Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 288
________________ ૨૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -- સભા : ઘણો જ ખરાબ. કૂતરાની જાતને તો ન ખબર પડે પણ માનવી, એમાં પણ આર્ય દેશમાં જન્મેલો, પ્રભુશાસનને પામેલો ગણાતો હોય એમાં જો અધમતા દેખાય તો જરૂર ખટકે. ટુકડા રોટલા માટે દંડા ખાઈ ભાગાભાગ કરનાર કૂતરાની કિંમત પણ શી બળી છે ? પણ મનુષ્યપણામાં પણ આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં જન્મેલાની, પોતાને મહાર્જન તરીકે ઓળખાવનારની, મહાન સુધારકના ઉપનામથી ભૂષિત થયેલાની તથા ઇલ્કાબ પર ઇલ્કાબ ધરનારની દશા જો આવી દાનમાં દીન હોય તો એ કેટલી તિરસ્કારપાત્ર દશા છે ! રૂડારૂપાળો સાધનસંપન્ન શ્રીમાન બળવાન છતાં ભીખ માગે એ કેવો લાગે ? સભા : ઘણો જ વિચિત્ર ! તો આથી સમજો કે મનુષ્યભવ પામીને પણ મોહની મસ્તીમાં પડેલાને સહજ પણ સુખ નથી અને મનુષ્યપણામાં જેઓ સુખી દેખાય છે તે પ્રતાપ મનુષ્યગતિને નથી પણ એમાં આવેલા શ્રી જિનેશ્વરદેવના ધર્મના રંગનો પ્રતાપ છે. ખરે જ સુખ મોહની મસ્તીમાં નથી પણ પ્રભુપ્રણીત ધર્મના રંગમાં છે. પણ આ વાત તો જ સમજાય કે જો સંસાર દુઃખમય સમજાય અને એ જ માટે ઉપકારીઓનો આ પ્રયત્ન છે. વિશેષ હવે પછી – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306