षा द्वादशकुलकोटीलक्षा:, वेदनास्तु एवम्भूता: “મનુષ્યગતિમાં પણ ચૌદ લાખ યોનિ છે, બાર લાખ કુલકોટિ છે અને વેદનાઓ તો આવા પ્રકારની છે.” 1682 Jain Education International આ પ્રમાણે ફરમાવીને ઉપકારી ટીકાકાર પરમર્ષિ, ‘મનુષ્યગતિ પણ દુઃખથી જ ભરેલી છે' એમ ફરમાવે છે. દુઃખ દુ:ખમાં ફરક જરૂર હોય પણ કોઈ એમ ન સમજી લે કે સંસારમાં એક પણ ગતિ સુખમય છે. જે આત્માઓ, વિષયકષાયને આધીન છે તે આત્માઓને આ સંસારમાં કોઈપણ સ્થળે સુખ નથી એ વસ્તુ સુનિશ્ચિત છે અને એ જ વાત આ ઉપકારી પરમર્ષિ ફ૨માવી રહ્યા છે. સુખ માનનારાઓને આહ્વાન ઃ આ ૫૨મોપકારી, એકાંત પરોપકારની ભાવનાથી : જે લોકો, સંસારમાં For Private & Personal Use Only "1 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306