Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ 271 ૨૦ : સમાધિમરણ - 20 શ્રી મૃગાવતીજી : ‘એમ જ.’ શ્રી ચંદનબાલાજી : ‘કયું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?’ શ્રી મૃગાવતીજી : ‘અપ્રતિપાતિ.’ તરત શ્રીમતી ચંદનબાલાજી ઊભાં થઈ જાય છે અને કેવળીની આશાતના કરી તે બદલ ક્ષમા માગે છે : અને ક્ષમાપનામાંથી ભાવનાએ ચડતાં ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન ઉપાર્જે છે. ફરજનું સ્વરૂપ સમજો, ઉદ્વેગને શમાવવાની ફરજ બજાવી તો કેવો લાભ થયો ? આનું નામ ફ૨જ ! સમ્યગ્દષ્ટિ આત્મા, આશ્રિત, વડીલ અને પૂજ્ય પ્રત્યેની ફરજ સમજીને તે મુજબ વર્તે. ફરજ સમજ્યા વિના વેઠની જેમ કામ કરે, એ કાંઈ ફરજનું પાલન નથી. ૨૭૧ માતાપિતા અને સંતાનની પરસ્પર ફરજ શી ? : સમ્યગ્દષ્ટિ એટલે સાચી દષ્ટિવાળો કે દોષ વિનાની દૃષ્ટિવાળો ! ખોટાથી આઘો રહેનાર અને સાચાની નજીક જવાનો પ્રયત્ન કરનાર : તથા ખોટાના ફેંદામાં ફસાયો હોય-ખોટાની જાળમાં જકડાયો હોય, તો પણ ત્યાંથી નીકળવાની ભાવના રાખનાર એ સમ્યગ્દષ્ટિ ! અરે કહો ને, ઘરમાં રહેતો હોય છતાં ઇચ્છા તો છોડવાની જ. આ ભાવના વિના સમ્યક્ત્વની સ્થિતિ ટકી શકતી નથી : સમ્યક્ત્વ સ્થિર બનતું નથી : અને શુદ્ધ પણ થતું નથી. આ ભાવના વિના સમ્યક્ત્વનો વાસ્તવિક અનુભવ થતો નથી. હેય અને ઉપાદેયની ભાવનામાં જોઈતી લીનતા-એકતાનતા થઈ જાય, તો પૌદ્ગલિક પ્રવૃત્તિ એકદમ ઓછી થવા માંડે. દુનિયાના પદાર્થો પ્રત્યે થતી દૃષ્ટિ જો અહીં થાય, તો તરત કામ થઈ જાય. વ્યવહારમાં પણ અનુભવ થાય છે કે દુનિયામાં જે વસ્તુને પોતાની માની, તેના પોષક અને સહાયક પ્રત્યે ભાવ જુદો અને તે વસ્તુ પ્રત્યે વાંકી નજરે જોનાર પ્રત્યે ભાવ જુદો ! આ કોણે કરાવ્યો ? કોઈએ કહ્યું હતું ? તમને માલૂમ પડે કે ‘કોઈ પૈસા લઈ જવા આવવાનો છે’તો તરત પોલીસને ખબર આપો. આ કોણે સમજાવ્યું ? કહો ને કે ‘પૈસાના મોહે સમજાવ્યું.' એ દૃષ્ટિ અહીં થાય તો કાંઈ બાકી રહે ? Jain Education International માતાપિતા, મિત્ર, વડીલ, આશ્રિત-બધા પ્રત્યેની ફરજને સમજી સમ્યગ્દષ્ટિ તે તે મુજબ વર્તે ! ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306