Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
આપણા આચરણમાં પણ પવિત્રતા આવે છે. માનસિક કે શારીરિક સ્વાથ્ય જેમનું સારું હોતું નથી તેમના જ ચારિત્રમાં નિર્બળતા આવે છે. છેલ્લા પાંચ વર્ષોમાં વિત્રાને શોધી આપ્યું છે કે આપણી જિંદગીમાં સુખ અને સફળતાને મહત્ત્વનો આધાર તથા ચારિત્ર અને વ્યક્તિત્ત્વનું નિર્માણ, આપણા શરીરની આંતરિક કાર્યપદ્ધતિ ઉપર આધારિત છે.
વ્યક્તિત્વનો આવિર્ભાવ તથા અભિવ્યક્તિ તો ભૌતિક શરીર દ્વારા જ થાય છે. ચહેરા ઉપરના હાસ્ય વગેરે ભાવો આનંદ, સુખ અને કરુણાદયાની અભિવ્યક્તિ કરે છે અને તેનો વ્યક્તિત્વમાં સમાવેશ થાય છે. સ્વસ્થ શરીર વિના આ બધા ભાવો શક્ય નથી. આ રીતે શાકાહાર એ, સૂક્ષ્મ જીવોથી લઈને વિશાળકાય જીવો તરફ, નિમ્ન કક્ષાના જીવોથી લઈને ઉચ્ચ કક્ષાના ચૈતન્યવાળા જીવો તરફ અને આપણી પોતાની જાત સહિત સંપૂર્ણ સજીવ સૃષ્ટિ તરફ અહોભાવ/પૂજ્યભાવ અભિવ્યક્ત કરવાના ઘણા માર્ગોમાંનો એક માર્ગ