SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એના સંસĆમાં અભ્યાસ કરી માનવ-ઉત્ક્રાંતિને જે તે વખતના પર્યાવરણીય ભૌગાલિક હવામાન પ્રતિ એના પ્રત્યુત્તરને જાણવાનુ રહે છે, કેમકે ખરેખર તા માનવ-ઉત્ક્રાંતિ પર્યાવરણની જ એક દેન છે. ગુજરાતની ભૂભૌતિકતાના અભ્યાસ આવી રીતે ૧૮૯૮ માં આઈ. બી.ફૂટેએ કર્યાં. ત્યાર પછી એક. ૪. ઝૂનર (૧૯૫૦)૩, કે. આર. યુ. ટોડ (૧૯૩૯)૪, ડી. પી. અગ્રવાલ, આર. કે. અવાસિયા, સ્ટાટીરા ગુઝેર (૧૯૭૩)પ, એસ. કે. ગુપ્તા (૧૯૭૨)૬ એસ. એન. રાજગુરુ (૧૯૭૬)o અને હાલમાં જ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગના વડા કે, ટી. એમ. હેગડેએ આ દિશામાં કાર્ય કર્યુ છે. કચ્છના ભૂસ્તરીય ઇતિહાસ વિશે કે જે આદિ માનવની વસાહતા સાથે સંબંધ ધરાવે છે તેની આપણને ખૂબ જ ઓછી જાણકારી મળે છે. વિદ્વાના સામાન્ય રીતે કચ્છના ભૂસ્તરને ઉત્તર બાજુના સિંધ અને દક્ષિણમાં સૌરાષ્ટ્ર તથા પૂર્વમાં રાજસ્થાન અને ગુજરાતનાં પાડોશી ક્ષેત્રાની જેમ શુષ્ક પ્રદેશના એક વિસ્તાર માને છે. સૌરાષ્ટ્રની જેમ કચ્છને પણ લાંખા સમુદ્રકાંઠા છે. કચ્છ શુષ્ક (એરિડ) ક્ષેત્ર હાવા છતાં ચારે બાજુ સમુદ્ર હાઈ હવામાં ભેજનુ પ્રમાણ ઘણુ' હોય છે. છેક ભૂજ જેવા ક્ષેત્રના નજીકનાં (લેરી રતનાલ વગેરે) ગામાથી અશ્મીભૂત જળચરો મળતાં હાઈ કચ્છના માટે ભાગ દરિયા હેઠળ હશે એવું જણાય છે. કચ્છમાં રાજસ્થાનના થરના મત્તુ પ્રદેશમાં મળતા માટીના ટીંબા નથી. મધ્ય કચ્છના ઊંચા પ્રદેશની ગયેલ લાવા– ખડાથી બન્યા છે. કરાડા વર્ષો પૂર્વે દરિયાની સપાટીથી સમુદ્રભાગા ઊંચકાતાં ઉત્તર અને પૂર્ણાંમાં ખામાચિયા જેવુ` રહ્યુ કચ્છને મળ્યું છે. આ રણની સપાટી ઉનાળામાં સુકાઈને કાણું પડ જેવી થઈ જાય છે. ચામાસા અને ભરતીમાં જ્યારે એક બાજુ નદીનું પાણી આ રણમાં પડે છે અને બીજી બાજુ અરબી સમુદ્રમાંથી ભરતી આવે છે ત્યારે આ વિસ્તાર દરિયાઈ ઝીલ જેવા થઈ જાય છે. દક્ષિણને કંઠી વિસ્તાર મધ્ય કચ્છના ઉચ્ચ પ્રદેશથી નીકળતી નદીઓનાં મીઠા પાણીથી તેમજ ભૂગર્ભ જલી સિચિત હાઈ કૃષિયાગ્ય બન્યા છે. ભૂભૌતિક વિજ્ઞાનના હિસાખે આવું જણાય છે કે આજે જ્યાં ઉત્તર ભારતના ગગા અને સિધતા મોટા સપાટ અને ફળદ્રુપ મેદાની વિસ્તાર છે તે પહેલાં ટીથિયસ નામના સમુદ્ર હતા અને દ્વીપકલ્પ ભારત આફ્રિકાના પૂર્વ" કાંઠા સાથે જોડાયેલ હતો. કાલાંતરમાં ભારત દ્વીપકલ્પ ઉત્તર તરફ ખસતાં ખસતાં ટીથિયસ સમુદ્રની જગ્યા પાર કરી એશિયાખંડ સાથે જોડાયા. આ જોડાણથી સમુદ્ર તા નીકળી જ ગયા. સાથે-સાથે દ્વીપકલ્પના સતત ાથી આ ભાગની જમીન ઊંચકાવા લાગી અને આપણા આજના હિમાલયના જન્મ થયા. દ્વીપકલ્પ ભારતનું ખાણ એટલુ` તીવ્ર છે કે આજે પણ હિમાલયની ઊંચાઈ સતત વધતી રહે છે. હિમાલયના ઊંચકાવાથી ત્યાં ભૂભૌતિક પરિવા પણ સતત થયાં છે. નવી નવી ટેકરી બની. અમુક ટેકરીએ તેા પૃથ્વી ઉપર પ્રાણીઓના ઉત્ક્રાંતિ કાલ દરમ્યાનની જ છે અને તેથી આ ટેકરીઓનાં પડેમાં આજે પણ જીવાશ્માના અસ`ખ્ય નમૂના પ્રાપ્ત થાય છે. આવી ટેકરીએ! આદ્ય ભૂસ્તરવિજ્ઞાન અને માદ્ય પ્રાણિવિજ્ઞાનના અભ્યાસીઓ માટે ખૂબ જ અગત્યની થઈ ગઈ છે. પતા પ્રમાણમાં ખૂબ જ નાની વયના હાઈ પ્રાણીઓના અવશેષ નીચે તે નીચે જ દટાતા જાય છે. હિમાલયની ભૂભૌતિક રચનાના અભ્યાસીએ માટે કાશ્મીરનું સંશાધન કરતાં તેરા અને પિટનને૧° જણાયું કે કાશ્મીર ખીણુ(સાન ખીણ)ના આદ્યપાષાણુયુગીન ગાળામ હથિયારા (લોઅર પેલિયેલિથિક પેબલ ટૂલ્સ)ના જથ્થા આજે જે પરિસ્થિતિમાં મળે છે તે ખરેખર તો આના કરતાં જુદા પ્રકારની જ પરિસ્થિતિમાં જ તૈયાર થયા હતા અને આજે જે રીતે મળ્યો છે તેનું કારણ્ હિમાલયના પંતામાં સતત વધતી ઊંચાઈ છે. પિટસઅેનના અભ્યાસે ૧૨] મે/૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy