Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વ` ૩૧ મું
'ક મા
સ. ૨૦૪૯
સન ૧૯૯૩
મે
ઉ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસ‘ગજી ખાસ સ્મારક ટ્રસ્ટ-સચાલિત
ve
[તિહાસ-પુરાતત્ત્વનું” એક માત્ર ગુજરાતી માસિક આદ્ય તંત્રી: સ્વ. માનસગજી ભા
ઇતિહાસની આરસીમાં
તંત્રી-મડળ :
ડૉ. કે. કા. શાસ્ત્રી
ડૉ. ના. કે, ભટ્ટી
ડા, સૌ, ભારતીબહેન શેલત
17. યદુ :
પૂરુવંશ કિવા પૌરવેમાં ધૃતરાષ્ટ્ર એક એવી સત્તા છે કે જેના વૈદિક સાહિત્યમાં નિર્દેશ થયેલે છે. આ પછી આપણે યયાતિના ખીન્ન એક પુત્ર ધંદુ' વિશે કાંઈ માહિતી મળતી હોય તા એ જાણવાની પ્રયત્ન કરિયે. હકીકતમાં વૈદિક સાહિત્યમાં મૃદુ' સંજ્ઞા જાણીતી છે. ઋગ્વેદમાં અનેક વાર (1–36– 18, 1-54-6, 15-74-9, 4-33-17, 5 13-8, 6-45-1, 8-4-7, 8-7-18, 8-9-14, 8-105, 8–45–27, 9–61–2, 10–49–8; ખ. વ–મા 1-108–8) માટે ભાગે ‘તુશ' સાથે જોવા મળે છે. યદુએએ સુદાસની સામેના યુદ્ધમાં ભાગ લીધા હતા. આ યુદ્ધમાં યદુએ અને તુશા ભાગી છૂટયા
હતા, જ્યારે અનુએ અને ક્રુ
માર્યા ગયા હતા. આ બધા જ તે તે કુળના રાજવી
હતા એ
આશ્ચર્ય માત્ર એક પુરાણમાં યતિના પાંચ પુત્રો તરીકે અનેક રીતે નિરૂપાયેલા એમાંના એક તરીકેના વૈદિક સાહિત્યના યદુના એકવચને પણ્ યયાતિની પર ંપરામાં ઉલ્લેખ થયે। નથી. પુરણામ એ પાંચે. ચદ્રવ શીય પરંપરામાં બતાવવામાં આવેલા છે. આતાંના દુથી યદુશ’ કિવા વિશાળ ‘યાદવકુલ' મથુરા પ્રદેશમાં નિરૂપાયેલ છે તે પછીથી સૌરાષ્ટ્રમાં દ્વારકાના પ્રદેશમાં વિકસ્યું. 18, દેવકીપુત્ર કૃષ્ણ :
વવંશની સાત્વત શાખાના વૃષ્ણુિના વંશમાં થયેશ વસુદેવની પત્ની દેવકીના પુત્ર તરીકે પુરાણામાં ‘કૃષ્ણ' ખૂબ વ્યાપક છે; પણ વૈદિક સાહિત્યમાં તા છેક છાંદેગ્યાપનિષદમાં જ સુલભ છે (3–17–6). કોષીતિક બ્રાહ્મણ (30-9)માં કૃષ્ણ આંગિરસ' જાણવામાં આવે છે. એ ઋગ્વેદનું એક સૂક્ત (8–85–3, 4)માં એક ઋષિ તરીકે જોવા મળે છે. એના પુત્ર વિશ્વક કે ખુદ કૃષ્ણને એ પછીના 86મા સૂક્તના કર્તા (‘કાòિષ્ણ'') તરીકે જોવા મળે છે. ખીજા બે સસ્તી (1–116 અને 117)માં કાય તરીકે સૂચિત છે. આમાં જોવા મળતું કૃષ્ણ નામ કૌશીક બ્રાહ્મણુનાં ‘કૃષ્ણ આંગિરસ' સાથે એકાત્મક હાય એમ લાગે છે. મઝા એ છે કે છાંદોગ્યોપનિષદમાં ‘કૃષ્ણ દેવકીપુત્ર’એ ધાર આંગિરસ'ના શિષ્ય તરીકે સૂચિત થયેલ છે. યુરાપીય વિદ્વાના—ત્રિયસ ન ગાખે એદર વગેરે વિદ્વાના—આ દેવકીપુત્ર કૃષ્ણ જ દેવત્વ (ઇશ્વરત્વ) પામ્યા એવા મત ધરાવે છે. કૃષ્ણ આંગિરસ' સત્તા ગુરુની આંગિરસ' સંજ્ઞાથી ગુરુ-શિષ્યની પર’પરામાં માત્ર છે કે એ કૃષ્ણ ‘આંગિરસ ગાત્ર’ના હતા. એ એક ગૂંચવણુ વિચાર માંગી લે છે. ઉપનિષદ ‘દેવકીપુત્ર' કહીને યદુ-સાત્વત-વિષ્ણુ કુળના પુરાણમાન્ય અવતારી ભગવાન કૃષ્ણ છે એના કાંઇક અણુસાર આપે છે. પિતાનુ નામ ન હોવાને કારણે સા ટકા નિર્ણાય પર આવી શકાય નહિ, છતાં ‘દેવકીપુત્ર' સંજ્ઞા એવી છે કે આપણને પૌરાણિક ભગવાન કૃષ્ણ સાથે એ એકાત્મકતા સાધવામાં સહાયક બને છે. આ કૃષ્ણ ઉપનિષદમાં અધ્યાપક તરીકે જોવા મળે છે, ખેશક, એક ક્ષત્રિય તરીકે. હકીકતે આ દેવકીપુત્ર કૃષ્ણ ઋગ્વેદના સુક્તકાર કૃણુ તા નથી જ.
—તંત્રી
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5 મું પ્રકરણ વ્યવસાયમાં પડેલા સજેને વિશે, 64 પ્રકરણબે કેસમાં તથા અન્ય તક સેવા આપનાર સજજને વિશે, 7મું પ્રકરણ ટેલિફેન-ધારકે વિશે, 8મું પ્રકરણ ની વિ. કા. સહકારી મંડળીઓ વિશે, ૭ મું પ્રકરણ નવા વાડજના વિદેશના પ્રવાસે છે. ભાઈઓ વિશે અને હું 10મું પ્રક્શણ “વાડજના ભરવાડેની વિશિષ્ટતા' વિશે સામાજિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્ર, વ્યવસાયક્ષેત્ર અને સંગઠનક્ષેત્રે સર કી વધેલી વિશિષ્ટતાએ બે આવી છે. આ ગ્રંથ આમ ઈતિહાસ સાથે સામાજિક વિકાસ મૂર્ત કરી આપે છે. વેખા આ જ અભિનંદનને પાત્ર છે.
2. અણહીલ ભરવાડ : સંપ, અને પ્ર. ઉપર મુજબ ગિલ ડેમી 8 પેજ ૫.a+ BA તા. 28-1-1993 : વસંતપંચમી, મૂ૯ય અમુદ્રિત.
નાના નાના 21 મુદાઓમાં નિરૂપાયેલા આ નાના પુસ્તકમાં છેલ્લાં ત્રણ મુદ્દાઓમાં અનુક્રમે વનરાજ ચાવડો’ “અણહીલ અમર બન્યો’ અને અણહીલ ભરવાડ (વાર્તાત્મક, લેખક શ્રી મનજી પરમાર) નિરૂપાયેલ છે. બાકીના 1 થી 18 મુદ્દાઓ ભરવાડ જ્ઞાતિની ઉત્પત્તિ અને ઉત્થાન સાથે સાથ એક જ્ઞાતિ તરીકે કેવી રીતે વિકાસ થયો એને સિલસિલાબંધ ઈતિહાસ આપે છે. 6 પ્રકરણોમાં નિરૂપતાં મહત્વનાં મુદ્દા 1-ભરવાડ જ્ઞાતિનું વ્યવસ્થિત બંધારણ થયું. સં. 1165, 4-ભરવાડ જ્ઞાતિને આરંભ અને અણહીલ ભરવાડ, 7-કુમારપાળના વખતમાં વેપાલની સ્થિતિ, 8-18 મુસ્લિમ સલતનતાની સમયની મહત્તવની ઊથલ-પાથલે તેમ સંધર્ષે, આખરી જંગ અને થરા તીર્થસ્થાનને નીશ, એ ખાસ નોંધપાત્ર છે. 17-18માં મુદાઓમાં એક જ વલાની વડવાઈઓ” અને “આહીર-અમીરભરવાડ એ મથાળે બેઉ ગોપાલક જ્ઞાતિની મૂલમાંની એકાત્મકતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. “અણહીલ અમર બન્યો” અને “અણહીલ ભરવાડ” એ બે પ્રકરણને બ દ કરતાં પૂર્વનાં ચાર પ્રકરણે શુદ્ધ ઇતિહાસન છે અને સંપાદકે એ તારવીને આપવાને સારો પ્રયત્ન કર્યો છે એ વ ચતાં જ ખ્યાલ આવે છે.
3, સત સ્મરણ : ચારણકવિ લાગીદાસ મેહઠુ-કૃત, સંપા. શ્રી સ્તુદાન રોહડિયા અને ડે. અંબાદાન રે હડિયા, પ્ર. શ્રી પ્રવીદાન હે. ગઢવી, “શિવમ', ૩ લાખાજીરાજ સોસાયટી, દૂધસાગર માર્ગ, રાજકોટ-360003; કા. 16 પેજી પૃ. 655; 1990; કિં. રૂ. 15/
ચારણકવિ લગીદાસ મહેફના 17 દેહા અનુવાદ અને શબ્દકોશ સાથે આપતાં વિદ્વાન સંપાદકે એ આરંભનાં 19 પૃષ્ઠોમાં કવિના જીવન અને કવન વિશે જપૂર્ણ નિરૂપણ આપ્યું છે એને સમાદર કરતાં આનંદ થાય છે. આ પૂર્વે શ્રી રતુદાનજીએ પ્રે. ડે. ઇવરલાલ દવેની સાથે લગીદાસને ઓખાહરણનું મહત્ત્વનું સંપાદન આપ્યું હતું. એમાં લાગીદાસનાં જીવન-કવન વિશે વિગતે પરિચય આપ્યો હતો. આ સંપાદનમાં એને પ્રમાણમાં સંક્ષેપ આપ્યો છે.
ચારણે એ સરસ્વતીની ઉપાસના સતત ચાલુ રાખી હતી અને સેંકડો ગ્રંથની પ્રાયઃ ડીંગળી બેલીમ રચનાઓ આપી હતી. આને સારે એ સંગ્રહ સી. યુનિ.ના ભાષાવિભાગમાં સંગ્રહાઈને રહેલાનાં દર્શન કરવાને વેગ અમને 1980 ના જાન્યુ-ફેબ્રુ-માર્ચમાં મળ્યું હતું. બળકટ વાણીમાં રચાયેલી આ રચનાઓ જોડકણુ નથી, એમાં કવિત્વની છોળો ઊડતી અનુભવી શકાય છે. આ કવિએનાં નિષ્ણાત્મક તેમજ ટળી દેહસાહિત્ય વગેરેમાં આપણને કવિપ્રતિભાની ઝાંખી ડગલે ને પગલે થાય છે, . દસ્કૃતિ અને ઉપદેશે પણ એવી રીતે નિરૂપાયેલાં હોય છે કે એ પ્રત્યેક એક એક સુભાવિત બની રહેલ હોય છે.
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર સ્વીકાર
1, વાડજના વડલા : સચિત્ર : લે. શ્રી સુરેશભાઈ પુનાભાઇ ભરવાડ, પ્ર. ગુજરાત ગોપાલ સાહિત્ય સમિતિ, ઠે. ગોપાલધામ, 12/બી/1, નીલકંઠ કેલેની, વેદમ દિર રોડ, કાંકરિયા, અમદાવાદ380022; સિગ્નલ ડેમી 8 પેજી પુ. 16+112; તા. 1-8-1892, જન્માષ્ટમી; મૂલ્ય અમુદ્રિત.
ગુજરાતની સુપ્રસિદ્ધ ભરવાડ જ્ઞાતિના સામાજિક અભ્યાસમાં સહાયક થાય એવા આ એકાંગી લાગતે છતાં મહત્ત્વને સૂચક ગ્રંથ ભરવાડ જ્ઞાતિના આગેવાન શ્રી સુરાભાઈએ તૈયાર કરી આ છે. હકીકતમાં નવાવાડજમાં આવી વસેલાં ભરવાડ-કુટુંબેની સાથે જૂના વાડજમાંથી થોડે જ દૂર નવું વાડજ કેમ અસ્તિત્વમાં આવ્યું એ બતાવવાને આ ગ્રંથમાં લેખકને પ્રયત્ન છે. એક વાયખંડ આપણને અતિ સંક્ષેપમાં ઘણું કહી જાય છે, જેમકે
“વાડજના વડલા'માં કુદરતના કેપથી નવું વાડજ કેમ વસાવ્યું અને જૂના વાડામાં, અરે કાંટા કે થોરની વાડીમાં પોતે અને પશઓ રહી વાડામાંથી વાડજ કેમ બનાવ્યું તેની વાત છે. એ પછી સામાજિક સંસ્કાર, શિક્ષણ અને વ્યવસાય વગેરેમાં ગોપાલક જ્ઞાતિ શુન્યમાંથી સાત પગથિયાં કેમ ચડતી ગઈ એના આંકડા, હકીકત અને નામઠામ સહિતનો ઈતિહાસ આવે છે.” (પ્રસ્તા. પૂ. 9)
1 લા પ્રકરણમાં (જુના) વાડજ ગામને પરિચય જોવા મળે છે. આ ગામ સ. 702 (ઇ. સ. 949)ના રૌત્ર સુદિ 5 ને રવિવારે “વીરપુર” નામથી અસ્તિત્વમાં આવ્યું હોવાની માહિતી મળે છે. નવ વાડજ સં. 1928 (ઈ. સ. 1876)ના માધ સુદિ 5 ને સોમવારે અસ્તિત્વમાં આવ્યું. કારણમાં સાબરમતીના ઘેલા પૂરે જૂના વાડજને વિનાશ કરી નાખેલ. ગામની થાંભલી બાંધનાર ભરવાડ બ્રાહ્મણ સુથાર કુંભાર અને હરિજન હતા, તે ખાતમુહૂર્તવિધિ કરનાર શ્રી. કુંવરાભાઈ પૂજાભાઇ ભરવાડ (ગોહિલતર) તથા શ્રી ભલાભાઇ હિંદુભાઇ ભરવાડ ખીંટ હતા. આ નવા ગામે પણ અનેક તડકીછાંયડી જોઈ હતી, છનાં એ સારી રીતે વિકસી આવ્યું છે. અહીં જ શ્રી રાધાકૃષ્ણ ઠાકર ભરવાડમંદિરને અને નવા વાડજ ગ્રા-શતાબ્દી મહોત્સવ પણ ઊજવાઇ ગયેલ છે.
આ પ્રકરણમાં જ આગળ “આ પલ્લી : આસાવેલ અને કર્ણાવતીને ઈતિહાસ રજૂ કરી આપે છે, જેમાં પછીથી અમદાવાદ વસ્યું અને એ નગર તે આજનું અમદાવાદ.
બીજું પ્રકરણ “વસવાટ' અને વસ્તીને ખ્યાલ આપે છે. પાંચ મહોલ્લા પાટીદારોના થયા અને દક્ષિણે “ભરવાડવાસ' વિકસ્યો. આ પ્રકરણમાં ભરવાડનાં સાત કુટુંબ વિકસ્યાં એને વિસ્તારથી વિગતવાર તે તે કુટુંબના સભ્યોના નામોલેખ સાથે ખ્યાલ આપે છે.
3 પ્રકરણ આવી વસેલ ભરવાડ કુટુંબના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને સારા વિસ્તારથી ખ્યાલ આપે છે,
4ધું પ્રકરણ છેલ્લાં 50 વર્ષના ભરવાડ ભાઈઓ-બહેનના થયેલા શૌક્ષણિક વિકાસને પરિચય સુલભ કરી આપે છે. આમાં અનેક ક્ષેત્રે તેજસ્વી તારલાઓ પ્રકાશમાં આવ્યા છે એને સમુચિત ખ્યાલ મેળવવાનું ભાગ્ય મળે છે.
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
s
ચાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તે સ્થાનિક પોસ્ટ આફિસમાં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અમને મેકલવી. ૦ ‘પથિક’ સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊધ્વગામી બનાવત અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણાને સ્વીકારવામાં આવે છે. ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી.
કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઇએ. કૃતિમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણુ મૂકયાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવા જરૂરી છે.
કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે.
О
‘પથિક’માં પ્રસિદ્ધ થતી કૃતિએના વિચારે અભિપ્રાયો સાથે
.
પથિક' પ્રત્યેક અ‘ગ્રેજી
મહિનાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ વર્ષ ૩૨] વૈશાખ, સ. ૨૦૪૯ : મે, સને ૧૯૯૩ [અ'ફ ૮
અનુક્રમ
તત્રી સહમત છે એમ ન સમઝવું.
અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા
.
જરૂરી ટિકિટો આવી હશે તે તરત પરત કરાશે.
www.kobatirth.org
॰ નમૂનાના અર્કની નકલ માટે ૪-૫૦ની ટિકિટો મોકલવી. મ.એ. ડ્રાફ્ટ પત્રો લેખે પથિક કાર્યાલય, મધુવન, એલિસબ્રિજ, અસ.-૩૮૦૦૦૬ એ સ્થળે મોકલો.
પથિક ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્ય તંત્રી : સ્વ. માનસ ગજી બારડ
ત‘ત્રી-મંડળ ( ) વાર્ષિક લવાજમ : દેશમાં રૂ. ૩૦/ડૉ. કે. કા. શાસ્ત્રી ( ) વિદેશમાં રૂ. ૧૧૧/-, છૂટક રૂ. ૪/
૨. ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ૩. ડૉ. ભારતીબહેન શેલત
ઇતિહાસની આરસીમાં
સાભાર–સ્વીકાર
બાપાવાળા પાળિયા ગુજરાતના ઇતિહાસના મુસ્લિમે લેખકે કચ્છને આદિ માનવ
તંત્રી મુખપૃષ્ઠ ૧
*
',
શ્રી વીરભદ્રસિંહ સાલકી ર ડા. ઈશ્વરલાલ ઓઝા ૫
શ્રી રાજરત્ન ગાસ્વામી ૧૧
17
For Private and Personal Use Only
વિનતિ
વાર્ષિક ગ્રાહકોએ પોતાનું કે પોતાની સ ંસ્થા કૉલેજ યા શાળાનું લવાજમ રૂ. ૩૦/- હુછ ન માકલ્યુ હોય તો સત્વર મ..થી મોકલી આપવા હાર્દિક વિનંતિ. સરનામામાં ગાળ થતુ લમાં પહેલા અફ કયા માસથી ગ્રાહક થયાનુ` કહે છે. એ માસ પહેલાં લવાજમ મળવુ' અભીષ્ટ છે. અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષોંનાં બાકી છે તે પણ સવેળા મોકલી આપવા કૃપા કરે, એક હાથમાં આવે એ ગાળામાં લવાજમ મોકલી આપનારે આવા વતુલને ધ્યાનમાં ન લેવા વિન`તિ.
પથિક’ના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/- થી અને આજીવન સહાયક રૂ. ૩૦૧/- થી થવાય છે. ભેટ તરીકે પણ રકમ સ્વીકારવામાં આવે છે. સ્વ. શ્રી. માનસ’ગજીભાઈના અને પથિક'ના ચાહકોને ‘પથિક કાર્યાલય'ના નામના મ.. કે ડ્રાફ્ટથી માકલી આપવા વિનંતિ. આ છેલ્લી એ પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ વધુ આવતી ભેટની રકમ અનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે. લવાજમ પૂરું થાય ત્યારે તરત સકલવા વિનતિ.
મ/૧૯૯૨
[૧
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપાવાળો પાળિ (એક દટાયેલો પ્રસંગ)
શ્રી વીરભદ્રસિંહ સોલંકી
સં. ૧૭૭૨ (ઈ. સ. ૧૭૧૬)ની આ વાત છે. મેડી કાંટડી(તા. ગોધરા, જિ. પંચમહાલ)ના રાવળજી જેરોજના એકના એક દીકરા ભાઈજીનાં લગ્ન લેવાયાં હતાં. આખું ગામ, પિતાના પનોતા પુત્ર કે જેને હજી મૂછને દોરે હમણાં જ ફૂટ્યો હતો, તેના લગ્નમાં જુવાનેથી માંડીને વૃદ્ધો થનગની રહ્યા હતા, કારણ કે જાન બીજે ક્યાંય નહિ, ડાકોર પાસેના ઉમરેઠ(તા. આણંદ, જિ. ખેડા)ના ગોહીલ ઉમેચ્છના ઘેર જવાની હતી. મેટી કાંટડીથી ઉમેરઠનું અંતર ૩૫ થી ૪૦ કિ. મી. હતું.
કાંટડીના ઉત્સાહી નવલહિયા જુવાનેએ પિતાના બળદોને આખું વર્ષ ઘી પિવડાવી આવા દિવસ માટે અલમસ્ત બનાવી રાખ્યા હતા. અને ગાડાંઓમાં નીકળવાની હતી. દરેકે પિતપોતાનાં ગાડાંની ખામીઓ તપાસી સમરાવી દીધી હતી. ગાડાને શણગારી દીધાં હતાં. રસ્તામાં હેડ બકાવાની હતી, કેણ પહેલું ઉમરેઠ પહોંચે એની.
ત્યારે કેટશાકે પિતાના પાણીદાર ઘોડા તૈયાર કરી દીધા હતા. ઉમેરેઠમાં રાવળજીઓની આબરૂ કોઈ પણ રીતે ન જાય એ જોવા સૌ પોતપોતાની રીતે તૈયાર થતા હતા. જુવાનો અને પ્રૌઢ મૂછ પર હાથ દેતા કહેતા કે અમે તે કેસરિયા રાવળજી છીએ.
(આ કેસરિયા–એટલે એવું કહેવાય છે કે સભામાં રાવળજી(સવંકીએ)ને માથે કેસર ચડાવવામાં આવતું. આ કેસર ખરીદવાનો ખર્ચ અને એ વખત થતા કસુંબાપાણીનો ખર્ચ સસરા તરફથી આપવામાં આવતા. આ માટે રોકડા રૂપિયામાં ચુકવણું સભામાં થતી. કાલક્રમે લગ્ન સમયે જે આ રોકડ રકમ ચૂકવવામાં આવતી તે કેસર'ના નામથી ઓળખાવા લાગી. એવું જાણવા મળે છે કે રાજપૂતમાં ફક્ત રાવળજી સોલંકીમાં જ આ પ્રથાની શરૂઆત થઈ. વર્ષો બાદ બીજા કુળના રાજપૂતામાં “કેસર' એટલે કે લગ્ન સમયે રોકડ રકમ લેવાને રિવાજ દાખલ થયો. દિવસે દિવસે જે વરપક્ષ વધુ રકમ દીકરાના પિતા પાસે વસૂલ કરતો તે સમાજમાં મોટે દેખાવા લાગ્યો. આમ શરૂઆતમાં નજીવી રકમ આપવાની શુભ ઈરાદાવાળી પ્રથા આગળ જતાં દીકરીના પિતા માટે મુશ્કેલીના પહાડરૂપ બની ગઈ.)
આમ ગાડાંઓ અને ઘડાઓ ઉપર જાન મહી નદી ઓળંગી ઉમરેઠ પહોંચી, રસ્તામાં એમના જ ભાઈઓ સેજિત્રા ગાદીના વારસદારો એવા રાવળજીનાં ગામો આવ્યાં ત્યાં ઠેર ઠેર “જય રઘુનાથ” કરી કસુંબા પાણીથી સ્વાગત થયું. ઉમરેઠમાં જાનનું સ્વાગત એક મોટા ઉત્સવની જેમ થયું. જાનેવાઓની સરભરામાં કોઈ ખામી રહી ન જાય એવી વ્યવસ્થા ઉમેદજી ગોહીલ તરફથી થઈ હતી.
ચેડા દિવસ પછી વરરાજા બાજીને પરણાવી, નવવધૂ પ્રતાબખાને લઈ જન કાંટડી પાછી આવી.
સ્ત્રીઓ અને બાળકે “જાન આવી ગઈ', “જાન આવી ગઈ કરી ખુશ થવા લાગ્યાં. બાળકે નવવધૂને જોવા માટે પડાપડી કરવા લાગ્યાં. વગ વરવહુને પખવાની તૈયારીમાં પડયો ત્યારે જાનમાંથી આવેલા પુરુષો થાક ઉતારવા, નાહવા-ધોવા માટે પિતાપિતાના ઘર તરફ વળ્યા. ગામની એ/૧૯૯૩
[પથિક
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગોળે વડ પાસે વરકન્યાને ઉતારે કરાવ્યા. પંખ્યા પછી જ ગામમાં દાખલ થવાય એવો રિવાજ હતે.
આ જ સમયે બાલાસિનોર (જિ. ખેડા) તરફ્તા પરબિયાન કુખ્યાત ધાડપાડુ, ગોરે (ખો) બારેયો કાંટડીના સીમાડે આવી ચડ્યો. એણે તપાસ કરતાં ગામના ઠાકોર રાવળજી–સોલંકી હેવાનું માલૂમ પડતાં ધાડ પાડવાનું માંડી વાળ્યું અને ગામમાં વિનંતી મોકલાવી : “આ ગામે હું ધાડ પાડવા આવ્યું હતું, પરંતુ ગામને રાવળજીઓનું રખોપું છે તેથી ધાડ પાડતું નથી, પરંતુ શુકનરૂપે માત રાડાં શેરડીનાં અને એક ઘડે શેરડીને રસ આપે તે હું ગામ ભાગ્યા વગર ચાલ્યા જઈશ.”
આમ તે સાત રાડાં શેરડીનાં અને એક ઘડે શેરડીનો રસ આપ એ કાંટડી માટે કોઈ મેટી વાત નહતી. ફળદ્રુપ ખેતરમાં શેરડીના વાડ લચી પડતા હતા. ગોળ પકવવાના કોલુઓ ધમધોકાર ચાલતા હતા.
આ જ શેરડીને રસ પીને અલમસ્ત બનેલા રાવળજીઓને એક ધાડપાડુની આવી વાત સ્વીકારવી એ જ શરણાગતિ-સમાન હતું. રાજપૂતો મત સ્વીકારવામાં પાછા પડતા, પણ શરણાગતિ તે અપમાનજનક જિંદગી હતી. એ એઓ કદી સ્વીકારી શકે એમ નહોતું.
આથી ઠાકોરએ કહેવડાવ્યું: “જયાં રાવળજીની ઠકરાત હોય ત્યાંથી લુટારાને એક તણખલું પણ અપાય નહિ. લુટારાઓએ સીધે સીધા અહીંથી ચાલ્યા જવું, એમાં જ એમનું ભલું છે.”
જવાબ સાંભળી ગોરે બારેયાને પણ અપમાન લાગ્યું. વાત તંતે ચડી-ધીંગાણાનાં મંડાણ થયાં.
હમણાં જ પરણીને આવેલા બાજી પખવાની થોડી વાર લેવાથી વડના ઝાડ નીચે જરા આરામ કરવા આડા પડ્યા હતા, ત્યાં જ આ વાત એઓ પાસે આવી, કોઈ પણ જાતને વિચાર કર્યા વગર, કુળની અને ગામની આબરૂ સાચવવા, ભાગેલેથી જ ઘોડે ચડી ધાડ પાછી વાળવા દોડ્યા.
ગામમાંથી બીજી મદદ આવી પહોંચે ત્યાં સુધીમાં તે ધાડને ઘણા માણસને પોતાની તેજીલી તલવારના ઘાથી રામશરણ કરી દીધા.
ધાડપાડુઓ ભાગ્યા. ધાઠમાં એક ભીલ હતા તેણે કપટ કર્યું. એ બેરડીના ઝુંડમાં છુપાઈ ગયા. એણે બાઇજીની પેઠેથી એમની ઉપર ઘા કર્યો. બાજી પડ્યા, ત્યાં તે આવી પહોંચેલા દરબારોએ ભીલને એક જ ઝાટકે યમસદન પહોંચાડી દીધે.
લગ્નનું ખુશીનું વાતાવરણ બાઇજીના મૃત્યુથી શેકમાં ફેરવાઈ ગયું. બાજી જયાં પડવા હતા ત્યાં ગામલોકોએ પાળિયે બનાવ્યો. કણ નદીથી દક્ષિણ દિશાનાં ખેતરને “બાપાવાળાં ખેત” નામ આપ્યું. આજે પણ આ ખેતરે “કયારડાં” આ નામથી જ ઓળખાય છે.
કેટલાય કોડ લઈ પરણી આવેલાં પ્રતાતબા પિતાના ઘરને ઊંબરે પહોંચવાને બદલે સ્મથને ચિતાએ પહોંચ્યાં. એ બાછળ પાછળ સતી થયાં.
નોંધ:- ૧. મોટીકાંટડી : ગામ કુણ નદી ઉપરના દક્ષિણ કિનારે પહેલાં વસેલું માલુમ પડે છે, જયાં હાલમાં ખંડિયેર મહાદેવ છે. જૂની વાવ છે, જે હમણાં પુરાઈ ગઈ છે. ખેતરમાં મકાનની દીવાલ વગેરેના અવશેષ જોવા મળે છે. નજીકમાં એકાદ બે પુરાણું ધાર્મિક સ્થાને છે. બાજુમાં હડમતિયા તળાવ” નામનું એક નાનું તળાવ છે. એના કિનારે આવેલ મંદિરની મૂર્તિ પુરાણી છે.
પશ્ચિક]
મે ૧૯૯૩
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
:
કોઈ કારણસર, ખાસ કરીને દક્ષિણ કિનારે નીચે હોવાથી, પૂરના પાણી ગામમાં વારે વારે આવી જતાં તેથી થોડાં વર્ષો પૂર્વે ગામનું સ્થળાંતર ઉત્તર કિનારે થયું છે.
૨. સેલંકીએ : ગામમાં વાણિયા બ્રાહ્મણ પટેલ તથા બીજી ઘણુ કમની વસ્તીમાં ગોધરા શાખાના સોલંકી રાવજીઓ(રાઉલજીઓ)ની વસ્તીનું પ્રમાણ વધારે છે.
રાવજીએ અહીં સં. ૧૬૮૫ (ઈ. સ. ૧૬૯)માં વસ્થા હતા. અહીં આવનાર મૂળ પુરુષ રામસંગજી મહેલોલ(તા. ગોધરા, જિ ગંચમહાલ)ના ઠાકોર વાઘજીના પાંચ દીકરાઓમાંના સૌથી નાના દીકરા હતા. એમના સાત દીકરાઓમાંથી એક દીકરાનું નામ હઠીસંગજી હતું. હઠીસંગજીના બે દીકરાઓમાંથી એક દીકરાનું નામ હાથીજી હતું. હાથીજીને પાંચ દીકરા તેઓમાં એકનું નામ કેસરજી (કરારસંગ0). કેસરજીને ત્રણ દીકરા તેઓમાં નાના દીકરાનું નામ રોજી હતું. જેરેજીનાં લગ્ન ઈટવાડ (તા. સાવલી, જિ. વડોદરા)ના રાઠોડ લખાજીનાં દીકરી અમૃતબા સાથે થયાં હતાં. એમનાથી એક પુત્ર થયા તેમનું નામ બાજીરુ હતું, જેઓનું લગ્ન ઉમરેઠના ગોહીલ ઉમેદજીનાં દીકરી પ્રતાપબા સાથે થયું હતું. . ૩. બાપાવાળો પાળિયો : આ પાળિયે ચોક્કસ કઈ જગ્યાએ આવ્યું છે એ શોધવું આજે મુશ્કેલ થઈ ગયું છે. જ્યાં બાપાવાળાં ખેતરે છે ત્યાં આજુબાજુ તપાસ કરતાં એક પાળિયો મળી આવ્યું છે તેમજ એક મોટો કુદરતી પથ્થર છે તેને લેકે બાપાવાળો પથરો' નામથી ઓળખે છે. પાળિ આ પથરાથી દુર અને જૂના ગામના અવશેષોથી પશ્ચિમમાં, હાલમાં ગામમાં જવાને પાકે રહે છે તેના પછી એક ખેતરમાં છે. આ પાળિયાથી પુરાણું મહાદેવના અવશેષો ઉત્તર તરફ કુણ નદીના દક્ષિણ કિનારે થોડે દૂર છે. - આ જગ્યા ઉપરથી જોતાં બાલાસિનોર ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે તેથી કદાચ ધાડ એ દિશામાં એટલે કે ગામની પશ્ચિમ દિશામાં આવી હોવી જોઈએ તેમજ આ ખેતરમાં બીજે કઈ પણ જગાએ પાળિયો મળી આવ્યા નથી તેથી આ પાળિયે જ, સંભવ છે કે, બાપાવાળો પાળિયો? હશે.
આમ તે કાંટડીની સીમમાં બીજે બે ત્રણ પાળિયા આવેલા છે તેઓમાંથી એકાદનું લાંતર થયેલું હોય એમ લાગે છે. એમ છતાં દરેક પાળિયો પિતાને ઈતિહાસ બાવીને મૌન ઊભો છે એનાથી વિશેષ જાણકારી મળતી નથી, છે. ૧૭, દયાલ બાગ, માંઝલપુર, વડોદરા ૩૯૦૦૦૧
સંદર્ભ લઇ રાજગા બારોટ સ્વ. શ્રી ચંદ્રસિંહ પ્રતાપસિંહને પડે, C/o. શ્રી. રમેશભાઈ ખેડસિંહ
બારેટ, વાડી, ભાટવાડા વડેદરા-૧૭ (૨) શ્રી. અમરસિંહ રાઉલજી (મૂળવતન મોટી કાંટડી) મુ. રતનપુર, તા. ગોધરા જિ. પંચમહાલ) (૩) શ્રી. ગણપતસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૪) શ્રી. ગજાનનભાઈ ઉપાધ્યાય (ભૂતપૂર્વ શિક્ષક, મોટી કાંટડી) (૫) શ્રી, વિજયસિંહજી દેવીસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૬) શ્રી. નટવરસિંઢજી કાળુસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૭) કાંટડીના અનેક વડીલે અને મિત્રો, મોટી કાંટડી
એ/૧૯૯૩
પથિક]
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ઈતિહાસના મુસ્લિમ લેખકો
(સલ્તનત સમયના)
ડે, ઈશ્વરલાલ ઓઝા
ઈ. સ. ૧૪૦૦ થી શરૂ કરીને મુઘલ સમ્રાટ અકબરે ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાત પર આખરી પણે સત્તા જમાવી ત્યાં સુધી ગુજરાતમાં પિતાના સ્વતંત્ર મુસ્લિમ શાસકોનું શાસન રહ્યું હતું. ગુજરાતમાં દિલ્હીના નાઝિમોના શાસન દરમ્યાન સ્વતંત્ર રીતે ઇતિહાસલેખન જેવી કોઈ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું નહિ, પરંતુ સ્વતંત્ર ગુજરાતી સલ્તનતમાં આવી પ્રવૃત્તિઓને વેગ મળે. પરિણામે ગુજરાતમાં ગુજરાતના ઇતિહાસ પર કેટલીક કૃત્તિઓ રચાઈ. કેટલીક આવી રચનાઓ ગુજરાત બહાર પણ થઈ. આમાંની કેટલીક મહત્ત્વની વૃત્તિઓના લેખકે આ પ્રમાણે છે :
હાફીઝ અ: હાફીઝ અને રુદ્દીન બિન લુન્દુલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે એને જન્મ હિતમાં થયો હતો અને હમદનમાં એણે શિક્ષણ મેળવ્યું હતું. એ પ્રારંભે તૈમૂરનો દરબારી હતું, પરંતુ પાછળથી શાહરૂખના દરબારમાં રહ્યો હતો. એનું મરણ ઈ. સ. ૧૪૩૦ માં ઝજાનમાં થયું હતું. - એના પુસ્તકનું નામ “ઝુતુતવારીખ મૈનધરી હતું, પરંતુ સામાન્ય રીતે એ “તારીખઈ-હાફીઝ અબૂ તરીકે ઓળખાય છે. આ ગ્રંથમાં લેખકે પોતાના સમયનો ઈતિહાસ તેમજ ભૂગોળ આલેખેલ છે.
જોકે ગુજરાત વિશે એને ઉલ્લેખ અત્યંત સામાન્ય અને અજ્ઞાન-ભર્યો છે. દા. ત. એ નોંધે છે કે બીયાહ નામની કાશ્મીર અને ઉંચમાંથી પસાર થતી નદી ગુજરાતના સમુદ્રને મળે છે. એવું જ યમુના વિશેનું એનું વિધાન છે. એના મત મુજબ યમુના નદી પણ શિવાલિક ગિરિમાળામાંથી નીકળી દિલ્હી થઈને ગુજરાતમાં હિન્દી મહાસાગરને મળે છે.
આ ઉપરાંત એણે તૈમૂરલંગે ગંગાપારના પ્રદેશમાં અગ્નિપૂજકે અર્થાત પારસીઓ સાથે એક યુદ્ધ કર્યાને ઉલ્લેખ કર્યો છે. બનવા જોગ છે કે ગુજરાતના પારસીઓએ કને જ આસપાસના વિસ્તારમાં કોઈ વસાહત સ્થાપી હાય !!
હલવી શીરાઝીઃ હલવી શીરાઝી અહમદશાહ પ્રથમનાં કાર્યોને અહેવાલ લખનાર દરબારી આલેખક હતા. એ આમ તો કુશળ શાયર હતા તેથી એણે અહમદશાહને ઈતિહાસ બતારીખે અહમદશાહી'ના નામે એવી પ્રકારના કાવ્યમાં લખ્યો છે. આ ગ્રંથમાં એણે સુલતાન મુઝફરશાહ વિશે પણ વિગતે આપી છે. આ પુસ્તક હાલમાં મળતું નથી, પરંતુ “મિરાતે અહમદી'માં એનાં ઘણાં અવતરણ આવે છે. અમદાવાદ વિશે શીરાઝી નોંધે છે કે “આબાદ થયેલું એ નવું શહેર ધરતીના મુખ પરના સુંદર શ્યામ તલ જેવું શોભી ઊઠયું. નવું શહેર એવું થયું કે એની જોડી એ જમાનામાં આસમાને પણ જોઈ નહતી. આ શહેર તૈયાર થયું ત્યારે પૃથ્વી સપ્તખંડી હતી તે અષ્ટમંડી થઈ.”
યાહ્યા સરહિન્દી : એનું પૂરું નામ યાહ્યા બિન અહમદ બીન અબ્દુલ્લાહ સરહિન્દી હતું. એણે ઘેરી વંશના સ્થાપક સુલતાન મહમદશાહથી દિલ્હીના સુલતાન મુબારકશાહ સુધીને ઈતિહાસ પિતાના ગ્રંથમાં લખે, તેથી એણે ગ્રંથનું નામ “તારીખ-ઈ-મુબારકશાહી” રાખ્યું છે. સુલતાન
પથિક]
એ/૧૯૯૩
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ્રીરાઝશાહ સુધીની વિગતો એણે પાતાના ખરની અને અફ્રીક઼ જેવા પુરાગામીને આધારે નોંધી છે. એ પછીના અહેવાલ એણે વિશ્વાસપાત્ર માહિતી તથા જાતનિરીક્ષણના આધારે લખ્યા છે. આ બાબત એણે ગ્રંથની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરી છે.
આ ગ્રંથમાં ફિરાઝશાહ તુધલુકના સમયમાં ઝફરખાન જ્યારે ગુજરાતના સૂક્ષ્મા હતા ત્યારના ગુજરાતની માહિતી છે. એ સમયે ગુજરાતની સમૃદ્ધિને કારણે ગુજરાતની બાગીરી મેળવનારે દિલ્હી દરબારને ધણી ઊંચી કિ`મત ચૂકવવી પડતી હતી. ઈ. સ. ૧૩૭૬-છછ માં શમ્સ દામધાનીએ ગુજરાતની બાગીરીના બદલામાં દર વર્ષે ૪૦ લાખ ટટકા, ૧૦૦ હાથી, ૨૦૦ અરબી ઘેાડા અને ૪૦૦ હિન્દુ તેમજ એબિસિનિયાઈ ગુલામા આપવાનુ વચન આપેલું. એણે ઉપયુક્ત કિંમત કરતાં વધારે કિ ંમતે ગુજરાતની સુખાગીરી મલિક ઝિયા–લમુલ્ક મલિક શમ્મુદ્દીન અબૂ જાને વેચી દીધી. આ પરથી એ સમયે મુસ્લિમ સભાઓ દ્વારા ગુજરાતની પ્રજાને વેરાની વસૂલાત વખતે કેવી લૂંટવામાં આવતી હશે એના ખ્યાલ આવે છે.
સરહિન્દીએ ગુજરાતના અમીરાના બળવાની વિગતા આપી છે. શાહજાદા મહમદખાન પણ ગુજરાતના અમીરાના પક્ષે ભઢ્યા હતા. અશ્વદળના સેનાપતિ મલિક યાકૂબને ‘સિંકદરખાન’તા ઈલ્કાબ આપીને ગુજરાત માકલવામાં આવ્યા. અને ખંભાતના અમીર મલિક મુરીહે કતલ કર્યાં હતા. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ સ્વતંત્ર સુલતાન તાતારખાને પોતાની યુવરાજાવસ્થામાં દિલ્હીના રાજકારણમાં સુલતાન મુહમ્મદશાહ તુઘલુકના સમયમાં કેવાં પરાક્રમા કરેલાં એની માહિતી આ ગ્રંથમાં છે. એમાં એવી પણ તેાંધ છે કે તૈમૂરની ચડાઈ વખતે ગુજરાતે સુલતાનને આવકારીને આશ્રય આપ્યા હતા.
અબ્દુલહુસેન તુની : તુનીની રચના ‘સિરે મહમૂદશાહી'ના નામે ઓળખાય છે. એણે એ ગુજરાતના વિખ્યાત સુલતાન મહમૂદ બેગડાના સમયમાં લખેલી. આ ગ્રંથમાં ગુજરાતના સૂબાઓના ઇતિહાસ વિગતપૂર્ણ રીતે આપેલા છે. એમ કહેવાય છે કે એણે આ ઇતિહાસગ્રંથ મહમૂદ બેગડાની ઈચ્છાથી લખ્યા હતા તેથી એમાં ક્રૂરખાન ગુજરાતના એ નિમાયા ત્યારથી ઈ. સ. ૧૪૮૬ ઇતિહાસ છે. તુનીને સૌથી ત્રધારે અનુકૂળતા સરકારી પત્રવ્યવહાર જોવાની હતી, પરિણામે એને આ ઇતિહાસગ્રંથ વધારે આધારભૂત બન્યો છે, જોકે એણે ધણી જગ્યાએ અત્યુક્તિ કરી છે,
શમ્મુદ્દીન મુહમ્મદ ઝીરક અબ્દુલહુસેન તુનીની માફક ઝીરકે પણ પોતાના ગ્રંથનું નામ ‘મઆસિરે મહમૂદશાહ' રાખ્યુ` હતુ`. એણે પોતાની આ રચનામાં સુલતાન મહમૂદ એગડાના શાસનના છેલ્લા બે દાયકાને ઇતિહાસ આલેખ્યો છે. લેખક પોતે એગડાને આશ્રિત હતા. તુનીના ઇતિહાસગ્રંથના અનુસ ંધાને સુલેમાન નામના એગડાના અત્યંત વિશ્વાસુ સરદારે ઝીરકને આગળ વૃત્તાંત લખવાની આજ્ઞા કરી હતી, પરિણામે ઝીરકની આ રચના તૈયાર થઈ.
અબ્દુલકરીમ નીહિન્દી: એનુ આખુ નામ અબ્દુલકરીમ બિન અતાઉલ્લા નીમહિન્દી હતું, એણે ‘તબકાતે મહમૂદશાહી’ નામના ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથને ‘તાકાતે અબ્દુલકરીમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખક પોતે ગુજરાતમાં બહમનીસલ્તનતના રાજદૂત હતા. આ ગ્રંથમાં ઈસ્લામનેા વાસ્તવિક ઇતિહાસ છે. આમ છતાં એનાં છેલ્લાં પ્રકરણેામાં ગુજરાત વિશે ઉપયેગી માહિતી આપવામાં આવી છે. ગુજરાતી સલ્તનતના સમકાલીન ઇતિહાસગ્રંથ તરીકે એનુ મૂલ્ય વિશેષ છે.
ફૈઝુલ્લાહ ખિમ્માની : બિમ્બાનીના ગ્રંથને ‘તારીખ સદેજહાન' તરોકે ઓળખવામાં આવે છે, કારણ કે લેખક પોતે ‘સદેજહાન ગુજરાતી’ તરીકે ઓળખાતા હતા. પ્રસ્તુત રચનામાં સમગ્ર ભારતને
$ ]
મે/૧૯૯૩
[પશ્ચિક
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટૂંકમાં વૃત્તાંત આવરી લેવાય છે, આમ છતાં એમાં ઈ. સ. ૧૫૦૧ સુધીને મહમૂદ બેગડાને પણ ઈતિહાસ આપવામાં આવ્યો છે. એક ધટનાસભર ગ્રંથ તરીકે એનું વિશેષ મહત્વ છે.
ફુદીન મુહમ્મદ બુખારી: સરફુદીન બુખારીને ગ્રંથ “તારીખે સલાતીને ગુજરાતના નામે ઓળખાય છે. એણે ગુજરાતના સુલતાન મુઝફરશાહ બીજાના સમયમાં ગુજરાતમાં નેકરી કરેલી, પરિણામે એને ગુજરાતને વૃત્તાંત વિશેષ આધારભૂત છે. બુખારીને આ ગ્રંથ ઘણે જ વિરતૃત છે અને એ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એણે પિતાની આ રચનામાં ઈ. સ. ૧૩૪૨ થી ૧૫૧૧ સુધી ગુજરાતને ઇતિહાસ ગુજરાતી સુલતાનોને કેન્દ્રમાં રાખીને આલેખ્યો છે. અત્યારે આ ગ્રંથ સળંગ સ્વરૂપે મળતું નથી, પરિણામે ગુજરાતની પ્રજા સ્વતંત્ર ગુજરાતી સલતનતના સમયની અનેક અગત્યની ઘટનાઓથી અજાણ બની રહી.
કરીમુદ્દીન હબીબુલાહ ખામીર: કરીમુદ્દીન અબીલને વતની હતો. એના ગ્રંથને હલીબુસિયર' તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રંથ લખવામાં શૈઝતુસફા' નામના ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે. લેખક પોતે પ્રવાસને શોખીન હતા તેથી એમાંની અનેક ઘટનાઓ જાતનિરીક્ષણને આધારે આલેખાઈ છે. આ પુસ્તક મેડમી ૪૮ વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને આઠ વર્ષની મહેનતને અંતે એ પૂરું કરવામાં આવ્યું. આ વિસ્તૃત ગ્રંથ ત્રણ પ્રસંગોમાં વહેંચાયેલું છે, જેમાં છેલ્લે સમીક્ષા વિભાગ ઘણું જ મહત્વ છે,
કરીમુદ્દીને એના ઈતિહાસમાં મુહમદ ગઝનવીની સોમનાથ પરની ગડાઈ વિશે ઘણી વિગતે લખ્યું છે. એના જણાવ્યા પ્રમાણે મહમદે ગુજરાત આવવા પાણીનાં ૨૦,૦૦૦ માટલાંથી લદાયેલા ટો સાથે જેસલમેરના રણને ભાગ લીધો હતો. એ પાટણ થઈને સોમનાથ આવેલ. “મનાથના મંદિરમાં એટલું બધું ધન હતું કે એને દસમે ભાગ પણ કોઈ રાજાના ખજાનામાં નહિ હોય એવી એની
ધ ગુજરાત એ સમયે આર્થિક રીતે કેટલું સમૃદ્ધ હશે એનો ખ્યાલ આપે છે. - સેમિનાથના વિજય પછીને કરીમુદ્દીનને અહેવાલ ઘણે જ રોચક છે. એ જણાવે છે તેમ મુહમદે ગુજરાત જીત્યા પછી ત્યાં પોતાના સુબા તરીકે દામ્બીલીમ મુર્તાઝ નામની વ્યક્તિની નિમણૂક કરી હતી.
આ વ્યક્તિ કેણ હતી એ ગુજરાતના ઇતિહાસની રહસ્યમય બાબત છે. 'દાલ્સીલીમને શબ્દાર્થ સર ઇલિયટના મતે “સાધુને કસરતબાજ શિષ્ય” એ થાય છે. બર્ડ દાસ્સલીમને “દેવશીલનું અપભ્રંશ રૂ૫ માને છે, જ્યારે એલ્ફિન્સ્ટન એમ માને છે કે આ વ્યક્તિ જૂના ચાવડા વંશની હરો અને ગુજરાતના મૂળ શાસક તરીકે મુહમદે એને ગુજરાત પાછું સેપ્યું હશે.
કરીમુદ્દીન પિતે નેધે છે તેમ મનાથના લેકેએ જ મુહમદ ગઝનવીને દાન્સીલીમ પતિના બ્રહ્મન નામના જુવાનને ગુજરાતની ગાદી સોંપવા વિનંતી કરી હતી, જ્યારે લોકોના બીજા જૂથે આ જ જાતિની અન્ય વ્યક્તિને રાજગાદી સોંપવા જણાવેલું.
છેવટે દાન્સીલીમ મુર્તાઝને નિયમિત ખંડણી મેકલવાની શરતે ગુજરાત રોપવામાં આવ્યું. હબીમુસ્સિયર' નામના એક અન્ય ગ્રંથનું ગહન અધ્યયન કરતાં એમ લાગે છે કે આ દાન્સીલીમ મુઝ હિન્દુ હતા, કારણ કે કરીમુદ્દીને એના મેમાં “અમારા ધર્મમાં આમ છે” એવું કહેતા શબ્દો મૂક્યા છે કે મુહમદની પૂઠ ફરી કે તરત જ ચૌલુક્ય શાસક ભીમદેવ પ્રથમે આ “મુહમદના માણસને ઉથલાવીને ગુજરાતને ગઝનાથી સંપૂર્ણ સ્વતંત્ર કર્યું.
મીર શૈવદ અલી કાશાની : કાશાનીએ પિતાના પુસ્તક “તારીખે મુઝફરશાહી'માં ગુજરાતના સુલતાન મુઝફરશાહ બીજાના સમય ઈ. સ. ૧૫૧૧ થી ૧૫રક સુધીનો ઇતિહાસ આ
પથિક]
એ/૧૯૯૩
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એ કવિ અને વૃત્તાંતનિવેક હતું તેથી આ પુસ્તકને અર્ધો ભાગ પદ્યમાં લખાયો છે. એમને ગુજરાતને માળવા વિજયને અહેવાલ નોંધપાત્ર છે, કારણ કે આ અભિયાન વખતે લેખક હાજર હતા. સુલતાન તરફને અનુગ્રહ એના પુસ્તકમાં સ્પષ્ટ દેખાય છે. | મુઘલ સમ્રાટ બાબર : બાબરે એની આત્મકથા “તુઝક-ઈ-બાબરી” તુકી ભાષામાં લખી હતી. અકબરના રાજય-અમલ દરમ્યાન એનું ફારસીમાં ભાષાંતર અબ્દુર્રહીમખાનખાનાએ કર્યું હતું,
બાબરે પોતાના સમયની હિંદની સ્થિતિનું વર્ણન કરતાં જે પાંચ મહત્ત્વના મુસ્લિમ શાસકો ગણુવ્યા છે તેમાં ગુજરાતને બીજા ક્રમે મૂકયું છે. એણે સુલતાન મુહમ્મદ મુઝફર વિશે પણ લખ્યું છે. એની ધાર્મિકતાનાં આ પ્રથમ મુઘલ સમ્રાટે પુષ્કળ વખાણ કર્યા છે.
ગુજરાતના સુલતાનના પૂર્વ વિશે પણ એ માહિતી આપે છે. સુલતાન બહાદુરશાહ વિશેનાં એનાં વિધાને મુસ્લિમ તવારીખ-સાહિત્યમાં પ્રચલિત બન્યાં છે.
ઇબ્રાહિમ બિન હરીરીઃ હરીરીના ગ્રંથનું નામ “તારીખ–ઈ–ઈબ્રાહીમ” છે. એમાં એક પ્રાચીન સમયથી બાબરે હિંદમાં પિતાનું રાજ્ય સ્થિર કર્યું ત્યાંસુધીને ઈતિહાસ છે. હિંદના ઈતિહાસની શરૂઆત એણે દિલ્હીના ગુલામ વંશના શાસકોથી નકરી છે. એમાં ગુજરાત પર હુમાયુએ આક્રમણ કર્યું એને અહેવાલ આપવામાં આવ્યો છે. આ પુસ્તક લેખકે હુમાયુના રાજયકાળ દરમ્યાન લખ્યું હતું તેથી એને “તારીખ-ઇ–હુમાયુની” પણ કહેવામાં આવે છે,
હુસામુદ્દીનખાન : હુસામુદ્દીનખાન અમદાવાદને વતની હતો. એના દાદા જલાલુદ્દીન મુહમ્મદ મુહાફીઝખાને મહમૂદ બેગડાના સમયમાં અમદાવાદની હાકેમી કરેલી અને છેવટે બેગડાનો વજીર બને. એના ગ્રંથને તારીખે બહાદુરશાહી' તરીકે ઓળખવામાં આવે છે. એમાં દિલ્હી સલતનતથી શરૂ કરી સુલતાન બહાદુરશાહના શાસનને અંત સુધીના સમયને, અર્થાત ઈ. સ. ૧પરથી ૧૫૩૭ સુધીને ઇતિહાસ આલેખાય છે. એના પુસ્તકને લેખકના નામ પરથી “તબકતે હુસામખાની' કે “તારીખે હુસામખાને” તરીકે એના અનુગામીઓએ ઉલ્લેખ કર્યો છે.
શરૂઆતમાં “તારીખે બહાદુરશાહી'ના લેખકને વિવાદ ઊભે થયેલે, કારણ કે મિરાતે સિંકદરી’ અને હાછબીરના ગુજરાતના અરબી ઇતિહાસમાં એનાં ઉતારા અને નેધે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, પરંતુ ક્યાંય ઈતિહાસલેખકનું નામ મળતું નથી. હાઇદબીરના ઇતિહાસના વિદ્વાન સંપાદક સર ડેનિસન રોસે “તારીખે બહાદુરશાહીને લેખક હરામખાન હોત એમ સર્વપ્રથમ દર્શાવ્યું અને એમના સંપાદનની અરબી આવૃત્તિની અંગ્રેજી પ્રસ્તાવનામાં સબળ કારણો-પ્રમાણે આપીને આ બાબતે સિદ્ધ કરી. ઈ. સ. ૧૭૬૧ માં અમદાવાદના અલીમુહમ્મદખાને “મિરાતે અહમદી'માં આ પુરતકને ઉલ્લેખ કર્યો છે, પરંતુ હજુ સુધી એની મૂળ પ્રત મળી શકી નથી,
લેખક સમકાલીનની સાથે એ સમયના ઘણું બનાવોને સાક્ષી હતા. રાણા સંગ્રામસિંહે ગુજરાત પર આક્રમણ કર્યું તથા મલિક આયાઝે પ્રતિઆક્રમણ કર્યું ત્યારે મુસ્લિમ લશ્કરમાં લેખક પોતે સામેલ હતા. આ યુદ્ધનું વર્ણન હુસામ-ઉદ્દીનખાનના અનુગામીઓએ તારીખે બહાદુરશાહીમાંથી લેવાનું યોગ્ય માન્યું છે. તદુપરાંત સુલતાન મુઝફરશાહ બીજાને રાજ-અમલ દરમ્યાન થયેલાં અનેક યુદ્ધોમાં લેખક હાજર હતે. એક વૃત્તાંત પ્રમાણે ગુજરાતના માળવા પરનાં આક્રમણ તથા યુદ્ધમાં લેખકે જાતે ભાગ લીધેલો તેથી ગુજરાતના લશ્કરની આવી ઘટનાના એના વૃત્તાંતે મુસ્લિમ તવારીખકારની સ્વભાવગત ધમધતાના અત્યુક્તિના અંશોને બાદ કરતાં થોડા આધારભૂત છે.
હુસામુદ્દીનખાન સુલતાન બહાદુરશાહને મહત્ત્વને અમીર તેમજ અંગત મિત્ર હતા. હુમાયુના ગુજરાત-આક્રમણ વખતે મુઘલ સામેના પ્રતિ આક્રમણની યોજના ઘડવા માટે એ પિતાના સાથીદારે મે ૧૯૯૩
[પશ્ચિક
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે પાટણમાં આવ્યું હતું. બહાદુરશાહના એક દિલે જાન દોસ્ત તરીકે એ અહર્નિશ ચિંતા કરતે હતે. એને ખ્યાલ બહાદુરશાહની ગાદી સિંકદરખાન પડાવશે એવા એક સ્વપ્નની નોંધ પરથી આવે છે. આ સ્વપ્નને વાસ્તવિક આધાર મળ્યો હતો, જેની નોંધ એણે કરી છે.
એણે બહાદુરશાહના રાજ્યાભિષેકથી માંડીને એના અંતકાલ સુધી મહત્ત્વની કામગીરી બજાવી હતી. વચ્ચે એણે ખંભાતના દરોગા તરીકે પણ કામગીરી બજાવી હતી. સુલતાને લેખકને પોતાના દક્ષિણના અભિયાનમાં પણ સામેલ કર્યો હતો. એણે ઈ.સ. ૧૫૨૧ માં મલિક સારંગના હાથ નીચે કામ કર્યું હતું અને ઈડર તથા ડુંગરપુરની લડાઈઓમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી હતી.
લગભગ તમામ યુદ્ધોમાં બહાદૂરશાહ સાથે પોતે હતા એમ હુસામુદ્દીન જણાવે છે. બહાદૂરશાહે માંડુ અને ચિત્તોડ પર આક્રમણ કર્યું ત્યારે હુમાયુના વળતા હુમલામાં લેખકની સ્થિતિ ઘણી જ કફોડી થઈ ગઈ. “મિરાતે સિંકદરી'ના લેખકના પિતા મંગૂ અકબરે એને પિતાના તંબુમાં સંતાડીને બચાપી લીધો હતો. ત્યાર બાદ હિંસામુદ્દીનખાનનું શું થયું એની માહિતી મળતી નથી અને ઈ. સ. ૧૫૩૩ પછી એના હાથની લખેલી કોઈ ને પણ પ્રાપ્ત થતી નથી.
ગુજરાતના ઇતિહાસ માટે એ સમયની કેટલીક સાંસ્કૃતિક હકીકત તથા સ્થળોનાં નામો માટે એને ઈતિહાસગ્રંથ અમૂલ્ય છે, જોકે એની શૈલી કેટલીક વાર ગૂંચવણભરી બની જાય છે છતાં રેચક અને માહિતીપ્રદ છે. હુસામુદ્દીનખાનના આ કાર્યને બિરદાવતાં શ્રી રત્નમણિરાવ જેરે છે છે કે ગુજરાતના મુસલમાન-સમયના ઈતિહાસે બીજા પ્રાંત કરતાં વધારે સમૃદ્ધ છે અને એમાં તળ-ગુજરાતીઓને હાથે જે ગ્રંથો લખાયા છે તેવા અન્ય પ્રાંતવાસીઓએ પિતાના માટે લખેલા મળતા નથી. આ બધામાં “તારીખે બહાદુરશાહી’નું સ્થાન પણું ઊંચું છે.”
શાયર મુતાઈ મુતાઈ મુસાફર હતું અને ઈ. સ. ૧૫૩૧ માં મક્કાથી દીવ આવ્યો હતો. ગુજરાતમાં એ ઘણી જગ્યાએ ફલે. એણે સુલતાન બહાદુરશાહ સાથે સારા સંબંધે કેળવ્યા હતા. એણે કઈ ઈતિહાસગ્રંથ લખ્યો નથી, પરંતુ ગંજ મઆની' નામનું એક મસ્તી-કાવ્ય લખેલું છે. આ કાવ્યમાં ગુજરાતના ઈતિહાસના બે મહત્ત્વના પ્રસંગે આલેખાયા છે. એક પ્રસંગ છે સુલતાન બહાદુરશાહે મળવા જીતી લઈને ગુજરાતમાં મેળવ્યું છે અને બીજો પ્રસંગ એણે પોચુગીઝ પર મેળવેલા વિજયને લગત છે.
સીદી અલી રેઈસ: સીદી અલી રેઈસ તુકના એક કાફલાના સેનાપતિ તરીકે ઈરાની અખાતમાં આવેલ. એને મસ્કત આગળ પિચુગીઝના કાફલાને ભેટો થતાં સખત લડાઈ થઈ, જેમાં એ હાર્યો અને ગુજરાતના કિનારા તરફ નાસવા પ્રયત્ન કર્યો. મકરાણના દરિયાકિનારે થઈને ગુજરાત આવતાં એને અરબી સમુદ્રમાં વિટાળિયાનું તેફાન નડયું તેથી એ કચ્છના અખાત તરફ ઘસડાઈ આવ્યા. ત્યાંથી આ કાર્લો બિલકુલ અસ્તવ્યસ્ત હાલતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે પુરમિયાણી વેરાવળ માંગરોળ વગેરે બંદરોએ થઈને દીવ નજીક આવ્યા, પરંતુ પિચુગીથી અલી રેઈસ એટલે બધે ડરી ગયેલે કે એ દીવ ઊતર્યો નહિ, તેથી દક્ષિણ ગુજરાતના દમણ બંદરે એણે પિતાના કાફલાને ઉતાર્યો. દમણમાં એ વખતે મલિક ઈઝીદ નામને ગુજરાતના સુલતાનને વહીવટદાર હતા. તેણે સીદી રઈસને આવકાર્યો. દમણમાં પણ એને સલામતી ન લાગતાં એ સુરત આવ્યા. અલી રેઈસ તથા એના માણસોને પિચુગીને ડર એટલે બધો હતો કે એઓ સુરત દરિયાઈ માગને બદલે જમીન-માગે ગયા. લગભગ એના તમામ માણસેએ ગુજરાતમાં નેકરી સ્વીકારી લીધી.
આ સીદી અલી રઈસ નૌકાસેનાપતિની સાથે સાથે કવિ લેખ ગણિતશાસ્ત્રી ભૂગોળશાસ્ત્રી ખગોળશાસ્ત્રી અને એમનોલેજ(સમુદ્રને લગતા શાસ્ત્ર)ને ખાસ જાણકાર હતો. એણે “અલગ્રહિત (મહાસાગર) નામનું એક પુસ્તક ઈ. સ. ૧૫૫૪ માં અમદાવાદમાં રહીને લખ્યું તથા પૂરું કર્યું હતું. પથિક]
મે ૧૯૯૩
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરાંત એણે “મિરાત અલ મમાલિક (દશાનું દર્પણ) નામનો એક પ્રવાસગ્રંથ લખે. છે. એમાં એણે પિતાની નૌકા સેનાપતિ તરીકેની કામગીરી તે વર્ણવી છે, સાથે સાથે ગુજરાતના ઈતિહાસને લગતી ઘણી બાબતે દર્શાવી છે. ગુજરાતના ઇતિહાસની લેખન-પ્રવૃત્તિમાં એનું સ્થાન અદ્વિતીય છે. છે. કેમિસેરિયટે એમના ગુજરાતના ઇતિહાસમાં આ સીદી અલી રેઈસ માટે એક આખુ પ્રકરણ લખેલું છે. આમાં એનું ચરિત્ર તથા ગુજરાત સાથે સંબંધ ધરાવતી ન હોય એવી ઘટનાઓ પણું આલેખી છે. સીદી રેઈસની મુસાફરીના અહેવાલનો ગુજરાતને લગતે ભાગ અંગ્રેજીમાં ભાષાંતર કરી હેમરે મુંબઈની સાહિત્ય સભાના ઉપક્રમે પ્રસિદ્ધ કરેલ છે.
મિરાત અલ મમાલિકીમાં ગુજરાતના એ સમયના રાજકીય વાતાવરણનું પણ વર્ણન છે. એણે નોંધ્યું છે કે સુલતાન અહમદશાહ ત્રીજાએ નાસીરઉમ્મુલક નામના વિદ્રોહીને વિદ્રોહ કચડી નાખવા માટે લેખકના ૨૦૦ તુક સૈનિકોની મદદ લીધેલી.
સુરતથી અમદાવાદની એની મુસાફરી ઘણી જ રસિક છે. અમદાવાદથી એ પાટણ પહોંચેલા ત્યાં એ વખતે શેરખાન ફેલાદીત્રા અફઘાને અને સમીને ફતેહખાન બલૂચના મકરાણીઓ વચ્ચે સંધર્ષ ચાલતું હતું, જેને એણે ઉપર્યુક્ત ગ્રંથમાં તાદશ ચિતાર આપ્યો છે. એ વખતે સમગ્ર ગુજરાતમાં કેવી અશાંતિ અને અરાજકતા ભરી સ્થિતિ હતી એને ખ્યાલ આવે છે. એણે ગુજરાતને વાણિયાઓને દેશ કહ્યો છે એ સૂચક ગણાય.
અહમદ યાદગાર: અહમદ યાદગાર સૂર વંશના સુલતાનની સેવામાં હતું. સુલતાન દાઉદશાહે એને અફઘાન સુલતાનેનો ઈતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું તેથી એણે “તારીખ-ઈસલાતીન-અફઘાન” નામના ઇતિહાસગ્રંથની રચના કરી એણે પિતાના ઈતિહાસની શરૂઆત બહલોલ લેદીના શાસનકાલથી કરી છે અને એનું છેલ્લું પ્રકરણ વિક્રમાદિત્ય હેમુને મુઘલો દ્વારા પકડવામાં આવ્યો ત્યાં પૂરું થાય છે. લેખકના પિતાએ હુમાયુના ગુજરાત પરના આક્રમણમાં ભાગ લીધો હતો.
એ નેધે છે કે ઈબ્રાહીમ લેદીના કાકા આલમખાને નિષ્ફળ બળવો કર્યા પછી બદષ્ણા થઈને ગુજરાતમાં આશ્રય લીધો હતે. ઉપરાંત સુલતાન આદિલશાહ સૂર અને એક ભવિષ્યવેત્તા વચ્ચેની વાતચીતમાં એક ભવિષ્યકથનમાં અત્યંત રસપ્રદ રીતે ખંભાતને ઉલેખ આવે છે.
કેટલાક અજ્ઞાત લેખકે: ઉપયુક્ત લેખકે ઉપરાંત કેટલાક અનામી-અજ્ઞાત લેખકોની ગુજરાતના ઇતિહાસવિષયક રચનાઓ પ્રાપ્ત થાય છે. આમાં ક્યાંય લેખકનું નામ જોવા મળતું નથી. આવી કૃતિઓમાં “મુઝફરશાહી' નામને ગ્રંથ અગત્યનું છે. એમાં સુલતાન ઝફરખાન ઉર્ફે મુઝફ્ફરશાહના શાસનને અહેવાલ છે. પ્રસ્તુત રચનામાં ઈ. સ. ૧૩૪૧ થી ઈ. સ. ૧૪૧૧ સુધીને કાલખંડ આવરી લેવાયા છે. એની કઈ પ્રત અત્યારે મળતી નથી, પરંતુ એની પછીથી લખાયેલ તવારીખેમાં આ ગ્રંથને ઉલ્લેખ તેમ સંદર્ભે મળે છે.
બીજી કૃતિ છે ‘તારીખે ઈબ્રાહીમી,” જેને “તવારીખેહુમાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથમાં ઝફરખાનની ઈ. સ. ૧૩૯૧માં ગુજરાતના સૂબા તરીકે નિમણુંક થઈ ત્યારથી માંડીને સુલતાન મહમૂદશાહ બીજાના સમય એટલે કે ઈ. સ. ૧૫૩૭ સુધીને ટૂંકમાં ઈતિહાસ આપવામાં આવ્યો છે.
ત્રીજી અગત્યની કૃતિ છે “તારીખે મુઝફરશાહી'. એમાં ગુજરાતને ઈ. સ. ૧૫૬ થી ૧૫૭૩ સુધીને ઈત્તિહાસ અત્યંત વિગતપૂર્ણ રીતે આવરી લેવાય છે. આ ઉપરાંત આવી જ એક અન્ય કૃતિ “તારીખ–ઈ–મુહમુદશાહી' નામની મળે છે, જેને લેખક પણ અજ્ઞાત છે. છે. ઉગમણે ભાટવાડે, વિસનગર-૩૮૨૩૧૫ ૧૦ ] મ/૧૯૯૩
[ પથિક
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છને પ્રથમ માનવી
શ્રી રાજરાન ગોસ્વામી
દુર્ભાગ્યે આજે હડપ્પીય સંસ્કૃતિના ભારતમાં અને ખાસ તે ગુજરાતમાં અવશેષના સંશોધનમાં આપણે એટલા તે ગુલતાન થઈ ગયા છીએ કે પુરાતાત્વિક સંશોધનમાં પાષાણયુગીન માનવસભ્યતાના અવશેષે શોધવામાં જરાય રસ લેતા નથી. આને સૌથી ખરાબ પ્રભાવ એવો પડ્યો છે કે આજે ગુજરાતમાં એકેય સ્થળે પાષાણયુગીન સભ્યતાની બેજ માટે વિધિવત્ ઉખનન-કાર્ય વીસ વરસોથી હાથ જ ધરવામાં આવ્યું નથી. એક તે પાષાણકાલીન શોધો પુરાતત્ત્વવિદોમાં રોમાંચ પેદા કરી શકે તેવી ભવ્યતાઓ–વિહીન હોય છે, તે બીજી બાજુ એની શોધખોળમાં ભટકવાનું વધારે હોય છે, તેથી પુરાતત્વવિદો કદાચ નિષ્ક્રિય થઈ જતા હોય. આવી ઉપેક્ષાને સૌથી ખરાબ શિકાર રહ્યો છે ક૭. કચ્છ કે જેણે આજ લગી વિશ્વની વિવિધ જાતિઓ અને એમની સભ્યતાઓને ન કેવળ આશ્રય આપ્યો છે, અપિતુ એમને સુરક્ષિત પણ રાખી છે કે આજે પણ એક અથવા બીજા સ્વરૂપે એ સંસ્કૃતિઓ અને જાતિઓ અહીં યત્ર-તત્ર દષ્ટિગોચર થાય છે. એને જ પ્રાચીનતમ માનવી વિષયે નહિ જેટલી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે અને જે પણ છે. તે ક્ષેત્રની વિશાળતાના પ્રમાણમાં ખૂબ જ અલ્પ છે, અપૂરતી છે, છતાં, જે કાંઈ છે તેને જ આધાર માની, અન્ય સ્થળેના તુલનાત્મક અભ્યાસના આધારે આજે આપણે જોઈએ કે “કચ્છને પ્રથમ માનવી કોણ હતે.”
કરછમાં પુરાતાત્વિક સંશોધનમાં પ્રાચીન માનવી વિશે જોડાયેલ સંશોધનના વ્યવસ્થિત પ્રયાસ ડેકકન કેલેજ-પૂના દ્વારા ૧૯૬૭ દરમ્યાન થયા. ત્યાર બાદ રાજયના પુરાતત્ત્વ ખાતાની “નદી-સર્વેક્ષણ અને ગામે-ગામ સર્વેક્ષણ” જેવી યોજનાઓ હેઠળ ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી કેટલાંક સ્થળોનાં અભ્યાસ અને ઉપરિ–સર્વેક્ષણ (સફેસ-સર્વે હાથ ધરવામાં આવ્યાં. આ સર્વેક્ષણના ફલસ્વરૂપે ભૂજ અંજાર નખત્રાણા ભચાઉ લખપત અને રાપર તાલુકાઓમાંથી અશ્મીભૂત અવશેષો અને પાષાણયુગનાં વિવિધ કાલનાં હથિયાર પ્રાપ્ત થયાં.' (આ હથિયારો પૈકીના ઘણા નમૂના કચ્છ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેમજ થોડાક પુરાતત્ત્વ અધીક્ષકશ્રી કચ્છ વર્તુળ, ભૂજની કચેરી ખાતે સચવાયા છે.)
છેલ્લા બે દાયકાથી પ્રાગૈતિહાસિક અધ્યયનના ક્ષેત્રમાં એક નવું પરિણામ ઉમેરાયું છે. પહેલાં અધિકાંશ પુરાતત્વવિદ કૃત્યાવશેષો'(artifacts)ના પ્રકાર, તકનીક, કાલક્રમાનુસાર વિકાસ અને પાષાણ તથા વાસણ-કૃત્યાવશેષના સમૂહોના ક્રમબદ્ધતા અને ક્ષેત્રીય સંબંધ સ્થાપિત કર્યા કરતાં પરંતુ હવે થોડાક સમયથી વિદ્વાને કૃત્યાવશેષોનાં ઉપયુક્ત પૃથક્કરણની સાથે-ખાસ તે ભૂસંરચના. આઘજીવવિજ્ઞાન (વનસ્પતિ અને પ્રાણુઓ) અને આદ્ય હવામાન ઈત્યાદિના વિશદ અભ્યાસ ઉપર ભાર મૂકી. પ્રાગૈતિહાસિક સભ્યતાને એક પૂર્ણ નિવસનતંત્ર રૂપે માનવી અને કુદરતના સંસર્ગમાં થયેલા એના વિકાસના અભ્યાસને વધુ ભાર મૂકવાની નવી વિચારપ્રણાલી અપનાવવા લાગ્યા છે, એટલે કે બને તેટલું જે તે સમયના માનવી અને એના પર્યાવરણના સંદર્ભમાં એના ઈલેજિકલ સંબંધે વિષય જાણવું અને તેથી કૃત્યાવશેષોને( artifacts)ને કેઈ પણ સંસ્કૃતિનું એક પાસું માત્ર-છે કે ખુબ જ અગત્યનું સમજવામાં આવે છે. આવા અભ્યાસને ઘણા અન્યાન્ય પુરાવાઓની આવશ્યકતા રહે છે, જેમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને અન્ય કાર્બોદિત અવશેષની સાંસ્કૃતિક અને ભૂસ્તરીય રચનાપથિક]
એ/૧૯૯૩
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના સંસĆમાં અભ્યાસ કરી માનવ-ઉત્ક્રાંતિને જે તે વખતના પર્યાવરણીય ભૌગાલિક હવામાન પ્રતિ એના પ્રત્યુત્તરને જાણવાનુ રહે છે, કેમકે ખરેખર તા માનવ-ઉત્ક્રાંતિ પર્યાવરણની જ એક દેન છે.
ગુજરાતની ભૂભૌતિકતાના અભ્યાસ આવી રીતે ૧૮૯૮ માં આઈ. બી.ફૂટેએ કર્યાં. ત્યાર પછી એક. ૪. ઝૂનર (૧૯૫૦)૩, કે. આર. યુ. ટોડ (૧૯૩૯)૪, ડી. પી. અગ્રવાલ, આર. કે. અવાસિયા, સ્ટાટીરા ગુઝેર (૧૯૭૩)પ, એસ. કે. ગુપ્તા (૧૯૭૨)૬ એસ. એન. રાજગુરુ (૧૯૭૬)o અને હાલમાં જ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગના વડા કે, ટી. એમ. હેગડેએ આ દિશામાં કાર્ય કર્યુ છે. કચ્છના ભૂસ્તરીય ઇતિહાસ વિશે કે જે આદિ માનવની વસાહતા સાથે સંબંધ ધરાવે છે તેની આપણને ખૂબ જ ઓછી જાણકારી મળે છે. વિદ્વાના સામાન્ય રીતે કચ્છના ભૂસ્તરને ઉત્તર બાજુના સિંધ અને દક્ષિણમાં સૌરાષ્ટ્ર તથા પૂર્વમાં રાજસ્થાન અને ગુજરાતનાં પાડોશી ક્ષેત્રાની જેમ શુષ્ક પ્રદેશના એક વિસ્તાર માને છે. સૌરાષ્ટ્રની જેમ કચ્છને પણ લાંખા સમુદ્રકાંઠા છે. કચ્છ શુષ્ક (એરિડ) ક્ષેત્ર હાવા છતાં ચારે બાજુ સમુદ્ર હાઈ હવામાં ભેજનુ પ્રમાણ ઘણુ' હોય છે. છેક ભૂજ જેવા ક્ષેત્રના નજીકનાં (લેરી રતનાલ વગેરે) ગામાથી અશ્મીભૂત જળચરો મળતાં હાઈ કચ્છના માટે ભાગ દરિયા હેઠળ હશે એવું જણાય છે. કચ્છમાં રાજસ્થાનના થરના મત્તુ પ્રદેશમાં મળતા માટીના ટીંબા નથી. મધ્ય કચ્છના ઊંચા પ્રદેશની ગયેલ લાવા– ખડાથી બન્યા છે. કરાડા વર્ષો પૂર્વે દરિયાની સપાટીથી સમુદ્રભાગા ઊંચકાતાં ઉત્તર અને પૂર્ણાંમાં ખામાચિયા જેવુ` રહ્યુ કચ્છને મળ્યું છે. આ રણની સપાટી ઉનાળામાં સુકાઈને કાણું પડ જેવી થઈ જાય છે. ચામાસા અને ભરતીમાં જ્યારે એક બાજુ નદીનું પાણી આ રણમાં પડે છે અને બીજી બાજુ અરબી સમુદ્રમાંથી ભરતી આવે છે ત્યારે આ વિસ્તાર દરિયાઈ ઝીલ જેવા થઈ જાય છે. દક્ષિણને કંઠી વિસ્તાર મધ્ય કચ્છના ઉચ્ચ પ્રદેશથી નીકળતી નદીઓનાં મીઠા પાણીથી તેમજ ભૂગર્ભ જલી સિચિત હાઈ કૃષિયાગ્ય બન્યા છે.
ભૂભૌતિક વિજ્ઞાનના હિસાખે આવું જણાય છે કે આજે જ્યાં ઉત્તર ભારતના ગગા અને સિધતા મોટા સપાટ અને ફળદ્રુપ મેદાની વિસ્તાર છે તે પહેલાં ટીથિયસ નામના સમુદ્ર હતા અને દ્વીપકલ્પ ભારત આફ્રિકાના પૂર્વ" કાંઠા સાથે જોડાયેલ હતો. કાલાંતરમાં ભારત દ્વીપકલ્પ ઉત્તર તરફ ખસતાં ખસતાં ટીથિયસ સમુદ્રની જગ્યા પાર કરી એશિયાખંડ સાથે જોડાયા. આ જોડાણથી સમુદ્ર તા નીકળી જ ગયા. સાથે-સાથે દ્વીપકલ્પના સતત ાથી આ ભાગની જમીન ઊંચકાવા લાગી અને આપણા આજના હિમાલયના જન્મ થયા. દ્વીપકલ્પ ભારતનું ખાણ એટલુ` તીવ્ર છે કે આજે પણ હિમાલયની ઊંચાઈ સતત વધતી રહે છે. હિમાલયના ઊંચકાવાથી ત્યાં ભૂભૌતિક પરિવા પણ સતત થયાં છે. નવી નવી ટેકરી બની. અમુક ટેકરીએ તેા પૃથ્વી ઉપર પ્રાણીઓના ઉત્ક્રાંતિ કાલ દરમ્યાનની જ છે અને તેથી આ ટેકરીઓનાં પડેમાં આજે પણ જીવાશ્માના અસ`ખ્ય નમૂના પ્રાપ્ત થાય છે. આવી ટેકરીએ! આદ્ય ભૂસ્તરવિજ્ઞાન અને માદ્ય પ્રાણિવિજ્ઞાનના અભ્યાસીઓ માટે ખૂબ જ અગત્યની થઈ ગઈ છે. પતા પ્રમાણમાં ખૂબ જ નાની વયના હાઈ પ્રાણીઓના અવશેષ નીચે તે નીચે જ દટાતા જાય છે. હિમાલયની ભૂભૌતિક રચનાના અભ્યાસીએ માટે કાશ્મીરનું સંશાધન કરતાં તેરા અને પિટનને૧° જણાયું કે કાશ્મીર ખીણુ(સાન ખીણ)ના આદ્યપાષાણુયુગીન ગાળામ હથિયારા (લોઅર પેલિયેલિથિક પેબલ ટૂલ્સ)ના જથ્થા આજે જે પરિસ્થિતિમાં મળે છે તે ખરેખર તો આના કરતાં જુદા પ્રકારની જ પરિસ્થિતિમાં જ તૈયાર થયા હતા અને આજે જે રીતે મળ્યો છે તેનું કારણ્ હિમાલયના પંતામાં સતત વધતી ઊંચાઈ છે. પિટસઅેનના અભ્યાસે
૧૨]
મે/૧૯૯૩
[ પથિક
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બતાવી આપ્યું છે કે સેન ખીણનાં ઓજાર મોડેના પ્લાયસ્ટેસિન યુગનાં છે અને શિવાલિક કે અન્ય નવા બનેલ પર્વતની ટેકરીઓમાં સતત ઊંચકાતાં હિમાલયનાં પડેમાં નીચે નીચે અને નીચે દટાતાં જાય છે, તેથી ઉત્તર ભારતની પ્રાગૈતિહાસિક પ્રથમ માનવસભ્યતાના અભ્યાસ અને દેશના અન્ય ભાગો સાથે સરખામણી માટે એ સમયના હિમાલયનાં ભૂસ્તર અને પર્યાવરણને અભ્યાસ કરવા જરૂરી છે. પિટર્સનના વિધાન પછી પ્રાગૈતિહાસિક કાલના અભ્યાસીઓએ સમગ્રરૂપે ભારત અને વિશિષ્ટરૂપે પશ્ચિમ ભારતની ભૌતિક સંસ્થાના અભ્યાસમાં રસ લેવા લાગ્યા ત્યારે જણાયું કે વાસ્તવમાં સમસ્ત વિશ્વની જેમ ભારતીય ઉપખંડ પણ સ્થાયી અને અસ્થાયી વાતાવરણીય પરિવતનેને ભોગ બન્યા છે.
આ અભ્યાસના ફલસ્વરૂપે આપણને ખ્યાલ આવે છે કે કચ્છ ન તો કાયમ ખુશ્કીવાળે રણપ્રદેશ રહ્યો છે કે ન તો કાયમી લીલે અને ભેજયુક્ત વનપ્રદેશ. ખરેખર છેલ્લા હિમપ્રપાતયુગના અંત સાથે કચ્છમાં સમયે સમયે લીલેતરીવાળી અને શુષ્ક બેઉ પરિસ્થિતિ સર્જાતી રહી છે. કચ્છની ભૂસ્તરીય રચના વચ્ચે લાવારસની ટેકરીઓને ચારે બાજુ પથરાયેલ–એક બાજુ જ્યાં પરવાળાં અને જીવાશ્મીય ચૂનાના થરોથી બની છે, તે બીજી બાજુ વાગડ અને બન્નીને પ્રદેશ તથા સિંધના કાંપે અને રાજપૂતાનાની મભૂમિને ભાગ છે. ઉત્તરીય કચ્છ સીધે-સીધે સિંધ રાજપૂતાના અને પંજાબના સપાટ ભાગોના રસ્તે હિમાલય સુધી ધરાતલીય સપાટ પ્રદેશની એક પહોળી ગલી જેવા વિસ્તારથી સંકળાયેલ છે, તેથી શિયાળામાં ગુજરાતના અન્ય વિસ્તારની અપેક્ષાએ અહીં ઠંડી વધુ સખત પડે છે. કાંઠા વિસ્તાર ભૂજની ઊંચાઈથી ન કેવળ આ ઠંડીથી સુરક્ષિત રહે છે, દરિયાઈ ભેજથી ઉષ્ણતા પણ મેળવે છે.
મેડેના-ગ્લાયસ્ટોસિન યુગમાં કે જયારે વિશ્વમાં ખાસ તે આફ્રિકા એશિયા અને પશ્ચિમ યુરોપમાં માનવની ઉત્ક્રાંતિની સૌથી સારી વાતાવરણીય પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કરછમાં પણ સરસ વસવાટ કરવાની પરિસ્થિતિ હતી. રિમોટ-સેસિંગ પદ્ધતિથી મેળવેલ ઉપગ્રહચિત્રો જણાવે છે કે કચ્છના ઉત્તરમાં પ્રાથળ અને દક્ષિણમાં મુંદ્રા સુધીના વિસ્તારમાં લાયસ્ટેસિન પૂર્વેના સમયને લીલે પટો જોવા મળે છે, જે પાછળથી રેતીના થરો નીચે દબાઈ ગયે (શુષ્ક સમયમાં), તે વાગડ અને ઉત્તર ગુજરાતના ભૂસ્તરીય અભ્યાસમાં વિદ્વાનોએ ૨ રેતીને અસ્મીભૂત થયેલ મોટા ટેકરાઓ (આ ટેકરાઓ આજે રેતિયા પથ્થરના ટેકરા જેવા લાગે છે, ખરેખર તે આ ટેકરા જામી ગયેલ રેતીના ટીંબા જ હતા.) જેવા છે. આ અસ્મીભૂત રેતીના ટેકરાએ છેક દિલ્હીથી વડોદરા સુધી વિસ્તાર દર્શાવે છે, તેથી આવ્યીન અને હેગડે વગેરે જણાવવા પ્રેરાય છે કે મધ્ય-પ્લાયસ્ટાસિન યુગમાં રણને વિસ્તાર આજે છે તેના કરતાં વધારે વિસ્તૃત હતું, પરંતુ મોડેના પ્લાયસિન યુગમાં હવામાં ભેજને વધારે થતાં વનસ્પતિયુક્ત વિસ્તારને વધારે થયે અને ઉત્તરગુજરાત સિંધ કરછ સૌરાષ્ટ્ર અને રાજપૂતાનાના શુષ્ક પ્રદેશમાં ઘાસ-ચારાની સુવિધા વધી, ઘાસચાર વધતાં તૃણભક્ષીઓ અને કંદમૂળ-ફળોનું પ્રમાણ ખૂબ જ વધ્યું. આ બેઉ આદિમાનવના ઉછેર માટે ખૂબ જ જરૂરી હતું, તેથી જ્યારે આ લીલેરી વધી ત્યારે જ માનવને ઉદ્દભવ જે આપણે પ્રોફેસર ચોપરાને મત સ્વીકારીએ તે)' અથવા આગમન (જે માનીએ કે એ આફ્રિકાથી અથવા ઈન્ડોનેશિયાથી આવ્યો હોય તે) થે. રિમેટ-સેસિંગ ચિત્રો આપણા કચ્છનાં રજુ કર્યા છે તે બતાવે જ છે કે મોડેના પ્લાયસિન યુગમાં કચ્છ ભેજયુક્ત લીલેરીથી આચ્છાદિત પ્રદેશ હ.
ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને શુષ્કતા વધતી ગઈ. એને લીધે રેતીના થરમાંથી વનસ્પતિ લુપ્ત થઈ ગઈ અને રેતાળ વિસ્તાર વધે, પરંતુ આ પરિસ્થિતિમાં હિમાલયવિસ્તારમાં
પથિક
૧૯૯૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્કળ ઉષ્ણતામાં વધારો થતાં, રણપ્રદેશમાં હળવો ભેજ ફરી વળે. સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં મધ્ય પાષાણયુગનાં હથિયારો આજ યુગના ઘરોમાં મળે છે. દટાયેલ લાલ માટીના થરે આ સમયના ભૂસ્તરમાં દેખાયા છે, જે પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિની પેદાશ જણાવે છે. કચ્છના લીલા પટા સિવાય અન્ય ભાગોમાં પણ આ સમયે વનસ્પતિ વધવા સાથે માનવ-વસવાટ લાયક સ્થળોમાં વધારો થયો જણાય છે. પુરાતત્વ ખાતાની શોધ દરમ્યાન તેથી જ મધ્ય અને ઉત્તર પાષાણયુગનાં હથિયારો સારા પ્રમાણમાં મળ્યાં છે. ૧૪ આ યુગની ખાસિયત એવી છે કે માનવ-જનસંખ્યામાં સ્થાનિક ભેદોને પણ વિકાસ નાંધાતાં સ્થળ-રથળના કૃત્યાવશેષોમાં સ્થાનિક છાંટ જુદી તરી આવે છે.
છેલ્લે વધારે પડતી જનસંખ્યા અને લીલેતરીના ભયંકર વિનાશને લીધે (વધુ પડતાં ઘેટાં બકરાં જેવાં પ્રાણીઓ દ્વારા) તથા હવામાનને અન્ય ફેરફારને લીધે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં ફરીથી શુષ્ક કાલ શરૂ થાય છે. વિદ્વાનોનું માનવું છે કે આ જ કાલ દરમ્યાન શુષ્કતા વધતાં દુષ્કાળની હારમાળા સર્જાવા લાગી અને હડપ્પીય લેકેની વસાહત ભાંગી પડી.
પશ્ચિમ રાજસ્થાનમાં આ સમયની પાણીના અભાવે સેકીને અસ્મીભૂત થઈ ગયેલ નદીઓના સંખ્યાબંધ અવશેષ આચીન અને હેગડેએ શેધ્યા છે. ૧૫- આજે કચ્છ સેમિએરિડ પરિસ્થિતિમાં છે.
આપણે જોયું કે ભૌતિક અને વાતાવરણીય પરિવર્તનનો અભ્યાસ માનવ-ઉતક્રાંતિના ક્રમને જાણવામાં કેટલી મદદ કરે છે. હવે જોઈએ કે કચ્છમાં માનવ-વિકાસ કેમ શરૂ થયું. માનવ-વિકાસના પુરાવા-રૂપે આપણી પાસે છે માત્ર અત્ર-તત્ર મળતાં પાષાણયુગનાં હથિયારો, એ સિવાય કશું બીજું હોય તો હવે કાંતે એ નષ્ટ થઈ ગયેલ છે અથવા તે જડયાં નથી.
આપણે પૂર્વે જોયું તેમ, કરછમાં ગુજરાતનાં અન્ય સ્થળોની અપેક્ષાએ પુરાતત્ત્વક્ષેત્રે પ્રાગૈતિહાસિકયુગ ઉપેક્ષિત રહ્યો છે અને જરા વધુ અસ્પર્શ રહ્યો છે, તેથી જે કાંઈ છે તેને જ આપણે આપણા અભ્યાસને આધાર માનીએ. કચ્છમાં ત્રણ સ્થળેથી આઘ પાષાણયુગનાં ઓજારો મળ્યાં છે. નખત્રાણા તાલુકાના અંગિયા ગામ પાસે ભૂખી નદીમાં, ભુજેડી, ધરૂડ નદી (દેશલપર-નૂતળી પાસે અને રાપરમાં ભુટકિયા ગામ પાસેથી પ્રાપ્ત થયાં છે.
ડિસેમ્બર, ૧૯૬૭માં ૬ ડેક્કન કોલેજ-પૂનાના પુરાતત્ત્વવિદોએ ભૂખી નદીના કટાવવાળી કાંપની ત્રણ ફૂટ ઊંચાઈ સુધીમાં સંશોધન દરમ્યાન, જમીનના જામી ગયેલ માટીના પડમાંથી ડોલેરાઈટની મોટી ફલેકસ (પથ્થરનાં છાપરા) મેળવી. આ હથિયાર બૈસાટ અને ચટનાં બનેલ છે. એ ફલેકસે છે. એમાંથી હેડએકસ (હાથ-કુહાડી), રપ (૨દા જેવી ઘસવા માટેની ફરસી), કલીવસ (કુઠાર), ચેપ (છૂદવાનાં હથિયાર) વગેરે બનાવાયાં છે.
ધરૂડ નદીના કાંઠેના નખત્રાણા તાલુકાના દેશલપર-ગંતળી નામની નજીક નૂતળીગઢના મધ્યકાલીન અવશેષો પાસેથી ત્રણ હાથ-કુહાડીઓ મળી આવી છે (એ કરછ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે). આ ત્રણ હાથ-કુહાડીઓમાંની બે ઘેરા રતાશ પડતા રંગની અને એક પીળા રંગના કવાર્ટજેટિક રેતિયા પથ્થરમાંથી બનેલી છે. એક કુહાડી લાંબા આકારની ચારે બાજુએ ધાર કાઢેલી છે. એને હાથાને ભાગ ભરાવદાર અને બંને બાજુએ ઊપસેલે છે, બીજી કુહાડી પીળા રેતિયા પથ્થરની બનેલી છે તે પાન-આકારની (Heart shaped) છે. એને બનાવતી વખતે બંને બાજુથી હળવા હાથે છીપરા છેલવામાં આવ્યાં છે. થોડાક અંશે એ લંબગોળ છે. ઘેરા રાતા રંગના કવાર્ટની ઈટ સેન્ડસ્ટેનમાંથી બનેલ છે તેમાં ઉપરથી પાતળી છીપરાની છાલ જેવી કાઢવામાં આવી છે.
ભુજેની પાસે મળેલ હથિયારીમાં હાથકુહાડીઓ ખૂરપીઓ અને ફરસીઓને સમાવેશ થાય છે. ૧૪]
[ પથિક
મ/૧૩
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટા ભાગનાં ઓજારે કવાટ જઈટમાંથી જ બનાવેલ છે. ભુજેડી પાસેથી બીજા અનેક ઓજાર પુરાતત્ત્વ ખાતાના એ વખતના અધીક્ષક શ્રી ચિત્તલવાળાને પ્રાપ્ત થયાં હતાં, પરંતુ એ આ હથિયારોને પરિવર્તનની કડી સમાન ગણી મધ્ય પાષાણકાલની શરૂઆત અથવા આદ્ય પાષાણકાલના આખરી તબક્કામાંનાં માને છે. જો એવું હેય તે એ ખરેખર નોંધપાત્ર ઘટના પ્રાગૈતિહાસિક માનવ-ઉત્ક્રાંતિની ગણાય, કેમકે આવી કડીઓ આપણને બતાવશે કે ભારતમાં યુરોપની જેમ માનવ-વસવાટ કટકે કટકે નહિ, અપિતુ સળંગ અને ક્રમબદ્ધ છે.
કચ્છથી પ્રાપ્ત આઘ પાષાણયુગીન હથિયારો મોડેના લાયસ્ટોસિન યુગનાં મનાય છે (વકિલ ઉખનનના અભાવે થોડું નિશ્ચિતપણે કહેવું જોઈએ નહિ); જોકે આ વિધાન આપણે માત્ર અન્ય સ્થળોએથી મળેલ આવાં જ હથિયારોના સ્થળના સ્તર–અભ્યાસ (સ્ટ્રોગ્રાફી)ને આધારે જ કહી શકીએખાસ કરીને સિંધ, રાજસ્થાન અને ગુજરાતમાં થયેલ ઉખનનને આધારે. ઘરૂડ અને ભૂખી નદીથી પ્રાપ્ત આદ્ય પાષાણયુગીન હથિયારે કે જેમાં હાથકુહાડા અને કુહાડી (ચેપર અને હેડએકસ) મુખ્ય છે, જે દેશના અન્ય ભાગેની જેમ મોડેના લાયસ્ટોસિન યુગનાં જ હોય એમ જણાય છે.
ટશિયરી યુગને અંતિમ કાલ અને કવાર્ટનરી યુગને પ્રારંભ-કાવ એ યુરોપ અમેરિકા તથા દુનિયાના ઉત્તર ભાગમાં અત્યંત ઠંડા હવામાનને કારણે સામાન્ય રીતે મિકૃત-યુગ (સિયલ પીરિયડ) તરીકે ઓળખાય છે. ભારત વિષુવવૃત્તની નજીક હાઈ કદાચ હિમકૃત યુગમાંથી પસાર ન થયે હોય અને તેથી અહીં હિમયુગ દરમ્યાન માત્ર ઠંડા ભેજવાળું હવામાન રહ્યું હોય (હુવિયલ) એમ મનાય છે, પરંતુ હિમયુગને પ્રભાવ ભારત પર સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને હિમાલય અને એની તળેટીને ભાગ હિસાવરણથી પસાર થયા હતા એ ચકકસ છે, પરંતુ દક્ષિણમાં આવી પરિસ્થિતિ હતી કે કેમ એ કહેવું અઘરું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તથા પ્રાચીન પ્રાણી-વિદ્યાશાસ્ત્રીઓના મત પ્રમાણે આ પ્લાયસ્ટાલિન યુગમાં બીજા હિમાવરણ કાલનાં અંતમાં જારે બનાવનાર બુદ્ધિશાળી અથવા અક્કલવાન મનુષ્ય (હેમેસેપિયન) અસ્તિત્વમાં આવી ગયા હતા.
ઉત્ક્રાંતિની શૃંખલામાં કપિ-સમુદાયમાં અંતિમ ચરણમાં પુછ-રહિત વાનર-પરિવારની જ એક શાખામાં મનુષ્યને પણ સમાવી લેવાયેલ છે. આપણું પુરોગામીઓ નિશ્ચય જ આપણાથી વિપરીત, પ્રથમ તે ચિમ્પાઝી અથવા ગેરિલાની જેમ ચોપણા જ હતા, પરંતુ એમને એક વિકસિત સ્વરૂપે બે પગે ઊભા રહેવાનું શરૂ કર્યું, પરંતુ શું આ સ્વરૂપને માનવી તરીકે સ્વીકારી લેવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર જાણવા પહેલાં આપણે એ જાણવું પડશે કે ઉચ્ચ કપિએ (કપિ એટલે પુછ વગરના વાનરો) અને માનવ વચ્ચે ભેદરેખા કયાં પાડવી. અત્રે યાદ રાખવું ઘટે કે વાણીના માધ્યમ થકી વિચારોની આપ-લે પહેલાં પણ માનવી અસ્તિત્વમાં તે હતો જ, તેથી નૃવંશવિદો માને છે કે અન્ય પુથ્થહીન વાનરેથી જે કોઈ ખૂબી માનવીને જુદે તારવી શકે એમ છે તે એ છે શારીરિક ક્ષમતા, ઉપરાંત પિતાના કાર્ય માટે અન્ય વસ્તુઓને હથિયાર તરીકે ઉપયોગમાં લાવવાનું. એમાં પણ ખાસ કાર્ય માટે ખાસ હથિયારો ઘડવાં અથવા તૈયાર કરીને પછી એને ઉપયોગ, આ માત્ર માનવ જ કરી શકે એમ છે. જૂની દુનિયા (અમેરિકાના ખંડો સિવાયના વિશ્વ)માં૧૮ દરેક સ્થળે પુરાતત્વવિદાએ આજે ઠેક-ઠેકાણેથી આવાં પથ્થરનાં હથિયારો શોધી કાઢવાં કે જે ન કેવળ માનવીના અસ્તિત્વ ઉપર પ્રકાશ નાખે છે, બલકે પુરાતાત્વિક સ્તરવિજ્ઞાન અને ભૂભૌતિકીના અભ્યાસ થકી માનવીના સાંસ્કૃતિક વિકાસની પણ કડીબદ્ધ માહિતી આપણને આપે છે. તાજાનિયા (પૂર્વ આફ્રિકા) ની રિસ્ટ-ખીણમાંની પૂર્વ શાખાના નિખ અને મધ્ય પ્લાયસ્ટેસિન થરો માનવ-ઉત્ક્રાંતિ સાથે મે/૧૯૯૩
[૧૫
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાષાણ-તકનીકના વિકાસની સર્વોત્તમ કમબદ્ધ શૃંખલા પ્રસ્તુત કરે છે. આ છે “હુવાન ખીણ. સને ૧૯૫૧ થી ઓછુવાનની ખીણે પ્રાગૈતિહાસવિદોનું ધ્યાન આપ્યું છે. આ ખીણમાં અવશેના ઠોસ અભ્યાસથી નૃવંશજ્ઞ લીકેને લાગ્યું કે અહીં લગભગ અઢાર લાખ વર્ષો પેહલાં આજના માનવી કરતાં જુદી કિસમનાં પણ માનવ જેવાં પ્રાણીઓ કુદરતી દડા જેવા પથ્થરમાંથી તદ્દન ચીલાચાલુ હથિયાર બનાવતાં હતાં, જેમાં હતાં હાડકાં અથવા ફળ-મૂળ છૂદવા માટેના કુઠારો અને પથ્થરનાં છીપરાં (ફલેકસ). આ હથિયારને પાછળથી “એહુવાન ટૂલ્સ” જ નામ અપાયું છે
ફાંસમાં લેવલેને ખાતે 'ઘૂમલ અને એના સાથીઓ દ્વારા ૧૯૫૯ અને ૧૯૬૨ દરમ્યાન કરેલ ઉત્પનનમાં કુઠાર અને બિનતરાશેલ છીપરા(પર્સ અને અનરીટરડ ફલેકસ)ના નામે છતાં અગત્યને જ ધ્યાન પર આવ્યું હતું. આ કૃત્યાવશેષો સાથે સારા પ્રમાણમાં પ્રાણી-અવશેષો પણ મળ્યા,૨૦ જોકે ભૂલે થોડા આ કૃત્યાવશેષોને !અને જીવાશ્મને આધારે વધારે જ પ્રાચીન (મધ્ય ગ્લેશિયેન યુગ) સમયના માને છે;૨૧ જો કે પાછળથી જાગુઈરની દક્ષિણ-પૂર્વ સ્પેઈનના કેન્ડીઝ સ્થળના સંશોધને પાષાણની આ પ્રાચીન માનવસજનાને ઠીક ઠીક પાછળ તે ધકેલી જ છે.૨૨
આપણે એશિયામાં પણ છેક સેવિયેત મધ્ય એશિયથી ચીન સુધી બ્રહ્મદેશ અને જવાને ભેદતા પ્રાચીન માનવ અને એના કૃત્યાવશેષોના વિસ્તૃત ચરો દેખાયા છે. આ જ ઘરમાં દક્ષિણ વિસ્તાર આપણું કાશ્મીરના ખીણવિસ્તારના સેનેવેલીના ગેળા હથિયારોને પણ છે; આ તબક્કો
જો કે ઓછુવાન-તબક્કાથી પછી છે. ભારતમાંના આ તબકકાના કુઠાર(ચોપર્સ)ને સેનલીના નામે “સેન-સંસ્કૃતિ' તરીકે જ ઓળખવામાં આવે છે. સેન પ્રકારનાં ગળાક્ષ્મ હથિયારના અસંખ્ય નમૂના ડાંગમાં અંબિકા અને પૂર્ણાની ખીણમાં પણ ડી. બી. ચિત્તળેએ શોધ્યા છે, પરંતુ એના વિશે પૂર્ણ સંશોધન ન થયું હઈ સેન-ખીણ સાથે સંબંધ જાણી શકીએ નહિ,૩૩ પરંતુ ભારતીય દ્વીપ કલ્પમાં માત્ર આશુલિયન પ્રકારનાં જ (સારી રીતે તરાશેલી હાથ-કુહાડી જેવાં હથિયારો કે જે પાછળના કાળનાં માનવામાં આવે છે અને ફ્રાંસને આશુલ વિસ્તારના નામે ઓળખાય છે) હતાં એવું માનવું લેખને અપ્રતીતિકર લાગે છે. બલકે સેવેલી જેવાં અને પ્રાફ સેનવેલી જેવાં હથિયાર અન્યત્ર પણ મળ્યાં છે. ભલે ને આપણે સ્વીકારીએ કે મોટા ભાગને દ્વીપકલ્પથી પ્રાપ્ત આઘામે આશુલિયન પ્રકારના જ છે.
નૃવંશશાસ્ત્રીઓ આફ્રિકન આદિ માનવને ઓસ્ટ્રેલિપિથેસિન અને પેકિંગ તથા જાવાના આદિ માનવને પિથે કેન્થોપસ એવું નામ આપે છે, એમાં પણ દક્ષિણ આફ્રિકાથી પ્રાપ્ત જિ-જોબ્રોપસ સૌથી પ્રાચીન અને માનવ-સમ પ્રાણી હતું એવું માને છે. ક્રમાનુસાર જોઈએ તે પિથેકેલ્ટોપસ ઑસ્ટ્રા લેપિથેકસથી પાછળના કાલને માનવ–પૂર્વજ હેવાનું માનવામાં આવે છે.
આપણે સ્વીકારવું પડશે કે આરપાષાણ ભારતીય સંસ્કૃતિ વિશે આપણે કશું વિશેષ જાણતા નથી, પરંતુ શેષ વિશ્વની અન્ય જગ્યાઓના પુરાવા પણ એમાં કશે ઝાઝો ઉમેરો કરતા નથી. આ માનવ પૂર્વની મુખ્યત્વે આવા તદ્દન નષ્ટ થઈ જતા હોય તેવા કાર્બોદિત પદાર્થોવાળી વસ્તુઓ વાપરતા હશે કે જે એ વખતે સહેલાઈથી ઉપલબ્ધ થતી હતી, જેમકે શિકાર માટે લાકડાના થડની ગાંઠ સાથેની શાખ, વાંસ અથવા નળની અણીદાર લાકડી ભાલા તરીકે અને ભાગેલ હાડકાની ધારદાર અણીઓ નજીકથી પેટમાં ઘુસાડી દેવા માટે તેથી એમને કદાચ નવી જાતની વધારે કડાકૂટવાળી તકનીકી વિકસાવવાની જરૂરત જ ઊભી ન થઈ હોય, પરંતુ યદા-કદા મળતાં હથિયારે આટલું તે સૂચવે જ છે કે એ કાલમાં નહિ, પરંતુ માનવ જે વિકસિત અને બે પગે ઊભો રહી શકનાર
એ/૧૯૩
[પથિક
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણી તા હતા જ. પ્રાગૈતિહાસિક આદ્યાત્મયુગીન ( પાષાણ, પ્રસ્તર અને અસ્મ ત્રણે શબ્દો પારિભાષિક તરીકે પુરાતત્ત્વવિદ્યામાં પથ્થરનાં ઓજારાના સંદભ` આપવામાં વપરાય છે) સંસ્કૃતિની ખાસિયત આ છે કે એ ખૂબ જ લાંબા ગાળા સુધી (૧૭ થી ૧ લાખ વર્ષ પૂર્વ' સુધી) અસ્તિત્વમાં રહી છે. એલ્બુવાનની પ્રાર ંભિક સ્થિતિને એછામાં ઓછી ૪ થી ૫ લાખ વર્ષોં માનીએ તે। મધ્ય પાષાણકાલ સુધી કુલ ત્રણ લાખ વર્ષાંતે સમય પસાર થઈ ગયા હતા, જે માનવ ઉત્ક્રાંતિની અત્યંત ધીમી ગતિ સૂચવે છે.
કચ્છમાં કાઈ પણ પ્રકારના પ્રાગૈતિહાસિક માનવીના અવશેષો ન મળ્યા હાઈ એ કઈ જાતિના હશે એ કહી શકાય નિહ. લીકેજે આફ્રિકન માનવીને શેષ્યા અને જેના અવશેષ પશ્ચિમ એશિયામાંથી પણ પ્રાપ્ત થયા છે તે એસ્ટ્રાલેાપિથેકસ આપણા કચ્છમાં પણ હતા એમ માનવા સાંકળિયા જેવા પ્રખર પુરાવિદ્યા પ્રેરાયા છે;૨૪ જોકે શરૂઆતમાં એએ પણ અન્ય વિદ્વાનાની જેમ માનતા હતા કે સૂકા અને વિષમ હવામાનને લીધે કદાચ કચ્છ અને સૌરાષ્ટ્ર માનવ-ઉદ્દભવ માટે પ્રતિકૂળ હાય. (અહી પ્રાગૈતિહાસિક માનવના અવશેષ મળી શકે નહિ.)૨૫ ખાસ તે। હાલમાં મળેલ છીપરાં અને હાથકુહાડીએ પછી એએ માને છે કે ભલે સાનવેલીનેા માનવી ચીન અથવા જાવાના માનવી જેવા હાય (નૃવ ́શ-વિજ્ઞાનીઓની ભાષામાં એને પિથેકેન્શોપસ અને એમની સ્થળજાતિને સીનેન્થ્રોપસ તથા સાર્લામેન અથવા જાવામેન નામ આપે છે), પરં'તુ આ બાજુ એસ્ટ્રાલેપિથેકસ હાય એ વધુ પુરવાર થાય છે. પિથેકેન્શોપસ પૂર્વ અને ઉત્તર એશિયા સાથે ભારતમાં પણ કાશ્મીર–ખીણુ હિમાલય વિસ્તાર અને ઉડીસા તથા ગંજામ જેવા પૂર્વીય ભાગે સુધી સીમિત રહ્યો હોય એવુ પણુ ખને, કુમકે એનાં પથ્થરનાં હથિયારાની બનાવટ સાનવેલી--ટાઈપની રહી છે અને બ્રહ્મદેશમાં તે એ બનાવટ મહાપાષાણયુગ સુધી જણાઈ છે.૨૬
આ સત્ય છે કે એક્ઝુવાન–પ્રકારનાં હથિયારા ફક્ત એસ્ટ્રાલેાપિથેકસ (જીનસ સ્પેસીઝ એક્સ્ટ્રાલેપિથેસિન ) પિમાનવા જ બનાવતા હતા. એલ્બુવાન પછી અન્ય સ્થળેાએથી પણએસ્ટ્રાલેાપિથેસિન લેાકેાના અવશેષ! આફ્રિકાનાના દક્ષિણ ભાગામાંથી મળ્યા છે. (ડાર્ટ એનુ નામ આપે છે જિન્જાન્ઘોષસ ), પર`તુ આ પણ આટલું જ સત્ય છે કે દરેક એસ્ટ્રાલેાપિથેસિન પ્રાણીના અવશેષે સાથે એલ્યુવાન પ્રકારનાં હથિયારો મળતાં નથી, જ્યારે અન્ય જગ્યાએ એવાં હથિયારો મળ્યાં છે, જેમ ઉત્તર આફ્રિકાથી તેા માનવ-અવશેષો મળતા નથી, આફ્રિકાથી બહાર તા આવે! સયાગ માત્ર પણ બન્યા નથી, વેલેાને ખાતે છૂંદણુ-કુઠાર હથિયાર (ચેપર-ચેપિંગ ટૂલ્સ) ધણા પ્રાચીન સ્વરૂપે મળ્યાં છે, પરંતુ માનવ-પૂજના અવશેષો જરા પણ નહિ. વેટેન્ડ્રેલેાસ ખાતેના છૂંદણુકુઠારા હામા-ઈરેકટસ (પ્રથમ મે પગે ઊભી શકનાર માનવ-પૂર્વ'જો) સાથે જોડાયેલ છે, જે એક્સ્ટ્રાલેપિથેંકસ લેાકાની ઘણી પાછળ આવ્યા. એવી જ રીતે એશિયાઇ ૢ-કુઠાર પટા પણ હમાઈરેકટસ સાથે જ જોડાયેલ છે. બીજિંગ નજીક ચૌ—કી-તી-એન' ખાતે ના છૂંદણુકુઠાર-ઉદ્યોગ (ગાપાસ્માથી બનેલ કુઠારાના સમસ્ત પ્રકારને પુરાતત્ત્વભાષામાં નવું નામ આપવામાં આવ્યું છે ‘ચોપર-ચોપિંગ ટૂલ્સ) સાથે સંકળાયેલ લેાકેા પિથેકેન્દ્રોાપસ હતા કે જે હામેા-ઈરેકટસની જ એક પ્રજાતિ હતા. એસ્ટ્રાલેપિથેકસની મેાજૂદગી આ ક્ષેત્રમાં જણાય છે, પર`તુ એએ હથિયાર બનાયવાની ક્ષમતા ધરાવતા હતા એ સશયાત્મક છે.
સામાન્ય તારણ એવું છે કે સ્તરનાં હથિયારા બનાવવાની તકનીક પૂર્વ અાફ્રિકના એક્ષ્ વાન ગામે ક્રા’ક જીનિયસ એસ્ટ્રાલેપિયેકસ માનવે રોોધી અને એક વાર આ આવિષ્કાર થતાં એના
પથિક ]
મે/૧૯૯૩
[૧૭
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબ જ ઝડપથી પ્રસાર થયા. આ પ્રસાર એ દિશામાં થયા: એક યુરાપ બાજુ અને બીજો એશિયા માજુ,૨૭ પરંતુ ધણાંએક સ્થળેએ સ્વતંત્ર વિકાસને નકારી શકાય એમ નથી. દાખલા તરીકે લેવેલેન ખાતેના આ અસ્માયાગને એલ્યુવાનનો ઊત્તરીય વિકાસ કહેવાય છે, પણ્ એ સ્વતંત્ર રીતે વિકસિત હથિયારો છે એવું પણ ધણા માને છે.૨૮ અત્રે મા યાદ રાખવું ઘટે કે શારીરિક ક્ષમતાઆથી નિતિ પ્રારંભિક તકનીકીય પ્રક્રિયા છૂ་*ણુકુઠાર સ્તર માત્રથી જ શરૂ થાય છે; લેવેલાન ખાતે માનવ-અવશેષોને અભાવ જોકે એઉ તર્કોને છેલ્લે તે અધર જ રાખે છે.
એશિયા તરક પ્રસરેલ શાખાની ધારણા પણ ઘણી વિસ`ગતાથી ભરેલી છે. દાખલા તરીકે આ ખડમાં કેમ ખૂબ જ લાંબા સમય સુધી પ્રારંભિક અપરિપકવ ચીલાચાલુ હથિયારપરંપરા ચાલુ રહી ? આ વધુ સશયાત્મક ત્યારે બની જાય છે કે જ્યારે આપણને જાણ થાય છે કે અન્ય ભાગેામાં હેમા-રેકટસે એશુલિયન પ્રકારનાં હથિયારા બનાવવાં ચાલુ કરી દીધાં હતાં અને આ તકનીકની એશિયાઈ માનવાને ખબર જ ન પડી હોય એવુ` પણુ નથી. દાખલા તરીકે ચીન ભારત અને પાકિ સ્તાનની સીમા પર એશુલિયન હથિયારા છૂંદણુ-કુઠારા સાથે મળ્યાં છે.
જ્યાંસુધી કચ્છના પ્રશ્ન છે ત્યાંસુધી આપણે રામશ્ર. પુરાતત્ત્વવિદ્યા ક્ષેત્રે થયેલ સશોધનાને આધારે ત્યાંનાં હથિયારાને નજર સમક્ષ રાખીએ તો જણાશે કે આઘામ છૂંદણ-કુઠાર આપણે ત્યાં પણ ભુટાક્રિયા ગામેથી મળ્યા છે, જે એશુલિયન પ્રકારના છે. આપણી હાથકુહાડીએ એશુલિયન પ્રકારની છે તેથી આ તે! સ્પષ્ટ છે કે આદ્યાત્મયુગની જાણીતી બેઉ હથિયાર–તકનીક આપણા આદિ માનવા જાણતા હતા. અથવા તા એમ કહીએ કે આ તકનીકને જાણનારા માનવા આપણે ત્યાં થઈ ગયા. આ હવે નિવિવાદ છે કે જે આફ્રિકન ઍસ્ટ્રાલેાપિથેકસની શાખા ઉત્ક્રાંતે દરમ્યાન એશિયામાં આવી હશે તેા અને જો ભારત ડીપકલ્પ ખાજુ પ્રસરી હશે તો કચ્છ એના માટે એક સારા ભૂ-સેતુ સમાન હતા, એશુલિયન પ્રકારનાં હથિયારા આપણે ત્યાં ભૂજમાં કનૈયા એ કૂખે પૈયા તેર ભચાઉમાં ખીજ પાસર અને નખત્રાણામાં ઉગેડી ગૂ'તલીગઢ, ચરખડા, લખવત ખાતે ખર'દા, ખર`દા થેગણી અને ગાઘ સેડી ખાતે યત્ર-તંત્ર અલ્પ માત્રામાં પ્રાપ્ત થયાં છે. ૨૮
શૌથી અગત્યની બાબત એ છે કે દક્ષિણમાં ડાંગથી માંડી સાબરમતી સુધીના ગુજરાતમાં ગાળામાા મળતા હોય તા કચ્છમાં ષણ એવી જ સ`સ્કૃતિના ચિહ્નના ઈન્કાર ન કરી શકાય, તેશ્રી જયારે કચ્છ માંથી આદ્યાશ્મયુગીન હથિયારા મળ્યાં ત્યારે સાંકાળિયાતે લાગ્યુ કે કચ્છની ખૂટતી કડી પુરવાર થઈ છે અને હૅન્ડ એકસ-સ...સ્કૃતિને શેષ ગુજરાત અને દ્વીપકલ્પ ભારત સુધી પ્રસાર કરવામાં ભૂસેતુની ગરજ કહે જ સારી છે. વલ્કે ભૂભૌતિક સાધને પુરવાર કર્યું જ છે કે કચ્છ મેાડેના પ્લાયસ્ટોસિન યુગમાં ભેજવાળા સરસ લીલેાતરી ધરાવતા પ્રદેશ હતા, તે કેમ અહી. માનવપૂ^જરાકાયા ના હાય અને વસવાટ ન કર્યાં હૈય? આપણુાસીમિત જ્ઞાનનાં સાધનો તે હવે સ્પષ્ટ નિર્દેશ આપે છે કે જીએોપસ ૧ એવું અતિ પ્રાચીન કપિમાનવ પણ કદાચ અહીં વસ્યા હાય અને ઍસ્ટ્રાલેાબિયેકસ તે નિશ્ચય જ છેક લખપતથી રાપર સુધી તૃણભક્ષીઓના શિકાર કરતા, કંદમૂળ ખાતા, અને ભીયણુ વનચરાથી પાતાની જાતને રક્ષતા કચ્છની ધરા ઉપર કેમ ન રહ્યો હાય ? એના અવશેષ નથી, પણુ પુરાવા તે છે.કર
પાટીપા
૧. પુરાતત્ત્વ ખાતુ'; ગુજરાત રાજ્યના વાર્ષિક અહેવાલ ૧૯૭૭-૭૮, ૭૮-૬૯; ૮૦-૮૧, ૮૧-૮૨ અને ૮૩-૮૪. ર. ઘૂંટે, આર. ખી, ધી જ્યેાગ્રાફ્રી આફ ખરાડા સ્ટેટ, ૧૮૯૮ ૩. ઝનર એફ. ઇ; સ્ટોન એજ એન્ડ પ્લાયસ્ટોસિન ક્રોનેલાજી ઈન ગુજરાત, પૂના, ૧૯૫૦
ve
મે ૧૯૯૨
[પશિફ
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ટેડ, કે. આર. યુ, વેલિયાલિથિક ઇન્ડસ્ટ્રી ઑફ બેખે,–જનરલ ઓફ રૉયલ એન્થો - પિલોજિકલ ઇન્સ્ટિટયૂટ, ૧૯૩૯, પા. ૨૫૯-૭૨ ૫. અગ્રવાલ, ડી. બી./અવાસિયા આર. કે. ગુજર સ્ટાટીઈ: રેડિયો કાર્બન એન્ડ ઇન્ડિયન
આર્કિયોલૉજી, મુંબઈ, ૧૯૭૩ ૬. ગુપ્તા, એસ, કે, કોલજી એક મૂડ બીચેજ એન્ડ કોરલીફ એફ સૌરાષ્ટ્ર કોસ્ટ; જનતા
ઓફ લિજી, ૧૯૮૪; ૫. નં. ૫૫૭-૬૨ ૭. રાજગુરુ, એસ. એન. “ન ધ લેટ પ્લાયસ્ટેસિન ઓફ ધ ડેક્કન કવાટરનેરિયા JI, ૧૯૭૬;
પા. નં. ૨૪૧-૮૩ કે. ટી. એમ. હેગડે સાથે ૮. ગાદી એ. એસ. આચન બી./હેગડે કે. ટી. એમ.– ધી ફર્મર એકસ્ટેશન ઓફ ધ ગ્રેટ
ઈન્ડિયન એન્ડ ડેઝર્ટ; જ્યગ્રાફિકલ જર્નલ, ૧૯૭૩ ૯. ઉપર્યુકત અને નર અને ઈ, ૧૯૫૦ ૧૦. તેરા એચ. ડી. અને વિટન ટી. ટી., સ્ટડીઝ ઈન આઈસ એજ ઇન ઇન્ડિયા એન્ડ એસે
શિયેટેડ હ્યુમન કલ્ચર, વોશિંગ્ટન ડી. સી. ૧૯૩૦ આલચીન એન્ડ આલ્ચીન–ધી રાઈઝ ઓફ
સિવિલાઈઝેશન ઇન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનની નોંધ મુજબ) ૧૧. પશ્ચિમ અને ઉત્તર ભારતના કુદરતી માનચિત્રને જોતાં આ સ્પષ્ટ થઈ જશે કે પૂર્વે અરવલ્લી
અને પશ્ચિમમાં સુલેમાન પર્વતમાળાએ પૂર્વ પશ્ચિમમાં બે ભીંતે રચી હોય અને પંજાબ
તથા સિંધનું મેદાન એક પહોળી ગલી હેય. ૧૨. ઉપર પાટીપ ૮ મુજબ. ૧૩. પંજાબ વિશ્વવિદ્યાલયના નૃવંશવિજ્ઞાનના પ્ર. એસ. આર. કે. ચોપરા પિતાના અથાગ
અભ્યાસ થકી એવા નિર્ણય ઉપર આવ્યા છે કે હિમાલયની શિવાલિક ટેકરીઓમાં માનવે વસવાટ કર્યો હતો અને એમના મતે પિથેકેન્થોપસ ભારતમાંથી દક્ષિણ-પૂર્વ એશિયા બાજુ ગયે હતે. શિવાલિક ટેકરીઓથી મળતી ૩૦ જેટલી હાથીની જાતેના અશ્મિઓ અને એ ઉપરાંત પ્રાચીનતમ સસ્તન પ્રાણીઓનાં આશ્મિઓ; જેમ કે હાયડૅન, ડાયનેથેરિએ, મેટાડોન, જીરાફ, હિપોપોટેમસ, ગેંડા, ઘોડા, ઊંટ, હરણ, વાનર અને ગેંડાથી મોટું સુંઢ અને ચાર સીંગડાવાળું શિવાશેરિયમ વગેરે સારી એવી સંખ્યામાં મળ્યાં છે, એ વખતની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસાષ્ટિની વિપુલતા માનવ વસવાટ માટે સૌથી ઉત્તમ જગ્યા શિવાલિક હોય એમાં બે મત ન હોય, પરંતુ ત્યાં હજુ સુધી માનવ-અશ્મિ મળેલ ન હોઈ ચેપરાને વિચાર વજુદ મેળવવા અશક્તિમાન થઈ જાય છે. શ્રી ચોપરાએ એમને નિબંધ ૧૯૭૫ માં દિલ્હીની એક કોન્ફરન્સમાં વાંચ્યું હતું. એના આધારે (જુઓ રસેજ એન્ડ કચર્સ ઓફ
ઈન્ડિયા, મજૂમદાર પી. એન., પૃ. ૨૪, ૧૫૮. ૧૪. પુરાતત્વ ખાતુ ગુજરાત રાજ્યના વાર્ષિક અહેવાલે. ૧૫. ઉપર પાટીપ ૮ મુજબ. ૧૬. નાણાવટી જે. એન., ઈવોલ્યુશન ઓફ અલીમેન ઇન કરછ આટ, કલ્ચર એન્ડ નેચરલ
હિસ્ટરી ઓફ કચ્છ, ૧૯૭૬, ૫. નં. ૭૮. ૧૭. શ્રી ચિત્તવવાલા, વાય. એમ, ગુજરાતમાં પાષાણયુગ', પાના નં. પથિક]
મે/૧૯૯૩
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. જૂની દુનિયા એટલે એશિયા યુરોપ અને આફ્રિકાના ખંડે. આ એક સર્વવિદિત તથ્ય છે
કે પ્રાચીન માનવ-વસાહતે અહીં જ વિકસી, એશિયાખંડથી અલાસ્કાને રસ્તે લગભગ ૨૦ થી
૧૫ હજાર વરસ પહેલાં જ માનવી નવી દુનિયા બાજુ ગયા હતા. લિન્ટ રાલ્ફ, ટ્રી ઓફ કલ્ચર. ૧૯. ઓછુવાન ઉખનનના અહેવાલ :
૧. લીક, એલ. એસ. બી, ઓછુવાન ગોર્જ (૧૯૫૩), એહુવાન ગોઝ ૧૯૫૧-૧૯૬૧; એ - પ્રિલિમિનરી રિપોર્ટ ઓન ધી જિયોલોજી એન્ડ ફેન (૧૯૬૫). - ૨. લીકે એમ. ડી., હુવાન ગોઝ, એસ્કેવેશન ઇન બેડ ૧ અને ૨. ૧૯૬૦-૬૩ (૧૯૭૧)
બધા કેબ્રિજ પ્રકાશન છે. ૨૦. ચૂમલે એચ. ઇ. લે પ્રીમિયર ઈન્ડસ્ટ્રી દરમેન એ પ્રવેન્સ લે પ્રીહિસ્ટેરિક ચેઈલ્સ (જાય
સ્વાબ વિદુલાના આધારે-પેલિલિથિક સિવિલાઈઝેશન ઈન ઈન્ડિયા). ૨૧. એ જ. ૨૨. આ સ્થળનું પાછળથી બોટ અને એન્ટોનીએ ઉખનન કર્યું હતું અને એને સમય એઓ
ગુજ. ગ્લેસિયેશન આપે છે. ભટ્ટાચાર્ય ડી. કે. પિલિયોલિથિક યુરોપ (૧૯૭૧). ૨૩. આ હથિયારો સાપુતારા સંગ્રહાલય અને જિલ્લા પંચાયત-આહવા ખાતે સુરક્ષિત છે. એમના
વિશે કોપર ડી. એચ. ટ્રાયબેલ આર્ટ ઓફ ડગ્ન ૧૯૭૧ અને તે ચીતલેએ એમના પુસ્તક ડાંગ એક સમ દર્શન”માં સામાન્ય પરિચય આપ્યો છે. લેખક પિતે ત્યાં કયુરેટર રહ્યા હેઈ એક સામાન્ય કેટેગ મ્યુઝિયમ ખાતે રાખ્યું છે, પરંતુ આ હથિયારોને વિષ્ણાત્મક
અને તુલનાત્મક અભ્યાસ કરવો જરૂરી છે. ૨૪, નાણાવટી, ૧૯૭૬, પા. નં. ૭૮ (ઉપર મુજબ). રપ. એજન, પા. નાં . ૨૬. પીગટ, ટુઅર્ટ, પ્રી-હિસ્ટોરિક ઈન્ડિયા, ૫. નં. ૩૦. ૨૭. બર્ડસ, એફ, ૬ ઓલ્ડ સ્ટોન એજ, ૧૯૬૮, ૫. ૪૯. ૨૮. કેસ અને હિગ્સ, ધ ક્રોનોલોજીકલ ઓફ અલી સૈન ૧૯૬૯. ૨૮. પુરાતત્વ ખાતાના વાર્ષિક અહેવાલ, ૮૧-૮૨; ૮૩-૮૪. ૩૦. નાણાવટી, ઉપર મુજબ. ૩૧. નેશનલ જ્યોગ્રાફી, એકબર ૧૯૬૧, પા. નં. ૫૬૮. ૩૨, સાંકળિયા એચ. ડી. પ્રીહિસ્ટરી એન્ડ પ્રોટોહિસ્ટરી ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, ૧૯૬ર,
૫. નં. ૭૧,
ધી બરોડા સીટી કો-ઓપરેટિવ બેન્ક લિ.
રજિ, ઓફિસ સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧ શાખાઓ : ૧, સરદારભવન-જયુબિલી બાગ પાસે ૨. પથ્થરગેટ પાસે
૩. ફતેહગંજ ચર્ચ સામે ૪. સરદાર છાત્રાલય-કારેલીબાગ ૫. ગોરવા જકાતનાકા પાસે ૬. આર. વ. દેસાઈ ૭. ગોત્રી રેડ
દરેક પ્રકારનું બેન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર : કાંતિભાઈ ડી. પટેલ
મંત્રી : ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ : કિકાભાઈ પટેલ
૨]
: ૧૩
[ પથિક
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 '93 Reg. No. GAMC-19 હજીર “લાંગાં ! દેઅણુ અલખ હે, લેઅણુદાર અલખ; - માથે તાણે માનવી, ઉઆં હલાવે દખ. 48" એાછુવાન ઉત ત! આ સંસારમાં સુખ-દુ:ખ સંપત્તિ-વિપત્તિ દેવા અને હરવાવાળા એક પરમેશ્વર ક વાતને માનવી વ્યર્થ રીત મેં લીધું–મેં કીધું' માનીને યશનો ટોપલો પિતાને માથે મિ રીતે ત્યાં જ તે દુ:ખને દોડાવે છે.” (પૃ. 37) - આવાં શુદ્ધ સુભાષિતાને અહીં' સંપાદકોએ ઢગલો કરી આપ્યો છે. 4, ચારણી સાહિત્યવિમર્શ : લે. અને પ્ર. ડે. અંબાદાન રોહડિયા, 4 હરિનગર, યુનિ. રોડ, રાજકેટ-360 005; સિગ્નલ ડેમી 8 પેજી પૃ. 9 + 108; 1992; કિ. રૂ. 40/- 1} : ભાઈશ્રી ડો. અંબાદાન રોહડિયાનો આ એક મહત્વનો ગ્રંથ 'ચારણી સાહિત્યવિમર્શ' શીર્ષ થી પ્રસિદ્ધ થયો છે એ આનંદ અને અભિનંદનને વિષય છે. અમારી જાણમાં અમારા મિત્ર સ્વ. શ્રી ઝવેરચંદ કા. મેધાણીના “ચારણા અને ચારણી સાહિત્ય' પછીને વર્ષો પછી રજુ થતા આ બીજે ગ્રંથ છે. 8 પ્રકરણમાં વિભક્ત આ ગ્રંથમાં સત્યના ઉદ્દગાતા ચારણ સજ, ચારણી સાહિત્યમાં વીરાંગનાઓ, ચારણી સાહિત્યમાં મુકાવર્ણન, ચારણી સાહિત્યમાં વીરરસ, ચારણી સાહિત્યમાં શૃંગાર, ચારણી સાહિત્યમાં રામભક્તિ તથા “જાલંધરપુરાણ” અને “મૂંગી પુરાણમાં રસદર્શન, આપતાં લેખકે એક નોંધપાત્ર લઘુ શોધનિબંધ જ રજુ કરી આપે છે. પ્રકરણાનાં મથાળાં વાંચતાં જ આપણને લેખકે લીધેલા શ્રમની ઝાંખી થઈ જાય છે. કદી નિત્યની બેલચાલની નહોતી તેવી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનાં સ્વાભાવિક શબ્દસ્વરૂપે અને એની છાયામાં નવાં વહેતાં કરેલાં શબ્દસ્વરૂપેથી સમૃદ્ધ ચારણી સાહિત્ય એના સર્જકોની પ્રતિભાને આપણી સામે દેડતી કૂદતી સજીવતાને ભાસ સ્તન કાવ્યન, કિં કાંડેન ધનુષ્યતઃ | પરસ્ય હૃદયે લગ્ન ન ધૃણુ પતિ યુ૭િરઃ ! અહીં “પર” શબ્દમાં મલેષાર્થ છે. ઉપર = સામેની વ્યક્તિ” પર = શત્રુ'. કવિએ કાવ્ય કર્યું તોયે શું અને ધનુર્ધારીએ બણિ છોડયું તોયે શું, જે એ કવિના વિષયમાં શ્રતને અને ધનુર્ધારીના વિષયમાં શત્રુને છાતીમાં પેસતાં માથું જે ન ભમાવી દે તો ?" ચારણ કવિઓમાં આપણને આ પ્રતિભાનાં દર્શન થાય છે. ડે. રોહડિયાએ આવાં અનેક દષ્ટાંતો ઉતારીને આ કવિવર્યોની શક્તિનો ખ્યાલ આવ્યો છે. આ સમુદ્યોગ માટે હાર્દિક અભિનંદન. 'લો , પUJ -તંત્રી એપ્રિલ’ના અંકમાં પા. 1 થી 4 ઉપર છપાયેલાં ચિત્રાના નામકરણમાં ભૂલે થયેલી છે; એ નીચે પ્રમાણે સુધારી લેવી: ચિત્ર 1 : મીનળવાવને એક ગવાક્ષ (પા. 2) ચિત્ર 2 : મીનળવાવના એક ગવાક્ષ (પા. 3) ચિત્ર 3 : સંજય હતુ.ની મતિ (પા. 4) ચિત્ર 4 : વીરનાથનું ડેરુ ( પા. 1) સર ચિત્ર 5 : માનકેશ્વર મહાદેવનું મંદિર (પા. 4) / મુક પ્રકાશ અને તત્રી : ' પથિક કાર્યાલય ' માટે છે , ડે. કેશવલામ કા. શાસ્ત્રી, કે. મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬ | તા. 15-5-19a મુદ્રગુસ્માન : પ્રેરણા મુગ્ણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજપુર, અમદાવાદ-૩૮૦ *1 2 પા' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ વસ, શાહપુર, માળીવાડાની પોળ જામે, અમદાવાદ-૩૮૦ 001 For Private and Personal Use Only