Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ ૨૩૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 238 તમને હું નાથ તરીકે ઇચ્છું છું અને વિનવું છું કે કામથી વિહ્વળ બનેલી મને આપ શાંત કરો.” આ સાંભળી પરમ શીલસંપન્ન શ્રી સુદર્શન વિચારે છે કે – “પડ્યા રોડથસવિસ્થા, કુર્વિવિવિઘેરા વિધિ માટે પણ દુર્વિચિંત્ય એવો આ સ્ત્રીનો પ્રપંચ કેવો? ધિક્કાર છે સ્ત્રીઓને !' આ પ્રમાણે વિચારી તે બુદ્ધિશાળીએ અપેક્ષાપૂર્વક કહ્યું કે “શૂનાં પૂમિઃ શિg, પકોડામપત્તેિ ! મુવા પુરુષવેષા, મલીનાસિ વશ્વિતા | શા" હે અપંડિતે! આ વાત યુવાનો માટે યુક્ત છે, પણ હું તો નપુંસક છું. ફોગટ તું મારા પુરુષવેશથી વંચિત થઈ છે.' આ સાંભળી એકદમ વિરક્ત બની ગયેલી તેણીએ-“જા, જા'-એમ કહીને બારણું ઉઘાડી નાખ્યું અને શ્રી સુદર્શન ચાલી નીકળ્યા. “હું નપુંસક છું'-એમ કહીને સુદર્શન છૂટ્યા અને વાત પણ સાચી હતી, કારણ કે સુદર્શન પરનારી પ્રત્યે તેવા જ હતા. પરનારી પ્રત્યે તેમને કદી વિકારની વાસના જાગે જ નહિ, એવા તે દૃઢ મનોબળવાળા હતા. આ રીતે છૂટ્યા પછી-“થોડા જ પ્રયત્નથી હું નરકના દ્વારમાંથી છૂટ્યો-એમ વિચારતા શ્રી સુદર્શન પોતાના ઘર પ્રતિ પહોંચી ગયા અને સ્ત્રીઓના સ્વરૂપને વિચારતા અને તેઓના તેવા સંસર્ગથી બચી જવાને ઇચ્છતા શ્રી સુદર્શન શેઠે એવો અભિગ્રહ કર્યો કે “રાત: પરંપરદ, વાસ્થમ વરિલેવ: ” “આજથી આરંભીને હવે કોઈ પણ વખત એકલો હું પારકાના ઘરમાં નહિ જાઉં.' વિચારો ! શ્રાવકની એટલે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વર્તતા પુણ્યશાળી આત્માઓની મનોભાવના કેવી હોય છે ? અયોગ્ય સંસર્ગોથી અને પાપમય આચારોથી બચવા માટે તેઓ કેટલા અને કેવા સાવધાન હોય છે ? તે પુણ્યશાળી નિરંતર ધર્મકર્મમાં તત્પર રહેવા સાથે પાપની આચરણાથી દૂર રહે છે, કારણ કે એમનામાં શ્રી જિનશાસનની રસિકતા છે. સુદર્શન અને અભયા રાણી : એક વખત ઇંદ્રમહોત્સવ હતો. રાજા, પુરોહિત તથા સુદર્શન સાથે ઉદ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306