Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 281
________________ 1625 - ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે? - 114 – – ૨૭૭ એવી વિરસ બની જાય છે કે એ અવસ્થા ઉપર આત્માને પોતાને જ અભાવ થઈ જાય છે. જે અવસ્થા ઉપર પોતાને પણ અભાવ થઈ જાય તે અવસ્થા ઉપર અન્યને અભાવ થઈ જાય એ તદ્દન સહજ છે. આત્મા, બાલ્યાવસ્થામાં જેમ માતૃમુખ બની જાય છે અને યુવાવસ્થામાં તરુણીમુખ બની જાય છે તેમ વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બની જાય છે. વળી એ અવસ્થામાં આત્મા પોતાની શિથિલતાના યોગે ચીડિયો બની જાય છે. આથી સ્પષ્ટ છે કે વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. ધર્મભાવ વિના સુખ નથી જ આથી સ્પષ્ટ છે કે મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છે જ નહિ. ધર્મભાવ એ જ મનુષ્યગતિમાં પણ સુખનો દાતા છે. એ સિવાય મનુષ્યપણાની કોઈપણ અવસ્થા સુખરૂપ નથી એ સ્પષ્ટ જ છે, અશુભના ઉદયથી રિબાતા આત્માઓ તો, મનુષ્યપણામાં પણ બાલ્યકાળથી આરંભીને મરતાં સુધી રોગથી રિબાતા અને અનેકના અનેક જાતના પરાભવોથી પીડાતા રહે છે એમાં કશી જ શંકા નથી. અશુભના ઉદયથી મનુષ્યપણામાં પણ આત્મા માટે ઇષ્ટવિયોગાદિકના યોગે શોક આદિના અનેક પ્રસંગો આવી જ પડે છે. અશુભના ઉદયથી ઘેરાઈ ગયેલો આત્મા, મનુષ્યપણામાં પણ સુધા આદિથી અને દુર્ભાગ્ય આદિથી હંમેશાં પરતંત્ર જ બની જાય છે. આ બધા ઉપરથી એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય તેમ છે કે મનુષ્યગતિમાંથી પણ જો એક ધર્મભાવને દૂર કરી દેવામાં આવે તો એ ગતિમાં પણ સુખને અવકાશ નથી. આ બધી જ વસ્તુઓ કલ્યાણના અર્થીએ વિચારવા જેવી છે પણ એ બધો વિચાર થવાનો આધાર સંસારની દુઃખમયતા સમજાય એ ઉપર છે અને એ જ કારણે ઉપકારીઓ સંસારની દુઃખમયતા સમજાવી રહ્યા છે. વધુ વળી હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306