Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનતી આત્માનુભૂતિ www.lainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internationa The inaudible noiseless foot of Time Page #3 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસદગુરુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૭૮ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિસ્થીલત આનંદઘની આમાનુભૂતિ (દ્વિતીય પદ) ) પરિશીલનકાર : પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કેલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા હું પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ હું Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : આનંદઘનની આત્માનુભૂતિ મૂળ કૃતિ : અલગારી અવધૂત પ. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત દ્વિતીય આધ્યાત્મિક પદ વિષય વિશેષતા : ‘સમય’થી સમાધિ તરફ : અકળ કળાનું એક અપૂર્વ આલોકન... સમયવિજયનું એક અદ્ભુત આલંબન... સહેજ સમાધિના સોપાનરૂપ એક મનનીય કૃતિ. વિ. સં. ૨૦૬૭ • પ્રતિ : ૨૦૦૦ • મુલ્ય : ૧૦૦/ પ્રાપ્તિ સ્થાન : 1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન : 22818390, Email : devanshijariwala@gmail.com 2) શ્રી અભયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.), મો. : 9594555505, Email : jinshasan108@gmail.com 3) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-5. મો. 9426585904, Email : ahoshrut.bs@gmail.com (4) શ્રી મેહુલ જે. વારેયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehulvaraiya@gmail.com 5) શ્રી દિનેશભાઈ જૈન .. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો.: 7738500031 6) પરેશભાઈ શાહ .. A/202, શિવકૃપા, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (પ.), મુંબઈ - 400 062, મો. 9820017030 7) મલ્ટી ગ્રાફિક્સ .. 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Floor, V. P. Road, Prathana Samaj, Mumbai - 4, Ph.: 23873222 / 23884222. E-mail : support@rmultygraphics.com Design & Printed by: MULTY GRAPHICS.. www.multygraphics.com (c) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957. http://copyright.govt.in/documents/copyright rules 1957.pdf Page #5 -------------------------------------------------------------------------- ________________ Dedicated to જેમણે સમયનો સર્વોત્કૃષ્ટ સદુપયોગ કરી, સમય પર વિજય મેળવ્યો, તેમને સમર્પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ SPONSOR (સુકૃત સહયોગી) વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમૈત્રી ધામ નિર્માતા શ્રી કે. પી. સંઘવી પરિવાર... K. P. SANGHVI GROUP जिन मन्दिर-जल मन्दिर-जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात् पावापुरी तीर्थ-जीवमैत्रीधाम Name of the Entity K. P. Sanghvi & Sons Sumatinath Enterprises K. P. Sanghvi International Limited KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited KP Fabrics Fine Fabrics King Empex આત્માનુભૂતિની આ યાત્રામાં આપે અનેકોને સહયાત્રી બનાવ્યા, એના પરમ પુણ્યથી આપની અધ્યાત્મયાત્રા અવિરત બને એ જ અંતરની શુભેચ્છા. Page #7 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણમ્.. આનંદયાત્રાનું.. જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની એક અધ્યાત્મયાત્રા.. પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની એક અનુભૂતિયાત્રા.. એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ પદ-પરિશીલન શૃંખલા. આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે, એ જ શુભાભિલાષા સહ. - આ. કલ્યાણબોધિસૂરિના ધર્મલાભ Page #8 -------------------------------------------------------------------------- ________________ रे घरियारी बाउरे, मत घरिय बजावे नर शिर बाँधत पाघरी, तुं क्या घरीय बजावे?...१ रे घरियारी बाउ रे... केवल काल कला कले. वैतु अकल पावे: अकल कला घटमें घरी. मुज सो घरी भावे...२ रे घरियारी बाउ रे... आतम अनुभव रस भरी, यामे और न मावे: आनंदघन अविचल कला, विरला कोई पावे...३ रे घरियारी बाउ रे... रे घरियारी बाउ रे, मत घरिय बजावे नर शिर बाँधत पाघरी, तुं क्या घरीय बजावे?...१ रे घरियारी बाउ रे... Page #9 -------------------------------------------------------------------------- ________________ I !! aiાં મUTH 8 TET 11. અરે મૂર્ખ ઘડિયાળી ! તું ઘડિયાળ નટ્ટી વગાડ. મનુષ્યો પોતાને માથે પાઘડી (ઘડીનો ચતુર્થાશ) બાંધે છે, તો પછી તું ઘડી કેમ વગાડે છે? ////. આ તે કાળની વાત છે, જ્યારે આધુનિક ઘડિયાળની શોધ થઈ ન હતી. તે કાળે સમય જાણવા માટે પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મુકતા હતા. અને તે બરાબર ડુબી જાય, ત્યારે એક ઘડી (ચોવીશ મિનિટ) થાય, એવું ચોક્કસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘડી પૂરી થાય, ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી સમય આપતો હતો. અત્યારે જેમ પહેરગીર કલાકે કલાકે ઘડી વગાડે છે, તેમ તે કાળે પ્રત્યેક ઘડીએ ઘંટ વગાડવાની યોજના હતી. તથા કાચની બે શીશીમાં અતિ સૂક્ષ્મ છિદ્ર દ્વારા એકમાંથી બીજામાં તમામ રેતી પસાર થાય, ત્યારે ઘડી થયાનો ઘંટ વગાડતા. એ ઘંટ વગાડનાર ઘડિયાળીને ઉદ્દેશીને અહીં કહ્યું છે, કે ઘડિયાળી ! તું શા માટે ઘંટ વગાડે છે? લોકોને સમયનું જ્ઞાન થાય, એ જ જો તારો ઉદ્દેશ હોય, તો પછી તારે ‘ઘડી’ના સમયની જાણ કરવાની જરૂર નથી. કારણ કે લોકો તો પોતાના માથે જ પાઘડી બાંધે છે. માટે પા-ઘડી (૧/૪ ઘડી) જેટલા નાના સમયનું પણ લોકોને જ્ઞાન થઇ જાય છે, તો પછી તારે ‘ઘડી” જેટલા મોટા સમયની જાણ કરવાની શું જરૂર છે? પાઘડીના બે અર્થ થાય છે, એક તો માથા પર પહેરાતો ફેંટો – સાફો. અને બીજું ૧/૪ ઘડી = ઘડીનો ચોથો ભાગ. આવા દ્વિઅર્થી શબ્દના પ્રયોગથી એક વાક્યનો બે અર્થમાં પ્રયોગ કરવો એને કાવ્યની પરિભાષામાં શ્લેષ અલંકાર કહેવાય છે. માણસ માથે પાઘડી બાંધે છે. એનો અર્થ અહીં એ અભિપ્રેત છે કે એની પાસે પા-ઘડીના સમયનું જ્ઞાન તો છે જ. સહજ સમજાય એવી વાત છે, જેને નાના સમયનું જ્ઞાન છે, તેને મોટા સમયનું જ્ઞાન હોય જ. જેને પ્રત્યેક પા-પા ઘડીનું જ્ઞાન હોય, તેને ઘડીનું જ્ઞાન હોય જ. એક વકૃતાને બોલવા માટે થોડો સમય આપવામાં આવ્યો. વક્તાની વાણી અખ્ખલિતપણે વહેવા લાગી. વક્તાને બોલવાનો ખૂબ ઉલ્લાસ હતો, પણ સભાને સાંભળવામાં રસ ન હતો. ‘થોડા’ ની બદલે ‘ઘણા’ સમયને ય એ વક્તા વટાવી ગયા. માંડ માંડ આયોજકોએ તેમને કાબુમાં લીધા. છેલ્લે વક્તાએ ઉમેર્યુ, “મેં વધારે સમય લીધો, માફ કરજો. મારી પાસે ઘડિયાળ ન હતી.” એક સભ્ય આવેશમાં આવીને જવાબ આપ્યો, “ઘડિયાળ ન હતી, પણ સામે કેલેન્ડર તો હતું ને?’ આપણી વાત આ છે, નાના ગાળા (ટાઈમ-પિરિયડ) ને ન જાણી શકે, એ મોટા ગાળાને જાણે એ શક્ય છે. જે મોટા ગાળાને જ જાણે, એને નાનો ગાળો જણાવવો પડે. પણ હા, જે નાના-નાના ગાળાને પણ જાણે છે, એને મોટો ગાળો જણાવવાની કોઈ જ જરૂર નથી. માટે મનુષ્ય પાઘડીને જાણે છે, તો એને ઘડીનું જ્ઞાન આપવાની જરૂર નથી. જો તારે સમયનું જ્ઞાન આપવું જ હોય, તો પળ કે વિપળનું જ્ઞાન આપવું જોઈએ. | એક ઘડીમાં ૩૬૦૦ વિપળ હોય છે. આટલા દીર્ઘસમય પછી તે સમયનું જ્ઞાન આપે, એનો શું અર્થ છે? એવો અહીં આશય છે. als & Personel Page #10 -------------------------------------------------------------------------- ________________ IV મહત્તા છે સમયની. એક વાર સમય પસાર થઈ ગયો, પછી એ કદી પણ પાછો ફરતો નથી. આજે ચૈત્ર સુદ ૨ છે. આજનો દિવસ ફરી ક્યારે આવશે? સ્થૂલદષ્ટિથી એમ - કહેવાય, કે એક વર્ષે આવશે. પણ સૂક્ષ્મદષ્ટિથી જોઇએ તો આ દિવસ હવે અનંત કાળ પછી પણ પાછો આવવાનો નથી. જે ચૈત્ર સુદ ૨ ગઈ, એ અન્ય હતી અને હવે જેટલી આવશે તે અન્ય હશે. સંયમજીવનની મર્યાદા મુજબ અમારા વિહારો ચાલતા રહે છે. તેમાં એવું બને કે અમુક ગામ કે તીર્થમાં અમારે પાંચ-સાત-દશ વર્ષે ફરીથી જવાનું થાય. તેના રસ્તામાં આવતા અનેક ગામોમાં પણ એટલા સમય પછી ફરીથી જવાનું થાય. ત્યારે એ ઉપાશ્રય-દહેરાસરમાં પહેલા આવ્યા હતા, અહીં બેઠા હતા, આ સૂત્રનો સ્વાધ્યાય કર્યો હતો, એવી બાબતો યાદ આવે. અને એની સાથે એક વાસ્તવિકતાની પ્રતીતિ થાય, કે ક્ષેત્રની પુનઃસ્પર્શના શક્ય છે, પણ કાળની પુનઃસ્પર્શના શક્ય નથી. ક્ષેત્ર એટલે ગામ, તીર્થ વગેરે. એના એ શંખેશ્વરમાં દશ-પંદર વર્ષ પછી ફરી આવીએ એ શક્ય છે. પણ દશ વર્ષ પહેલા જે કાળની સ્પર્શના કરી, જે ક્ષણમાંથી પસાર થયા, એ ક્ષણની સ્પર્શના તો હવે ક્યારે પણ શક્ય નથી. એક વિદેશી કહેવત છે - એકની એક નદીમાં તમે કદી બીજી વાર પગ મુકી શકતા નથી. નદીના જે પાણીમાં પહેલી વાર પગ મુક્યો હતો, એ પાણી તો ક્યાંય દૂર જતું રહ્યું. હવે એમાં બીજી વાર પગ મુકવો એ અશક્ય છે. નદીના વહેણ જેવો છે સમયનો પ્રવાહ. એ સતત અવિરતપણે વહ્યા કરે છે. જરૂર છે વર્તમાનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરવાની, જીવનની પ્રત્યેક પળને રત્નત્રયીની આરાધના દ્વારા સફળ કરવાની. કરશું ધરમ નિરાંતે કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે... Time is Money. જેઓ સંપત્તિને જ સર્વસ્વ સમજે છે, તેઓને એ સમજાવવું છે કે સર્વસ્વ છે સમય. માટે સમય એ જ સંપત્તિ છે. એવું કહેવાય છે, બાકી સમયની તુલનામાં સંપત્તિ આવી શકે તેમ નથી. સમય મહામૂલ્યવાન છે, અને સંપત્તિ તુચ્છ છે. આપણી મહામૂલી મૂડી છે આપણી પ્રત્યેક ક્ષણ. હવે એને કઇ રીતે વાપરવી? કમાણી કરવી કે નુકશાન કરવું? એ આપણા હાથની વાત છે. એક પિતાને પોતાના બે પુત્રોની પરીક્ષા કરવાનું મન થયું. પોતાના બે ખાલી બંગલા હતા. બંને પુત્રને સો-સો રૂપિયા આપ્યા, અને તે એક-એક બંગલો તેટલા રૂપિયાની વસ્તુથી પૂરેપૂરો ભરી દેવો, એવો આદેશ કર્યો. ખૂબ વિચાર કર્યા પછી મોટા પુત્રે કચરાવાળાનો સંપર્ક કર્યો, કચરાનો તો નિકાલ જ કરવાનો હતો, તેનું કોઇ મૂલ્ય ન હતું, પણ ખટારાઓમાં ભરીને કચરો લાવવામાં આવ્યો, તેમાં જ સો રૂપિયા વપરાઈ ગયા. આખો બંગલો ઠસોઠસ કચરાથી ભરાઈ ગયો. Page #11 -------------------------------------------------------------------------- ________________ નાના દિકરાએ પણ ખૂબ વિચાર કર્યો. એ બજારમાં જઈને સો રૂપિયાના દીવા અને ધૂપસળીઓ લઈ આવ્યો. બંગલામાં આવીને દીવા અને ધૂપસળીઓ પ્રગટાવી. પ્રકાશ અને સુવાસનું એક સામ્રાજ્ય આખા બંગલામાં વ્યાપી ગયું. - બંને પુત્રોએ પિતાને સમાચાર આપ્યા કે, “આપના આદેશનું પાલન થઇ ગયું છે.’ પિતા મોટા પુત્રને આપેલા બંગલે ગયા. હજી તો કંપાઉંડમાં પગ મુકે છે, ત્યાં દુર્ગધથી માથુ ફાટી ગયું. છી... છી... છી... આ શું? પુત્રે પરિસ્થિતિ જણાવી. પિતાએ દરવાજેથી જ વિદાય લીધી. પહોંચ્યા નાના પુત્રને આપેલા બંગલે. હજી તો રસ્તા પરથી કંપાઉંડમાં પ્રવેશ પણ કર્યો ન હતો, ત્યાં તો સમસ્ત વાતાવરણ મહેંક મહેંક થઈ રહ્યું છે, એવી પ્રતીતિ થઈ. આગળ જતાં જતાં તો મન પ્રફુલ્લિત થઈ ગયું. બંગલામાં પ્રવેશ કર્યો અને દીવાઓના તેજથી પ્રભાવિત થઈ ગયા. ધૂપસળીઓની સુરભિથી મન તરબતર થઈ ગયું. પરીક્ષાનું પરિણામ કહેવાની કોઈ જરૂર નથી. આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે આપણને મળેલી પ્રત્યેક ક્ષણ બંગલા જેવી છે. કોઈ ક્ષણ ખાલી રહેતી નથી. યા તો એ કચરાથી ભરાય છે, અને યા તો એ પ્રકાશ અને સુવાસથી ભરાય છે. એને દુષ્પવૃત્તિના કચરાથી ભરવી એ પણ આપણા હાથની વાત છે, અને એને સત્યવૃત્તિના પ્રકાશ અને સુવાસથી ભરવી એ પણ આપણા હાથની વાત છે. સમ્યકૅજ્ઞાન એ પ્રકાશ છે, અને સમ્યક્રચારિત્ર એ સુવાસ છે. જેનાથી આ બેની પ્રાપ્તિ થાય છે, એ છે સમ્યગ્દર્શન. ક્ષણની સાર્થકતા છે રત્નત્રયીની આરાધનામાં. “કાળની સફળતા છે આત્માની સાધનામાં. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – जाजा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। अहम्मं कुणमाणस्स, अहला जंति राईओ।। जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। धम्मं च कुणमाणस्स, सहला जंति राईओ।। જે જે રાતો જાય છે, તે તે રાત્રિઓ પાછી આવતી નથી. માટે જે અધર્મ કરે છે, તેની રાત્રિઓ નિષ્ફળ જાય છે. જે ધર્મ કરે છે, તેની રાત્રિઓ સફળ થાય છે. યાદ કરીએ પ્રભુ વીરનું આ વચન - समयं गोयम ! मा पमायए ગૌતમ ! તું સમયમાત્રનો પણ પ્રમાદ ના કરીશ. ક્ષણ એ સમયનું સૌથી નાનું પ્રમાણ છે, એ એક ગેરસમજ છે. આધુનિક વિજ્ઞાને એવી ઘડિયાળો પણ શોધી છે કે જેમાં સેકંડનો હજારમો ભાગ પણ મારી બતાવવામાં આવે છે. વિશિષ્ટ સ્પર્ધાકાર્યક્રમોમાં આવી ઘડિયાળનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પણ વિજ્ઞાન એ અધૂરું છે. એ ગમે તેટલો પ્રયાસ કરે, તો ય. એ કેવળજ્ઞાનની તોલે આવી શકવાનું નથી. દેડકો ગમે તેટલું કૂદે, ગમે તેટલા ઉંચા કૂદકા લગાવે, તો ય એ કદી સૂરજને આંબી શકે ખરો? ! સેકંડનો હજારમો ભાગ તો દુનિયાએ ય જોઈ લીધો છે. આગળની વાત કરું તો માનો કે ૧ લાખ કાગળોનો થપ્પો રાખવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી બંદૂકથી એના પર Page #12 -------------------------------------------------------------------------- ________________ peaceful ગોળી ચલાવવામાં આવી. એક જ સેકંડમાં ગોળી છેક છેલ્લા પ્રમાદ એ જ મૃત્યુ છે. કાગળ સુધી પહોંચી ગઈ. હવે એમાં જ્યાં સુધી ગોળી પહેલા વ્યવહારદૃષ્ટિએ જોઈએ તો પ્રમાદ એ અનંત મરણોનો કાગળમાંથી પસાર નથી થઇ, ત્યાં સુધી બીજા કાગળમાંથી હેતુ છે. આપણા અનંત જન્મ-મરણોના મૂળમાં હતો પ્રમાદ. પસાર ન થઇ શકે. માટે પહેલા કાગળમાંથી પસાર થવાનો કાળ | માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રમાદને મૃત્યુ કહ્યું છે. જેમ અલગ છે. અને બીજા કાગળમાંથી પસાર થવાનો કાળ અલગ કે પાણી એ જીવનનું કારણ છે. તો એવું કહેવાય છે કે ‘નત છે. એ રીતે ત્રીજા, ચોથા, પાંચમા... દરેક કાગળમાંથી પસાર , | હી નીવન હૈ’ વ્યવહારનય ઉપચારને માને છે. માટે પ્રસ્તુતમાં થવાનો કાળ અલગ અલગ છે. આ રીતે એક સેકંડના એક કારણમાં કાર્યનો ઉપચાર વ્યવહારનયને આધારે થયો છે. લાખ ભાગ સિદ્ધ થાય છે. | નિશ્ચય નય તો આવા ઉપચારને માનતો નથી. તો ય આનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. આ તો આપણા નિશ્ચયદૃષ્ટિથી પણ આ વાક્ય ઘટી શકે છે. સાધક સાધના જેવા અલ્પબુદ્ધિઓ પણ પ્રત્યક્ષ સમજી શકે, તેવી વાત છે. કરતો અટકી જાય એનું નામ પ્રમાદ. પ્રમાદથી સાધક સાધક કેવળજ્ઞાનની પ્રજ્ઞામાં તો સેકંડનો એના કરતા પણ ખૂબ ખૂબ રહેતો નથી. સાધકનું સાધક તરીકે મટી જવું, સાધક તરીકે સૂક્ષ્મભાગ પ્રત્યક્ષ હોય છે. મૃત્યુ પામવું એનું નામ પ્રમાદ. માટે પ્રમાદ એ મૃત્યુ છે. परमनिरुद्धकालः समयः | ‘સમરાદિત્ય કથા’માં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ એમાં જે અત્યંત સૂક્ષ્મ ભાગ, કે જેમાં હવે કોઈ ભાગ આના કરતાં પણ આગળની વાત કહી છે – ન થઇ શકે, એવો સૂક્ષ્મતમ કાળ સમય કહેવાય છે. अवि य भक्खियव्वं विसं ण पुण कायव्वो पमाओ। પ્રભુ વીર કહે છે - ‘એટલા કાળનો પણ પ્રમાદ ન પ્રમાદ કરવો એ વિષભક્ષણ કરવા કરતા પણ વધુ ભયંકર કરશો.’ પ્રમાદ એટલે વર્તમાન ક્ષણનો દુરુપયોગ કરવો. પ્રમાદ બાબત છે. જ્યારે એક સમયનો પણ પ્રમાદ ત્યાજ્ય છે, એકએટલે સોનાની થાળીમાં વિષ્ટા ભરી દેવી. પ્રમાદ એટલે એક સમય પૂર્ણ જાગૃતિમાં રહેવાનું છે, ત્યારે અધિક કાળની આલીશાન બંગલામાં કચરો ભરી દેવો. પ્રમાદ એટલે જીતની ગફલતનો પ્રશ્ન જ ક્યાં આવે છે? કે તેના માટે ઘડિયાળીને શક્યતાને જાણી જોઈને હાથે કરીને હારમાં પલટાવી દેવી. ઘંટ વગાડવો પડે? બીજી વાત એ છે કે ઘડિયાળીનો પ્રયાસ ઉપનિષદોમાં કહ્યું છે – જ્ઞાનીઓની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ છે. આનંદઘનજી મહારાજ प्रमादो मृत्युः પદના મધ્યભાગમાં આ જ રહસ્યનું પ્રકાશન કરી રહ્યા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ yo STT केवल काल कला कले, वै तु अकल पावे अकल कला घटमें घरी, मुज सो घरी भावे...२ रे घरियारी बाउ रे... Torgny P Private Page #14 -------------------------------------------------------------------------- ________________ એ ઘડિયાળી તો માત્ર બાહ્ય. કાળને જણાવવાનો બતાવીને શું બતાવી શકશે? માત્ર ને માત્ર બાહ્ય કાળનો અંશ. પ્રયાસ કરે છે. પણ અંતરમાં રહેલી ન કહી શકાય, સેકંડ-મિનિટ-પા કલાક-અડધો કલાક-કલાક વગેરે તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી. એ અકળ કળાને કાળનો અંશ છે. અંશને કળા પણ કહેવાય છે. એના સિવાય બતાવનારી ઘડી તો અંતરમાં જ રહેલી છે. અને મને તો ઘડિયાળ ઘડિયાળી બીજું કાંઈ જ બતાવી શકતો નથી. તે જ ઘડી પસંદ છે. केवल काल-कला कले | (વૈ = પણ, અકલ = ન કળી શકાય તેવી, ઘટમે = એક તો એનો વિષય સીમિત છે, અને બીજું આત્મઅંતરમાં, ભાવે = પસંદ આવે છે.) કલ્યાણ માટે નિરુપયોગી છે. કાળ-કળાને જાણવાથી મનુષ્યને પૂર્વકાળમાં રેતી કે પાણીના પ્રયોગથી મનુષ્ય ઘડિયાળનું કોઈ પ્રશસ્ત પરિણામ મળતું નથી. ઘણાને ટેવ હોય, થોડી થોડી વારે ઘડિયાળ જોયા કરે. ત્રણ વાગ્યા... સવા ત્રણ થયા... ત્રણ યંત્ર બનાવ્યું. બરાબર ચોક્કસાઈથી એ ઘડિયાળે કાળ બતાવ્યો. ને વશ થઇ... સાડા ત્રણ થયા... પણ આ ‘જાણ’ રાખવાનો તેને અનુસારે ઘડિયાળીએ પણ બરાબર ઘંટ વગાડી દીધો. ફાયદો શું? ને આધુનિક કાળમાં ઇલેક્ટ્રીસીટી, સેલ, સોલાર, ચાવી | હમણા એક નૂતન દીક્ષિત મહાત્મા સાથે આવી જ વાત વગેરે અનેક પરિબળોથી ચાલતી અનેક ઘડિયાળોની શોધ થઈ છે. જોઇ જોઇને કદાચ માણસ થાકી જાય એટલા મોડલો થઇ. એ મહાત્માને ગૃહસ્થપણામાં વારંવાર ઘડિયાળ જોવાની નીકળ્યા હશે. સાંભળતા સાંભળતા પાર જ ન આવે, એટલી આદત હતી. દીક્ષા પછી તેમની નજર ઉપાશ્રયની દીવાલો પર જાતના ડંકાઓ અને ટોન નીકળ્યા હશે. કલાકે-કલાકે સમયની ઘડિયાળને શોધતી હોય, ક્યારેક મને કહે પણ ખરાં કે “અહીં જાણ કરવાની પદ્ધતિઓ; પ્રસ્તુતિઓ અને અભિવ્યક્તિઓની ઘડિયાળ નથી, કેટલા વાગ્યા હશે?” મેં કહ્યું, “જાણીને કામ શું કદાચ ભરમાર નીકળી હશે. છે?” એક ‘સૂત્ર’ અપનાવી લો – ‘ટાઈમ જોવાથી ટાઇમ બગડે'. 1 જેટલું આશ્ચર્ય આ કાળના લોકોને આજની ઘડિયાળોનું પ્રભુએ એવું જીવન અને એવી પદ્ધતિ આપી છે, કે જેમાં છે. એટલું આશ્ચર્ય પૂર્વકાળના લોકોને પૂર્વની ઘડિયાળોનું ઘોડયાળની જરૂર નથી. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા એ પ્રાકૃતિક હશે. બંને કાળના લોકો તે તે ઘડિયાળોની શોધ કરનારાઓને ઘડિયાળ છે, એના દ્વારા શ્રમણો પોતાના આવશ્યક કાર્યો ચોક્કસ શાબાશી આપતા હશે અને તેમની પ્રશંસા કરતા હશે. પણ સમયે કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નક્ષત્ર પરથી સમય આનંદઘનજી મહારાજ કાંઇક બીજી જ વાત કરી રહ્યા છે. જાણવાની પદ્ધતિ બતાવી છે. પણ હા, જો શ્રમણ એનો ઉપયોગ આ અવધુતને એ ઘડિયાળોમાં કોઈ રસ નથી. એ ઘડિયાળો પણ આવશ્યકતાથી વધુ કરે, આવશ્યક કાર્ય સિવાય પણ માત્ર એમને સાવ જ તુચ્છ લાગે છે. આનંદઘનજી મહારાજનો એક ‘જાણ’ માટે કરે, તો એ પણ સમયનો વેડફાટ જ છે. વેધક પ્રશ્ન એ છે કે એ ઘડિયાળો ને એ ઘડિયાળીઓ બતાવી | ચાહે કોઈ પણ જાતની ઘડિયાળ હોય. એ વધુમાં વધુ ate & Pets Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શું કરી શકે? વધુમાં વધુ એનું સામર્થ્ય કેટલું? માત્ર કાળ-કળા જણાવવાનું. कल्यत इति कला જેને કળી શકાય એનું નામ કળા. ઘડિયાળ કળા બતાવે છે, પણ જે અકળ છે, તેને ઘડિયાળ બતાવી શકતી નથી. न कल्यत इत्यकलम् જેને કળી ન શકાય, જાણી ન શકાય, તેનું નામ અકળ. અકળ છે શુદ્ધ આત્મસ્વરૂપ, અકળ છે આત્મિક ગુણસમૃદ્ધિ. અકળ છે આત્માના અનંત જ્ઞાન-સુખ આદિ પર્યાયો. પરમાત્મ પંચવિંશતિકામાં મહોપાધ્યાયજીએ કહ્યું છે यतो वाचो निवर्त्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્ધાનુમવસંવેદ્ય, તવં પરમાત્મનઃ।।૪।। જ્યાંથી વાણીઓ પાછી ફરે છે, જ્યાં મનની ગતિ નથી, માત્ર શુદ્ધ અનુભવથી જેનું સંવેદન કરી શકાય, તેવું પરમાત્માનું રૂપ છે. ચાહે કરોડો કરોડો પાના ભરીને સાહિત્ય કેમ ન લખવામાં આવે? આત્મસ્વરૂપને સંપૂર્ણ રીતે જણાવવામાં તે અસમર્થ છે. ચાહે હજારો જન્મો સુધી સતત આત્મસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે, આત્મસ્વરૂપની સંપૂર્ણ રજુઆત થવી શક્ય નથી. કારણ કે આત્મસ્વરૂપ એ વાણીનો વિષય નથી. કદાચ વર્ષો સુધી આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં આવે, તો પણ તેનું સંપૂર્ણ જ્ઞાન થવું શક્ય નથી. કારણ કે આત્મસ્વરૂપ એ મનને પણ અગમ્ય છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે सव्वे सरा नियट्टंति तक्का जत्थ न विज्जइ મરૂ તત્વ ન માહિયા।।૧-૬-૬।। આ એક એવું પરમ તત્ત્વ છે, કે જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે. જેનું વિશ્લેષણ કરવામાં તર્કો સમર્થ થતા નથી. અને મતિ જેનું અવગાહન કરી શકતી નથી. તો પછી આત્મસ્વરૂપનું જ્ઞાન શી રીતે થઇ શકે ? મહોપાધ્યાયજી પોતે જ એનો જવાબ આપે છે - શુદ્ધાનુમવસંવેદ્યમ્ - શુદ્ધ અનુભવથી આત્માનું સંવેદન શક્ય છે. अकल कला घट में घरी આ શુદ્ધ અનુભવ એ જ આંતરિક ઘડિયાળ. એ અકળ કળાને બતાવે છે. અકળ કળા એટલે શુદ્ધ આત્મા. અકળ કળા એટલે પરમાત્મા. પરમાત્મા ખરેખર બીજા કોઈ ઉપાયોથી જણાઇ શકે એમ નથી. સાત નયો અને તેના અસંખ્ય ભેદરૂપ નયવાદો પણ પરમાત્મસ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. પરમાત્મ પંચવિંશતિકામાં કહ્યું છે – धावन्तोऽपि नया नैके, तत्स्वरूपं स्पृशन्ति न। समुद्र इव कल्लोलाः, कृतप्रतिनिवृत्तयः।।८।। અનેક નયો દોટ મૂકે, તો પણ પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. જેમ સમુદ્રમાં મોજાઓ ઘણી દોડધામ કરે, તો પણ દોડી દોડીને તેઓ પાછા ફરે છે, તેમ નયવાદો પણ પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કર્યા વિના પાછા ફરે છે. નાનકડો પીવુ. રવિવારે ચોપાટી ફરી આવ્યો. રાતે પાડોશના છોકરાઓ સાથે રમવા ગયો. ચાર-પાંચ વર્ષના છોકરા. પીનુએ તેમને કહ્યું, “આજે તો મેં દરિયો Page #16 -------------------------------------------------------------------------- ________________ - - - - - - જોયો. કેટલું બધું પાણી જોયું.” પેલા છોકરાઓએ કદી દરિયો જોયો ન बात यह है कि હતો. તેઓ તો આશ્ચર્યચકિત થઇ ગયા... “એમ? કેટલો મોટો હતો अनुभूतियाँ बाते नहीं है, દરિયો?’ असल में विचार भी પીનુએ પોતાના બંને હાથ પહોળા કર્યા અને કહ્યું, “આંટલો કડક મોટો”. પીનુના હાથ ત્રણ ફૂટથી વધારે પહોળાઈ બતાવી શકે તેમ નથી. शब्दो के फन्दे में आते नहीं है। જ્યારે દરિયાની પહોળાઇ હજારો કિલોમીટરોને પણ વટાવી ગઈ છે. શુદ્ધ It's Subject of આત્મસ્વરૂપનું નિરૂપણ કરતાં જ્ઞાનીઓ કહે છે કે અમે તો આ ‘પીન'ના. સ્થાને છીએ. શુદ્ધ અનુભવ દ્વારા અમે આત્મસ્વરૂપની અનુભૂતિ જરૂર કરી. experience only. પીનુ જેમ ચોપાટીએ જઈ આવ્યો, એમ અમે પણ શુદ્ધ અનુભવના માધ્યમે આત્મગુણોની અનુભૂતિયાત્રા કરીએ છીએ. પણ શુદ્ધ આત્મસ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવું, એ અમારા ય ગજા બહારની વાત છે. स्वयं वेद्यं हि तद् ब्रह्म, कुमारी स्त्रीसुखं यथा। अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद्घटम्।। | કુંવારી કન્યા પરણેતર સ્ત્રીના સુખને ન જાણી શકે, તેમ જે યોગી નથી તે શુદ્ધ આત્મસ્વરૂપને ન જાણી શકે. કારણ કે શુદ્ધ આત્મસ્વરૂપ માત્ર સ્વાનુભવથી ગમ્ય છે. જેમ જન્મથી અંધ વ્યક્તિ માટલા વગેરે પદાર્થોને બરાબર જાણી ન શકે, તેમ સ્વાનુભવરહિત વ્યક્તિ શુદ્ધ આત્મસ્વરૂપને ન જાણી શકે. अकल कला घट में घरी આત્મામાં રહેલી સ્વાનુભવશક્તિ એ આંતરિક ઘડિયાળ છે. શુદ્ધ આત્મસ્વરૂપની અકળ કળા પણ તેનાથી કળી શકાય છે. | ઉપનિષદો કહે છે – ज्ञात्वा तं मृत्युमत्येति नान्यः पन्थाऽस्ति मुक्तये। મૃત્યુ પર વિજય મેળવવાનો એક માત્ર માર્ગ છે આત્મજ્ઞાન. મુક્તિ મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. સારામાં સારી ઘડિયાળ રાખતો માણસ સમયનો ખરાબમાં ખરાબ 6 Per Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરતો હોય, એવું બની શકે છે. ચોક્કસમાં ચોક્કસ સમય બતાવતી હોય, તેવી ઘડિયાળ રાખનાર વ્યક્તિ પણ બિસ્કુલ ચોક્કસાઇ વિનાનું જીવન જીવતી હોય, તે શક્ય છે. ટૂંકમાં સારી ઘડિયાળ કે સમયનું ચોક્કસ જ્ઞાન આલ્કલ્યાણ કરવામાં ઉપયોગી થતું નથી. આત્મકલ્યાણ તો કરે છે આંતરિક ઘડિયાળ અને તેના દ્વારા થતું અકળ કેળાનું જ્ઞાન. अकल कला घट में घरी Knowledge is wealth... knowledge is first... આવા સૂત્રો આજે પ્રચલિત બન્યા છે. શિક્ષા-અભિયાનોએ આજે જોર પકડ્યું છે. સર્વત્ર શિક્ષણ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ વ્યાપી ગઇ છે. નર્સરી ને કે.જી.માં ભણતા બાળકથી માંડીને યુનિવર્સિટીના વિદ્યાર્થી સુધીના બધાના મન પર ભણતરનો મોટો ભાર છે. એટલું જ નહીં, તેમના માતા-પિતાઓ પણ તેમના ઘરકામ (હોમ વર્ક), પરીક્ષાઓ વગેરે માટે અત્યંત ચિંતિત છે. પુત્ર ભણશે નહીં તો ભૂખ્યો રહેશે-કુંવારો રહેશે, આવો વ્યક્ત કે અવ્યક્ત ભય માતા-પિતાઓને સતાવી રહ્યો છે. - એક યુવાન વ્યવસાય કરીને રાતે ઘરે આવ્યો. જમવા બેઠો. પત્નીએ પીરસતા પીરસતા કહ્યું કે, “આજે મોંટુ હોમવર્ક કર્યા વિના સુઇ ગયો છે.” યુવાને નજર ફેરવી. માંડ ચાર વર્ષનો મોંટું ઘસઘસાટ સૂઈ રહ્યો હતો. યુવાનનો પિત્તો ગયો. જમતા જમતા વચ્ચેથી ઉભો થઇ ગયો. તમારા મારીને મોંટુને ઉઠાડ્યો. ગાળા-ગાળી કરી દીધી. મોટુ તો બિચારો ડઘાઈ જ ગયો. ભેંકડો તાણીને રડવા લાગ્યો. યુવાનનો ગુસ્સો હજી પણ શાંત થયો ન હતો. એણે ખરાબ રીતે મારપીટ શરૂ કરી. હજી એની પત્ની વચ્ચે પડીને અટકાવે, તેની પહેલા યુવાને સગા દીકરાના માથાના વાળ પકડીને માથું જોરથી દીવાલ સાથે અટકાવ્યું. કળી જેવો કોમળ એ બાળક... ખોપરી ત્યાં ને ત્યાં ફાટી ગઈ. બાળક તરફડી તરફડીને મરી ગયો. મા-બાપ ધ્રુસકે ધ્રુસકે રડ્યા, પણ હવે શું થાય? આપણી વાત એ છે કે વ્યવહારિક શિક્ષણ એટલે અતિ અતિ અતિ ફરજિયાત. એના વિના ચાલે જ નહીં, એવી માન્યતા સાર્વત્રિક બની છે. પણ વાસ્તવિક્તા આનાથી વિપરીત છે. જેના વિના ચાલે જ નહીં, એ છે આત્મજ્ઞાન. જે અત્યંત અનિવાર્ય હોય, એ છે આત્મજ્ઞાન. અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીના વેધક શબ્દો છે – ज्ञाते ह्यात्मनि नो भूयो, ज्ञातव्यमवशिष्यते। अज्ञाते पुनरेतस्मिन्, ज्ञानमन्यन्निरर्थकम्।।१८-२।। એક વાર આત્મજ્ઞાન થઇ જાય, ત્યારે બીજું કોઇ જ્ઞાન કરવાનું બાકી રહેતું નથી. પણ જો આત્મજ્ઞાન ન થાય, તો બીજું બધું જ્ઞાન નિરર્થક છે. | નડિયાદમાં એક અજૈન છોકરો મારી પાસે આવ્યો. ૧૮ વર્ષની ઉંમર. મેં પૂછ્યું, ‘શું કરે છે?’’ એ કહે “વકીલાતનો કોર્સ કરું છું.” “કેટલા વર્ષનો?” “૯ વર્ષનો.” આ જવાબ સાંભળીને હું તો ચોંકી ગયો, ‘૯ વર્ષ?” “હા, તેમાં ૧૫૬ દેશોના કાયદા ભણવાના હોય. તેની ડિગ્રી મળે, પછી મલ્ટી નેશનલ કંપનીઓ સલાહકાર તરીકે નિમણુંક કરે.” ૨૬ વર્ષની ઉંમર સુધી વ્યવહારિક શિક્ષણ ચાલે. તેમાં ય ૧૫૬ દેશોના કાયદાઓની આંટી ઘૂંટીને મગજમાં બળજબરીથી ભરવાની. સામાન્ય ભાષામાં કહીએ, તો મગજનું દહીં કરવાનું. તેના પછી ય જ્યાં સુધી શારીરિક-માનસિક શક્તિ રહે, ત્યાં સુધી આ જ આંટીઘૂંટીઓમાં રમતા રહેવાનું. આપણે Erald & SUN Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પણ વ્યવહારિક અભ્યાસ લેતા હતાં, તે શાળાના મકાનને યાદ કરીએ, તેના બિલ્લા, પ્રતિક કે કાગળોને યાદ કરીએ. એમાં ક્યાંક ને ક્યાંક આ સૂત્ર લખ્યું હશે – - विद्या या विमुक्त જ્ઞાન તે છે, જે મોક્ષનું કારણ બને. આ સૂત્ર કોણે નહીં વાંચ્યું હોય? એ પ્રશ્ન છે, તો આ સૂત્રનું તાત્પર્ય કોણ સમજ્યું હશે, એ પ્રશ્ન છે. જો એનું તાત્પર્ય બરાબર સમજાઇ જાય, તો બીજી વાર એ શાળામાં પગ મુકતા પહેલા એ વ્યક્તિ સો વાર વિચાર કરે. બહુ મોટી સમસ્યા એ છે કે જેને Knowledge જ્ઞાન માન્યું છે, એ વાસ્તવમાં જ્ઞાન છે ખરું? એને જ્ઞાન કહી શકાય ખરું? ઉપરોક્ત સૂત્ર તો સ્પષ્ટ કહે છે, કે જેનાથી મોક્ષ મળે એ જ્ઞાન. જ્યારે આજના શિક્ષણો તો બંધનવૃદ્ધિના જ કારણ બને છે. એને જ્ઞાન શી રીતે કહી શકાય? એ તો તદ્દન મિથ્યાજ્ઞાન છે, અજ્ઞાન છે. આવા અજ્ઞાન પાછળ દુનિયા આખી દોડી રહી છે. એના ખાતર જીવનના સુવર્ણકાળને વેડફી રહી છે. માતાપિતાઓ પુત્રને ‘અજ્ઞાની’ અને ‘બંધનગ્રસ્ત’ બનાવવા ખાતર આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. આ કેવી વિચિત્રતા ! પુત્ર આત્મજ્ઞાની બને, બંધનમુક્ત થાય, શાશ્વત સુખ પામે, આવી ઈચ્છા અને પ્રયત્ન જેમનામાં હોય, તેમને સાચા માતા-પિતા કહી શકાય. કારણ કે સાચા માતા-પિતા પુત્ર સુખી જ થાય, દુઃખી ન થાય એવું જ ઇચ્છતા હોય છે. અને સુખનો આધાર આત્મજ્ઞાન છે. મહોપાધ્યાયજીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું છે – આતમ અજ્ઞાને કરી જે ભવદુઃખ લહીએ, આતમજ્ઞાને તે ટળે એમ માની સદ્દહીએ. સમગ્ર સંસારના સર્વ દુઃખોનું મૂળ કાંઇ હોય, તો એ છે આત્માનું અજ્ઞાન. આ દુઃખને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે આત્માનું જ્ઞાન. આત્મા એટલે આપણે પોતે. આત્મા એટલે સ્વસ્વરૂપ. જ્યાં સુધી સ્વસ્વરૂપનું દર્શન ન થાય, ત્યાં સુધી સ્વહિતની પ્રવૃત્તિ શક્ય નથી. સમગ્ર નાસ્તિકવાદ ‘સ્વ’ના અજ્ઞાન પર ઊભો છે અને સમસ્ત આસ્તિકવાદ ‘સ્વ’ના જ્ઞાન પર ઊભો છે. હું કોણ? હું જડ શરીર નથી. હું ચૈતન્યમય આત્મા છું. હું શરીરથી ભિન્ન છું. લાંબો, ટૂંકો, પતલો, જાડો, ગોરો, કાળો, રોગી, નીરોગી, બાળ, વૃદ્ધ આ બધા શરીરના પર્યાયો છે. આ પર્યાયો સાથે મારે કોઇ સંબંધ નથી. મારા પર્યાયો છે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર. અષ્ટાવક્રગીતામાં કહ્યું છે - नाहं देहो न मे देहः હું શરીર નથી, મારું શરીર નથી. જડ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. એક વાર અંતઃકરણથી આ સંવેદન થાય એટલે બેડો પાર થયો એમ સમજી લો. સમાધિતંત્રમાં કહ્યું છે – देहान्तरगतेर्बीजं देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्ते - रात्मन्येवाऽऽत्मभावना ।। જીવ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે, અનાદિકાળથી એક ગતિમાંથી બીજી ગતિમાં ભટકે છે, તેનું કારણ છે આ શરીર ‘હું’ છું, એવી ગેરસમજ. શરીર એ જ આત્મા છે એવા મિથ્યાજ્ઞાનને કારણે જ ભવભ્રમણનો અંત આવતો નથી. આત્મા જ ‘હું’ છું, આવું જ્ઞાન થાય, સમ્યક્ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમજ પ્રગટે, તેના પછી જ દેહરહિત અવસ્થાની પ્રાપ્તિ થાય “જે તું છે, તે...” લોકો ભેગા થઈ ગયા. વહાણમાં આવું છે. મોક્ષનું કારણ છે આત્મજ્ઞાન. | નાટક જોવા ક્યાં મળવાનું હતું? | ન્યાયાવલિમાં એક ન્યાય છે ‘અહિભુશ્કેવર્તક’ ન્યાય. ટીખળી હસતો જાય છે. પેલો બહાવરો બનતો જાય આ ન્યાય પાછળ એક રોચક કથા છે. કેફી દ્રવ્ય ખાનાર એક છે. સતત એક વાત રટતો જાય છે, “જે તું છે, તે...” છેવટે માણસ વહાણમાં ચડ્યો. ત્યાં ઘણા બધા માણસોને જોઈને ટીખળીએ પેલો દોરો એના પગમાં બાંધી દીધો. એ શાંત થઈ ગભરાયો, કે આમાં હું ખોવાઈ જઇશ. જ્યાં ટોળું હોય, ત્યાંથી ગયો. ‘તું હું નથી, હું જ હું છું.” એવું ભાન એને થઇ ગયું. એ દુર ભાગવા લાગ્યો. કોઈ સાવ ખાલી જગ્યા મળે, એની નાટકનો અંત આવ્યો. તે શોધ કરવા લાગ્યો. પણ લોકો તો આવતાં જ જાય છે. ખાલી ‘શરીર હું છું” આ માન્યતા સંસારનાટકનું ઉદ્ગમબિંદુ જગ્યાઓ ભરાતી જાય છે. પેલો બિચારો આમથી આમ દોડ્યા છે. સર્વ ક્લેશ-સંક્લેશ-મોહમાયા-રાગાદિના તોફાનોનું કરે છે. છેવટે કોઈ જગ્યા ખાલી ન રહી, ત્યારે એ ખૂબ મુંઝાઈ ઉદ્ભવસ્થાન છે આ જ ગેરસમજ. જ્યારે આ ગેરસમજ દૂર, ગયો. “આટલી ભીડમાં હું નક્કી ખોવાઇ જ જઈશ.” એવો થશે, એ કાળ આપણા સંસારનાટકનો અંતિમ અંક હશે. ભય એને સતાવવા લાગ્યો. ખૂબ મથામણ કર્યા પછી એને એક ઉપાય સૂઝયો. એણે પોતાના ડાબા પગમાં એક દોરો | શંકા :- હું આત્મા છું’ એવી સાચી સમજ તો મળી બાંધી દીધો. એના મનને શાંતિ થઇ ગઈ. થોડી વારમાં તો એ ગઈ છે. તો ય હજી સંસારનો છેડો દેખાતો નથી. એનું શું ઘસઘસાટ સૂઈ ગયો. કારણ? બન્યું એવું કે બીજો એક માણસ ક્યારનો આ તમાશો सा विद्या या विमुक्तये જોતો હતો. એને ટીખળ કરવાનું મન થયું. એણે એ દોરો પોતાના શાન તે છે, જે મોક્ષનું કારણ બુને. ડાબા પગમાં બાંધી દીધો અને એની બાજુમાં બેસી ગયો. એ માણસ જ્યારે જાગ્યો, ત્યારે સૌથી પહેલા એણે પોતાના ડાબા , એક વાર આત્મજ્ઞાન થઇ જાય, પગ પર નજર કરી. દોરો ન દેખાયો. એ ખૂબ જ ગભરાઈ ત્યારે બીજું કોઇ જ્ઞાન કરવાનું ગયો. ચારે બાજુ નજર દોડાવવા લાગ્યો. જોતા જોતા બાજુમાં બાકી રહેતું નથી. નજર કરી. તે ટીખળીના પગમાં દોરો જોયો અને એને ‘હાશ’ પણ જો આત્મજ્ઞાન ન થાય, થઇ ગઈ. એ સ્વસ્થ થઈ ગયો. થોડી વાર પછી એ ટીખળીને તો બીજું બધું જ્ઞાન નિરર્થક છે. કહેવા લાગ્યો, “જે તું છે, તે હું છું અને જે હું છું, એ તું છે.” તે ટીખળીએ એની વાતનો સાફ ઇન્કાર કરી દીધો, એટલે એ ખૂબ ગુસ્સે થઇ ગયો, મોટે અવાજે બોલવા લાગ્યો, ritual realisa Nedge is Spins e knowleda All of the kn www.jan Page #20 -------------------------------------------------------------------------- ________________ नाहं देहो न मे देहः - હું શરીરનથી, મારું શરીર નથી. Who am તો ) છે ? A સમાધાન :- ‘સાચી સમજ' કોને કહેવાય? એ પહેલા બરાબર સમજવું પડશે. આત્માના પ્રત્યેક પ્રદેશમાં ઓળઘોળ થયેલી પરિણતિ એનું નામ સાચી સમજ. અંતઃકરણમાં અસ્થિમજ્જા બનેલું આત્મજ્ઞાન એનું નામ સાચી સમજ. કોઈ માણસ આ શરીરનું માથું કાપી નાખતો હોય એમાં આપણને આપણું કાંઈ જ કપાતું ન લાગે એનું નામ સાચી સમજ. - આ જ સાચી સમજને આધારે ગજસુકમાલ મુનિએ અંગારાની વેદનાને પૂર્ણ સમતા અને પ્રસન્નતાથી સહી લીધી હતી. સઝાયકારે તેમની આ સમ્યક સમજને વાચા આપી છે – બળે નહીં મારું કંઇ, બળે બીજાનું એહ રે; પડોશીની આગ માંહિ, આપણું અલગુ ગેહ રે. પડોશીનું ઘર ભડકે બળે, તો ય એમાં આપણું કાંઈ બળતું નથી. કારણ કે તેનું ઘર અને આપણું ઘર જુદું છે. તે જ રીતે શરીર બળે, તેમાં મારું કાંઈ જ બળતું નથી. કારણ કે શરીર જુદું છે, અને હું જુદો છું. આ અન્યત્વ ભાવનાની પરિણતિનો આધાર છે આત્મજ્ઞાન. अकल कला घट मे घरी એક વાર આ અકળ કળાનું સંવેદન થાય, એટલે મમતાથી પૂર્ણપણે મુક્તિ મળી જાય. ઉત્તરાયયન સૂત્રમાં નમિરાજર્ષિની આ જ પરિણતિને શબ્દસ્થ કરી છે - मिहिलाए डज्झमाणीए ण मे डज्झइ किंचण મિથિલા નગરી બળે, એમાં મારું કાંઈ જ બળતું નથી. વર્ષો સુધી જે નગરીનું આધિપત્ય ભોગવ્યું. જે નગરીના યોગ-ક્ષેમ કર્યા. જે નગરીની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. જે નગરીની રક્ષા ખાતર કદાચ યુદ્ધો પણ કર્યા. જે નગરીના પ્રજાજનો દ્વારા પોતાનો જય જયકાર સાભળ્યો. જે નગરીના સ્વામિત્વના કારણે સમૃદ્ધિની છોળોમાં આળોટ્યો. એ જ નગરી ભડકે બળી રહી છે, એવું ઇન્દ્ર દેખાડે છે. આપણે કલ્પના કરી શકીએ? કે ત્યારે નમિરાજર્ષિની મનોદશા કેવી સમગ્ર સંસારના સર્વ દુઃખોનું મૂળ કાંઈ હોય, તો એ છે આત્માનું અજ્ઞાન. આ દુઃખને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે – આત્માનું જ્ઞાન. Page #21 -------------------------------------------------------------------------- ________________ હોઈ શકે? મમત્વભાવના કેવા તોફાનો ચાલે ! રાગના કેવા થયા કરે છે? તો એનો અર્થ એ છે કે પરાકાષ્ઠાનું આત્મજ્ઞાન તાંડવ ચાલે ! કેવી હાયવોય... કેવો વિલાપ... કેવો શોક... તો નથી જ થયું. કેવો ઉકળાટ... પણ ના... હા, આ સ્થિતિમાં પણ મધ્યમાદિ કક્ષાનું આત્મજ્ઞાન હજી अकल कला घट में घरी યે સંભવિત છે. શિરોવેદનાની પળોને ફરી સ્મૃતિમાં લાવીએ. આઠ નમિરાજર્ષિના આંતરચક્ષુ ઉઘડી ગયા હતાં. તેમનું કલાક સુધી માથું દુઃખતું રહ્યું. પીડાની અનુભૂતિ પણ થઇ. પણ અંતઃકરણ અકળ કળાને કળી ગયું હતું. શરીર અને આત્માનો વાત આટલેથી ન અટકી. જેટલા જણ સંપર્કમાં આવ્યા, જેટલા ભેદભાવ તેમને પ્રત્યક્ષ થઇ ચૂક્યો હતો. બાહ્ય સર્વસંબંધોનો જણને આપણે કહી શક્યા એટલા જણને આપણે વસવસા સાથે આધાર છે શરીર. જ્યારે શરીર મારાથી ભિન્ન છે, ત્યારે એ કહ્યું, “આજે બહુ માથુ દુઃખે છે...” ઈત્યાદિ. સર્વ સંબંધીઓ મારાથી ભિન્ન જ હોય એ સાહજિક છે. દાનાદિ | શરીરના રોગોનો કેટલો ખટકો ! એને દૂર કરવાની પ્રકરણમાં કહ્યું છે - કેટલી ઝંખના ! એ ન જાય ત્યાં સુધી કેટલો તરફડાટ ! બહુ ૩થતે વર્ષft શેકપ તો દિ તિબ્લન્તિ શરીરFળે? માર્મિક વાત એ છે કે જે આઠ કલાક શિરોવેદનારૂપ શારીરિક એકવાર શરીર પરથી ચામડી ઉખેડી લેવાય, પછી રોગ રહ્યો, એ સમયમાં ક્રોધ-માન-માયા વગેરે આત્મિક શરીર પર રુંવાટા ટકી શકતા નથી. કારણ કે રુંવાટાનો આધાર - રોગો હતા કે નહીં? એનો ખટકો કેટલો? એ રોગોની પીડાની હતો ચામડી. એ જ રીતે શરીર સાથે મારો સંબંધ નથી, એટલું અનુભૂતિ કેટલી? એના દર્દની વ્યથા કેટલી? કેટલા જણને જ્ઞાન થાય, એટલે શરીરસંબદ્ધ સર્વ સંબંધો પણ મારા નથી, કહ્યું કે, ‘આજે મને ક્રોધ બહુ સતાવે છે. આજે તો અહંકારે એવી પ્રતીતિ થાય. આ જ પ્રતીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે મને હેરાન હેરાન કરી દીધો...'' ઇત્યાદિ. આનંદઘનજી મહારાજ... આ આત્મ-નિરીક્ષણ આત્મજ્ઞાનનું માપદંડ છે. શારીરિક રોગોની તદ્દન ઉપેક્ષા અને આત્મિક રોગોની અસહ્ય अकल कला घट में घरी વેદના હોય તો સમજવું કે આત્મજ્ઞાન હાજર છે. આનાથી | ‘આત્મા છું’ એવી સમ્યક્ સમજ પ્રગટે, તો શરીર વિપરીત પરિસ્થિતિ હોય, એનો અર્થ છે કે એ વ્યક્તિની દશા પ્રત્યે પૂર્ણ ઉપેક્ષાભાવ આવે. ‘આત્મજ્ઞાન’ એ ગોખણપટ્ટીનો ના પેલા નશાબાજ જેવી છે. ‘હું કોણ?’ એનું જ્ઞાન એને નથી. વિષય નથી. ઉપરછલ્લી તત્ત્વચર્ચાનો વિષય નથી, એ તો ‘તું હું છું.’ એવી ભયંકર ગેરસમજનો એ વ્યક્તિ ભોગ બની સ્વાનુભૂતિનો વિષય છે. ‘મને ખરું આત્મજ્ઞાન થયું છે કે છે. આ ગેરસમજ એટલે જ આત્મ-અજ્ઞાન. આ ગેરસમજનો નહીં?’ આ શંકાનું સમાધાન આપણે પોતે જ મેળવી શકીએ અસ્ત અને સમ્યક્ સમજનો ઉદય એનું નામ આત્મજ્ઞાન. તેમ છીએ. જરા આત્મનિરીક્ષણ કરીએ. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું અવલોકન કરીએ. માથાનો દુઃખાવો થાય, ત્યારે अकल कला घट में घरी પીડાની અનુભૂતિ થાય છે? ‘મારું’ માથું દુઃખે છે, એવું સંવેદન એક વાર અંતઃકરણમાં અકળ કળા સ્કુરાયમાન થાય... 0 ) SS Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનની વાસ્તવિક અનુભૂતિ થાય... ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે, જોવું છે? • કચકચાવીને બાંધેલી વાધરથી આંખના ડોળા બહાર નીકળી જાય, તો ય વેદના પ્રત્યે લક્ષ્ય ન જાય. • માથે અંગારા મુકવામાં આવે, તો ય ચહેરાની રેખા પણ ન ફરે. • ઘાણીમાં પીલી નાખવામાં આવે, તો ય આનંદમાં કોઈ ઓટ ન આવે. • જીવતે જીવતા ચામડી ઉતારવામાં આવે, તો ય એક રુંવાડુ પણ ન ફરકે. • ત્રિશૂળથી વીંધી નાખવામાં આવે, તો ય આત્માનુભૂતિને કોઇ ક્ષતિ ન પહોચે. • તલવારથી એક ઝાટકે ધડ અને માથું જુદા કરી દેવાતા હોય, એ ક્ષણે પણ પ્રસન્નતાનું પૂર અકબંધ હોય. • ભૂખી વાવણ શરીરને ફાડી ખાતી હોય, તે દશામાં ય પોતાનું કશું જ બગડતું ન લાગે. આ છે આત્માનુભૂતિની દિવ્ય પળો. આ પળોને પૂર્વપુરુષોએ સક્ઝાયોની પંક્તિઓમાં કંડારી દીધી છે – ચડ ચડ ચામડી તેહ ઉતારે મુનિ સમતારસ ઝીલે રે... ‘’ અને ‘તું' નું સ્વરૂપ સ્પષ્ટ થાય... શરીર પરનો મમત્વભાવ વિલય પામે. એટલે સમતારસની પરિણતિ થયા વિના રહે નહીં. આ સ્થિતિમાં મરણાંત ઉપસર્ગ પણ કેમ ન આવે? સમાધિને કોઈ આંચ ન આવી શકે. देहाभिमाने गलिते, ज्ञानेन परमात्मनः। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। પરમાત્મા – શુદ્ધ આત્માનું જ્ઞાન પ્રગટે, એના દ્વારા ‘હું શરીર છું’ એવી ગેરસમજ દૂર થાય, પછી તો મન જ્યાં પણ જાય, ત્યાં સમાધિ જ સમાધિ છે. | સાધનાનું સર્વસ્વ છે આત્મજ્ઞાન. સિદ્ધિનું રહસ્ય છે આત્મજ્ઞાન. સહજસુખની સરવાણી છે આત્મજ્ઞાન. આ અકળ કળાને જણાવે છે અંતઃકરણની ઘડિયાળ. શુદ્ધ અનુભવયુક્ત અંતઃકરણ એ આંતરિક ઘડિયાળ છે. આનંદઘનજી મહારાજ કહે છે... मुज सो घरी भावे મને તો આ આંતરિક ઘડિયાળ જ ગમે છે. બાહ્ય ઘડિયાળમાં મને કોઇ રસ નથી. જેનાથી આત્મજ્ઞાન થાય તે વસ્તુ ઉપાદેય. જેનાથી પરંપરાએ પણ આત્મજ્ઞાન ન થાય, એ વસ્તુ હેય. આંતરિક ઘડિયાળ પ્રત્યે તાત્ત્વિક પક્ષપાત હોય, એ પણ આત્મજ્ઞાનનું કારણ બને છે. એવો તાત્ત્વિક પક્ષપાત કદી નિષ્ક્રિય ન હોય. જો આત્મજ્ઞાન પ્રત્યે સમ્પર્ક અભિરુચિ છે, તો એના કારણોનું સેવન સહજપણે થવાનું. તે દિશામાં પુરુષાર્થ પ્રાકૃતિકપણે થવાનો. દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્તવન કરતાં કહ્યું છે... रुचि अनुसारी वीर्य रे જે વિષયમાં રુચિ હોય, તે વિષયમાં શક્તિનો વિનિયોગ સહજપણે થાય. જેને આત્મજ્ઞાનની ઝંખના છે, એ શરીર, સ્વજન, સંપત્તિ, સાંસારિક વ્યવહારો... આ બધા પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરે. અનિવાર્ય સંયોગોમાં શરીરાદિને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવી પડે, તો પણ તેનું મન આત્મરમણ કરતું હોય. એવી દશાના જ આ ઉદ્ગારો છે... मुज सो घरी भावे અહીં ‘ભાવે’ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. ‘ભાવે છે? એટલે ‘ગમે છે'. જે વસ્તુ ગમે છે, તે કરવા માટે કે તેને મેળવવા માટે કોઈની પ્રેરણાની જરૂર પડતી નથી. પુત્રને ભણવું ગમતું નથી, માટે જ શિક્ષક-માતા-પિતા વગેરેને વારંવાર પ્રેરણા કરવી પડે છે. જે ગમે છે, તે વસ્તુની વિસ્મૃતિ પણ સંભવિત નથી. માતાને દીકરો ગમે છે, તો તે કદી પણ દીકરાને ભૂલી For Ple Please Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શકતી નથી. જે ગમે છે, તેને મેળવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય, તો ય માણસ હિંમત હારતો નથી. જે ગમે છે, તે વસ્તુ લાંબા સમય સુધી ન જ મળે, તો ય તે વસ્તુ પ્રત્યે અણગમો થતો નથી. ‘હજી પણ એ વસ્તુ મળી જાય તો સારું’, ‘હજી પણ એના માટે પ્રયત્ન કરું', એવું સંવેદન થયા કરે છે. આ જ છે આત્મસાધકની અવસ્થા... मुजसो घरी भावे ન તો એને આત્મસાધના માટે પ્રેરણાની આવશ્યકતા છે કે ન તો એને કદી આત્માની વિસ્મૃતિ થાય છે. ન તો એ કદી હિંમત હારે છે કે ન તો એને આત્મજ્ઞાન પ્રત્યે કદી અણગમો થાય છે. એ તો સતત ઝંખે છે દેહ-આત્માના ભેદભાવના સાક્ષાત્કારને. એ તલસે છે શુદ્ધ આત્મગુણોની અનુભૂતિને. એ ઉપેક્ષા કરે છે સાંસારિક વ્યવહારોની. જેનાથી આત્માની વિસ્મૃતિ થાય એવા અનુકૂળ વિષયો એને કાંટાની જેમ ખૂંચે છે. પ્રસિદ્ધિ એને સિદ્ધિમાં વિઘ્નભૂત લાગે છે. માન-સન્માન એને મરણાંત ઉપસર્ગ જેવા લાગે છે. આવા સાધકને પણ ન છૂટકે ભોજનાદિ પ્રવૃત્તિ કરવી પડે, ત્યારે એ પ્રવૃત્તિ કઈ રીતે કરે એની કલ્પના કરી શકો છો? પ્રશમરતિમાં કહ્યું છે - अभ्यवहरेदाहारं पुत्रपलवच्च । તદ્દન વિકટ સંયોગોમાં મુકાયેલા પિતાને ન છૂટકે પુત્રના શબનું માંસ ખાવું પડે, તો એ કઈ રીતે ખાય? એ ખાવામાં એને આંતરિક અભિરુચિ કેટલી હોય? એ ખાતી વખતે એનો સ્વાદ લેવા તરફ એનું કેટલું લક્ષ હોય? મારે આ ક્યાં ખાવું પડે છે... એવો કેટલો બળાપો હોય? અંતર કેટલું રડતું હોય? બરાબર આ જ રીતે આત્મસાધક ભોજન કરે... પરાણે... ન છૂટકે... અણગમા સાથે... સ્વાદ વગેરે તરફ બિલ્કુલ લક્ષ્ય આપ્યા વિના... જલ્દીથી એ પ્રવૃત્તિનો ત્યાગ થઇ જાય એવી વૃત્તિ સાથે. તેમાં પણ જો એક વાર ભોજન લેવાથી પતતું હોય, તો એ બે વાર ભોજન ન જ કરે. બે વાર ભોજન કરવાથી નિર્વાહ થતો હોય, તો એ ત્રણ વાર ન જ ખાય. અરે, કદાચ એને ત્રણ વાર ખાવું જ પડતું હોય, તો ય એ હાલતાચાલતા જે-તે તો ન જ ખાય. એનું ભોજન સ્વાદકેન્દ્રિત તો ન જ હોય. પૂ. હરિભદ્રસૂરિમહારાજાએ યોગશતકમાં કહ્યું છે वणवोवम्मेण જે રીતે ઘા ઉપર મલમ લગાડવામાં આવે, એ રીતે આત્મસાધક ભોજન કરે. ઘા પર મલમ કેટલો લગાડાય? મલમના લપેડા ન કરવાના હોય. માત્ર જરૂર પૂરતો... પ્રમાણસર જ મલમ લગાડાય. એ જ રીતે આત્મસાધક પણ અધ્યાત્મયાત્રાનો નિર્વાહ થાય, એ જ લક્ષ્ય સાથે ઉચિત પ્રમાણ આદિ ઉપરોક્ત કાળજી સાથે ભોજન કરે. માત્ર ભોજનની જ નહીં બાકીની બાબતોમાં પણ આવી વૃત્તિ અને પ્રવૃત્તિ સહજ બને, ત્યારે કહી શકાય કે આત્મજ્ઞાન પ્રત્યેની અભિરુચિની કક્ષામાં પ્રવેશ થઈ ગયો છે. આનું નામ... मुजसो घरी भावे આત્મદ્રવ્ય પ્રત્યેની અભિરુચિ, એ પરદ્રવ્ય પ્રત્યેના અણગમાથી અભિવ્યક્ત થાય છે. જ્યાં સુધી પરદ્રવ્ય પ્રીતિપાત્ર બનતું હોય, ત્યાં સુધી આત્મદ્રવ્યની ખરી અભિરુચિ થઇ નથી. આત્મદ્રવ્યની ખરી અભિરુચિની આ ભૂમિકા હવે અંતિમ કડીમાં સ્પષ્ટ થઈ રહી છે... Page #24 -------------------------------------------------------------------------- ________________ आतम अनुभव रस भरी, यामे और न मावे: आनंदघन अविचल कला, विरला कोई पावे....३ रे घरियारी बाउ रे... Private & Prsonal f Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્મઅનુભવ રસથી આ ઘડી ભરેલી છે. જેમાં બીજી કોઈ વસ્તુનો સમાવેશ થતો નથી. આ આનંદઘનરૂપ નિશ્ચય કળા છે. જેને કોઈ વિરલા જીવો જ પામી શકે છે. |૩|| આત્મા વિષે કાંઇક સાંભળી લેવું, કાંઇક વાંચી લેવું, કાંઇક બોલી લેવું કે કાંઈક લખી લેવું, એ અલગ વસ્તુ છે. અને આત્મગુણોની શુદ્ધ અનુભૂતિ કરવી એ અલગ વસ્તુ છે. ‘હું' ની જ ‘હું' તરીકેની અનુભૂતિ, એનું નામ આત્માનુભૂતિ. આત્માના શુદ્ધ ગુણોનું સંવેદન એનું નામ આત્માનુભૂતિ. | માતમ મનમવ રસ મરી અંતઃકરણની ઘડિયાળમાં આત્મા-નુભૂતિનો રસ ભરેલો છે. અહીં ખૂબ મહત્ત્વનો છે ‘ભરી’ શબ્દ. જેનો અર્થ છે પૂર્ણ. જેટલા અંશે અપૂર્ણતા હોય તેટલા અંશે પરદ્રવ્યની પરિણતિ હોય. અને આ પરિણતિ આત્માનુભૂતિને ડહોળી નાખે છે. . . . દૂધપાકમાં એસિડ પડે તો શું થાય? માટે આત્માનુભૂતિ પૂર્ણ જ હોવી જોઇએ. સાંસારિક વ્યવહારોમાં કાળા-ધોળા કરનારા ધર્મક્ષેત્રમાં આવીને સુકૃત કરી જાય, ત્યારે એવી કબૂલાત કરતા હોય છે, કે અમે દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખીએ છીએ. વ્યવહારદષ્ટિએ તેમની વાત કદાચ સાચી હશે, નિશ્ચયદષ્ટિએ તો આ વસ્તુ શક્ય નથી. પ્રસ્તુતમાં તો વિચાર કરીએ તો પરપરિણતિનો અંશ પણ હાજર હોય, તો આત્માનુભૂતિ શક્ય નથી. દેવચંદ્રજી મહારાજના હૃદયોદ્દગારો યાદ આવે છે... પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો... તે જોડે એહ; પરમપુરુષથી સરાગતા, એકત્વતા હો... દાખી ગુણગેહ. | ઋષભ જિનેશ્વર પરમપુરુષ છે. તેમ શુદ્ધ આત્મદ્રવ્ય પણ પરમપુરુષ છે. જિનભક્તિના આલંબને પણ પરમાર્થથી તો શુદ્ધ આત્મ અનુભૂતિ તરફ જ જવાનું છે. આ અનુભૂતિનો એક માત્ર ઉપાય અહીં બતાવ્યો છે. અનંત પરદ્રવ્યો પરથી પ્રીતિ ઉઠાવી લેવી અને તેને પરમપુરષમાં જ પ્રતિષ્ઠિત કરી દેવી. આ અવસ્થામાં શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજી કોઈ વસ્તુ પર મમત્વ ન હોય. બીજી કોઇ વસ્તુ સાથે ભાવપ્રતિબંધ ન હોય. જે અવસ્થામાં પરપરિણતિનો અવકાશ જ ન હોય. ___यामे और न मावे કો’કે મીરાંને પૂછ્યું કે, “તારા દિયરે તને ઝેર આપ્યું હતું, ભલે તું બચી ગઈ. પણ તને એના પર કદી ગુસ્સો આવતો નથી?’’ મીરાંનો જવાબ અધ્યાત્મયાત્રીઓ માટે આલંબનભૂત છે. મીરાંએ કહ્યું, “પ્રભુપ્રીતિમાં હું એટલી નિમગ્ન છું, કે બીજો કોઇ વિચાર કરવાનો મને અવકાશ જ નથી.'' ___ यामे और न मावे આનું નામ પૂર્ણતા. આનું નામ ભરેલાપણું. ઘણું હોવું એ અલગ વાત છે અને બધું હોવું એ અલગ વાત છે. અંગ્રેજીમાં બે શબ્દ છે - (૧) Donation - દાન (૨) Devotion - સમર્પણ એકમાં આંશિક આપવાનું છે. છેવટે, અંશ જેટલું પણ પોતાની પાસે રાખી મુકવાનું છે, જ્યારે બીજામાં સંપૂર્ણ આપવાનું છે, પોતાના માટે કાંઇ જ રાખવાનું નથી. આ પદાર્થ પણ સ્થૂલદષ્ટિથી કહ્યો છે. આત્માનુભૂતિના વિષયમાં Foam & Peycona lly Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મદષ્ટિથી વિશ્લેષણ કરીએ તો બીજાને = પરને એક અંશ પણ ન આપવો અને પોતાને = આત્માને સર્વસ્વ આપી દેવું, એનું નામ છે આત્માનુભૂતિ. यामे और न मावे કોઇ મકાનમાલિકે પોતાના બંગલામાં ચાર રૂમો ભાડે આપી હોય. એમાં પહેલી રૂમનો ભાડૂઆત સમયસર પૂરું ભાડુ પણ આપતો હોય, ઘરકામમાં મદદ પણ કરતો હોય અને બંગલાનું ધ્યાન પણ રાખતો હોય. બીજો ફક્ત ભાડુ આપતો હોય, ત્રીજો ઘણી માંગણી પછી ય પૂરું ભાડુ ન ચૂકવતો હોય, ઉપરથી નડતો હોય. અને ચોથો બિસ્કુલ ભાડુ ન ચૂકવતો હોય, અને ઉપરથી બંગલામાં બધે ગંદકી કરતો હોય. કોલાહલ કરીને વાતાવરણ કલુષિત કરતો હોય, છાશવારે બંગલામાંથી ચોરીઓ કરતો હોય, એટલું જ નહીં લાગ મળે તો જ્યાં ને ત્યાં આગ પણ લગાડી દેતો હોય. આ ચાર ભાડૂઆતોમાંથી રાખવા જેવા કેટલા? ને કાઢવા જેવા કેટલા? ડાહ્યો મકાનમાલિક પહેલા ભાડૂઆત જેવા છે. તેમને સ્થાન આપીએ તેનું સર્વશ્રેષ્ઠ વળતર તેઓ આપે છે. આત્મપરિણતિની રક્ષા પણ કરે છે. અને આત્મોન્નતિમાં સિંહફાળો પણ આપે છે. બીજા ભાડૂઆતના સ્થાને છે આહાર આદિની અનિવાર્ય પ્રવૃત્તિઓ. તેમને સ્થાન આપીએ એટલે તેઓ અધ્યાત્મયાત્રાની સાનુકૂળતા ઊભી કરી આપે છે. શ્રમણજીવનનો વિચાર કરીએ, તો ભિક્ષાચર્યા આદિ પ્રવૃત્તિઓ પણ અધ્યાત્મયાત્રા જ છે. ગૃહસ્થજીવનમાં પણ પૂર્વે કહેલ આત્માભિરુચિ સાથેની સ્વરસરહિત પ્રવૃત્તિઓ અધ્યાત્મ-યાત્રા બની શકે છે. ત્રીજા ભાડૂઆતના સ્થાને છે આહારાદિની અનતિઆવશ્યક પ્રવૃત્તિઓ. જેનાથી અધ્યાત્મયાત્રાનો સમ્યક નિર્વાહ તો ન થાય, ઉપરથી તે પ્રવૃત્તિઓ અધ્યાત્મયાત્રામાં નડતરરૂપ બને. ચોથા ભાડૂઆતના સ્થાને છે તદ્દન નિરર્થક અને અનર્થકારક પરપ્રવૃત્તિઓ. જેને સ્થાન આપવાથી કોઈ લાભ તો નથી થતો, ઉપરથી તેઓ આત્મભૂમિને ખેદાન-મેદાન કરી જાય છે. એમાં ઠેર ઠેર ગંદવાડ કરે છે. કષાયોની આગ લગાડે છે, વિષયાસક્તિનો કોલાહલ કરે છે. બસ, આ જ એણે આપેલું વળતર. હવે એક ડાહ્યા મકાનમાલિકની જેમ આત્માએ વિચારવાનું છે, કે આમાંથી કોને સ્થાન આપવું? શું કરે? આપણો આત્મા એ બંગલો છે. જ્યાં સુધી મોક્ષ ન થાય, ત્યાં સુધી એમાં કોઇ ને કોઈ તો રહેવાના. એમાં કોને રાખવા? એ આપણે નક્કી કરવાનું છે. તેમાં દેવ-ગુરુ-ધર્મ Page #27 -------------------------------------------------------------------------- ________________ શંકા :- આત્માનુભૂતિની પૂર્ણતા ત્યારે જ શક્ય બને જ્યારે એક અંશ પણ બીજાને ન આપીએ. સર્વસ્વ પોતાને જ ફાળવીએ. તો પછી બીજા કોઈને પણ સ્થાન આપવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? સમાધાન :- આત્માનુભૂતિની પૂર્ણતાનો અર્થ છે શુદ્ધોપયોગ. આત્માનું લક્ષ્ય તો એ જ છે. પણ શુદ્ધોપયોગની પ્રાપ્તિ ત્યારે જ થાય, કે જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થાય. આ અવસ્થાની પ્રાપ્તિ માટે પહેલા શુભોપયોગ જોઇએ. શુભોપયોગની સિદ્ધિ માટે આત્મભૂમિમાં દેવ-ગુરુ-ધર્મને સ્થાન આપવું અનિવાર્ય છે. होय पुग्गलमओ आहाराइहिं विरहिओ न भवे। શરીર પુદ્ગલમય છે. એ આહાર આદિ વિના ટકી શકતો નથી. શરીર એક સાધન છે. સાધ્યસિદ્ધિ માટે તેની આવશ્યકતા છે. માટે તથાવિધ અનિવાર્ય પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવું પડે છે. હા, જ્યાં શુદ્ધોપયોગ છે, ત્યાં પૂર્ણ આત્માનુભૂતિ છે. એ સિવાય પણ ઉપરોક્ત ઔચિત્યથી આત્માનુભૂતિ સંભવિત છે, કારણ કે શુભોપયોગમાં જે ‘પર’નો પ્રવેશ થાય છે, એ સ્વપરિણતિનો વિનાશક નથી પણ સ્વપરિણતિનો ઉપષ્ટભક છે. માટે... ઔચિત્ય એ સર્વ સાધનાઓની આધારશિલા છે. સ્વ-ભૂમિકાને અનુરૂપ આત્મસાધના કરે, એ સ્વ-ભૂમિકાનો પણ નિર્વાહ કરી શકે અને ઉચ્ચતર-ભૂમિકાને પણ પામી શકે. પણ આવા ઔચિત્ય વિના સીધા શુદ્ધોપયોગની જ કક્ષામાં બેસવાની વાત કરવી, એ ઉભયભ્રષ્ટ થવા જેવું છે. એમાં ન તો સ્વભૂમિકાનો નિર્વાહ થાય છે, કે ન તો ઉચ્ચતર ભૂમિકાની પ્રાપ્તિની શક્યતા પણ ઊભી થાય છે. જાણે કે અજાણે... એમાં થાય છે આત્મવંચના. यामे और न मावे શુભોપયોગની ભૂમિકાએ ‘ઔર’નો અર્થ નિરર્થક અને અનર્થક પરપ્રવૃત્તિ કરી શકાય. પણ એટલું ધ્યાનમાં રાખવું, કે આ મુખ્ય આત્માનુભૂતિ નથી, ગૌણ છે. મુખ્ય આત્માનુભૂતિ તો તેરમે-ચૌદમે ગુણસ્થાનકે અને સિદ્ધાવસ્થામાં સંભવે છે. Self observation for Self recognition મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ધર્મપરીક્ષામાં આત્માનુભૂતિની પરાકાષ્ઠાનું વર્ણન કર્યું છે - जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे णेव वियप्पा तया हुंति ।। ९७ ।। का अरती आणंदे के वत्ति वियप्पणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियप्पा पुग्गलसंजोगजा कत्तो ? ।। ९८ ।। જેમ પવન ન હોય, ત્યારે સમુદ્ર ક્ષોભાયમાન નથી હોતો, તેથી ત્યારે પાણીના મોજાઓ ઉદ્ભવતા નથી. તે રીતે શુદ્ધ આત્માનુભૂતિની અવસ્થામાં વિકલ્પોનું પણ ઉત્થાન થતું નથી. અરિત શું છે? કે રતિ શું છે? આ વિકલ્પો પણ જ્યાં નથી, ત્યાં પુદ્ગલસંયોગજન્ય અન્ય વિકલ્પો તો ક્યાંથી હોઈ શકે? Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિનો રસ એ સુવર્ણસિદ્ધિના રસ કરતાં પણ અનેકગણો મૂલ્યવાન છે. સુવર્ણસિદ્ધિનો રસ લોઢાના ભંગારને સુવર્ણના પૂંજમાં ફેરવી શકે છે. આત્માનુભૂતિનો રસ આત્માને પરમાત્મા બનાવી શકે છે. લોઢાના ભંગાર કરતા પણ અશુભ છે અનાદિકાલીન દોષોથી મલિન આત્મા. તો સુવર્ણના પૂંજ કરતાં ય અનેકગણા પ્રભાવશાળી છે પરમાત્મા. આ છે પરમાત્મતત્ત્વ. એનું સ્વરૂપ શું છે? તથા એ સુલભ છે કે દુર્લભ એ વાત હવે અંતિમ પંક્તિ જણાવી રહી છે... માનંદ્રઘન વિવલ @eભા, Let's enjoy an overbody exeperience ____ विरला कोई पावे. પરમાત્મા એ આનંદઘન છે. નક્કર આનંદથી પૂર્ણ છે. એ આનંદને દુનિયાના કોઇ સુખ સાથે સરખાવી શકાય તેમ નથી. પંચસૂત્રમાં કહ્યું છે - यामे और न मावे __णिरुवमसुहसंगया જ્યાં પરપરિણતિનો પડછાયો પણ નથી, એનું નામ | સિદ્ધ ભગવંતોનું સુખ નિરુપમ હોય છે. જેની કોઈ શુદ્ધ સ્વાનુભૂતિ. સબોધચંદ્રોદય નામના ગ્રંથમાં કહ્યું છે - ઉપમા ન આપી શકાય, તેનું નામ નિરુપમ. કોઇ આદિવાસીને ___ सर्वभावविलये प्रयाति यत् જંગલમાંથી મુંબઈ જવાનું થાય. ત્યાં એ ડોલર એરિયામાં ફરી | શુદ્ધ આત્માનુભૂતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે સર્વ આવે. પાછા આવ્યા બાદ તેના સ્વજનો તેને પ્રશ્ન કરે કે મુંબઇ પરભાવોનો વિલય થઈ જાય, આત્માસાધકને નથી તો કોઇ કેવું? તેના રહેઠાણો વગેરે કેવા? તો એ શું કહી શકે? જંગલમાં ઉત્પાદન કરવાનું કે નથી તો કોઈ આયાત કરવાની. એણે તો એવી કોઈ વસ્તુ જ નથી કે જેને મુંબઈના મકાનો વગેરે સાથે જેટલું ‘પર’ પ્રવેશી ગયું છે, એને વિદાય આપવાની છે. બાહ્ય સરખાવી શકાય. એ જ રીતે સિદ્ધના સુખને અહીંના કોઇ ભાવોનો વિલય કરવાનો છે. આટલું થાય એટલે આ દશા સુખ સાથે સરખાવી શકાય તેમ નથી. અરે, અહીંના ઉત્કૃષ્ટ આવ્યા વિના રહે નહીં... સુખને બમણુ કરો... ચાર-આઠ-દશ ગણું કરો, તો ય એ સિદ્ધ = શુદ્ધ આત્માના સુખને આંબી શકે તેમ નથી. એને સો आतम अनुभव रस भरी ગણું... હજાર ગણું... લાખ ગણું... કરોડ ગણું કરો તો ય શુદ્ધ यामे और न मावे આત્માના સુખની તોલે ન આવી શકે, આનું નામ આનંદઘન. Page #29 -------------------------------------------------------------------------- ________________ આ તો બાળજીવોને સમજાવવાની વાત થઇ. બાકી બન્યા છે. અધ્યાત્મસારમાં કહ્યું છે... આગમસૂત્ર તો ત્યાં સુધી કહે છે... पराधीनं शर्म क्षयि विषयकाक्षौघमलिनं. सुरगणसुहं समग्गं सव्वद्धापिंडियं जइ हविज्जा। भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते। न य पावइ मुत्तिसुहंऽणंताहिं वग्गवग्गूहिं।।। बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते, સર્વ દેવોના દિવ્ય સુખને ભેગું કરવામાં આવે. એ સુખ निलीनास्तिष्ठन्ति प्रगलितभयाऽऽध्यात्मिकसूखे।। માત્ર વર્તમાનનું જ નહીં પણ અતીત સર્વ સમયોનું પણ ભેગું સાંસારિક સુખ પરાધીન છે, નશ્વર છે, વિષયતૃષ્ણાઓથી કરવાનું, ભવિષ્યના સર્વ સમયોનું ભેગું કરવાનું. અર્થાત્ સર્વ મલિન છે, માટે દુઃખમિશ્રિત છે. વળી એ સુખ મળે, ત્યારે ય દેવોના વર્તમાન સુખને ભૂતકાળના અનંત અનંત અનંત સમયો મન ભયભીત હોય છે, તો ય દુર્બુદ્ધિને એ સુખમાં રસ પડે છે. + ભવિષ્યકાળના અનંત અનંત અનંત સમયો સાથે ગુણવાનું. સન્મતિસંપન્ન જીવોને તો આધ્યાત્મિક સુખ જ ગમે છે, કારણ એનો જે ગુણાકાર થાય. એ અધધધ સુખ પણ સિદ્ધિના સુખની કે આ સુખ સ્વાધીન છે, અક્ષય છે, ઇન્દ્રિયોની ઉત્સુકતાથી= શુદ્ધ આત્માના સુખની સામે સાવ જ વામણું છે. વિષયતૃષ્ણાથી રહિત છે. અને આ સુખ જવાનો કદી પણ કોઈ હવે શું કરવું? ચાલો, એ સુખનો વર્ગ (સ્કવેર) કરીએ, ભય નથી કારણ કે આ સુખ નિશ્ચલ છે. આવા અધધધ વર્ગ થાય, તો ય એ શુદ્ધ આત્માના સુખ જેટલું ન માનંદ્રઘન વિવન છેલ્લી થઇ શકે. ફરી એનો પણ વર્ગ કરો... એનો ય વર્ગ... આ રીતે ડહાપણ શેમાં? નિત્ય ખાતર અનિત્યની ઉપેક્ષા હજાર વાર... કરોડ વાર... અસંખ્ય વાર... અનંત વાર વર્ગ કરવામાં. શાણપણ શેમાં? નિશ્ચળ ખાતર ચંચળને ગૌણ કરો, તો ય એ સિદ્ધના સુખને ન આંબી શકે. આવું કલ્પનાતીત કરવામાં. બુદ્ધિમત્તાશમાં ? ધ્રુવની પ્રાપ્તિ માટે અધુવના ત્યાગમાં. છે સિદ્ધનું સુખ. આવો નિરુપમ છે શુદ્ધ આત્માનો આનંદ. જે આનાથી વિપરીત કરે, એના માટે શાસ્ત્રકારો કહે છે... આનું નામ આનંદઘન. પાંચ અક્ષરનો આ શબ્દ આવા અગાધ અભિધેયનો અભિવ્યંજક છે. यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिवते। ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च।। આ આનંદઘન અવિચલ કલા છે. નિશ્ચલ કળા છે. આ કળામાં કદી પણ પરિવર્તન થતું નથી. સાંસારિક સુખ છે જે ધ્રુવને (નિત્યને) છોડીને ચંચળ છે. કઈ ક્ષણે આ સુખ દુઃખમાં પલટાઇ જશે, એ કહેવું અધુવની ઉપાસના કરે છે. એનું નિત્ય મુશ્કેલ છે. આગલી ક્ષણના ચક્રવર્તીઓ પછીની ક્ષણે સાતમી પણ નાશ પામે છે. અર્થાત્ નિત્યને પ્રાપ્ત નરકમાં પહોંચી ગયાં છે. દિવ્ય સુખની છોળો વચ્ચે મહાલતા કરવાનું એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. અને દેવો પછીની જ ક્ષણે ઉકરડામાં આળોટતા પશુના પેટે ઉત્પન્ન અનિત્ય તો આમે ય નાશ પામેલું જ છે. થયા છે. રાજા ને મહારાજાઓ મરીને સીધા અશુચિના કીડા મોક્ષ તો કદાચ આજે નહીં થાય. Jan Ed on internal te & Persone n helby Page #30 -------------------------------------------------------------------------- ________________ પણ લક્ષ્ય તરીકે મોક્ષને નિશ્ચિત કરી દેવાનું કામ તો આજે પણ શક્ય છે. પ્રવૃત્તિ ચાહે કોઇ પણ કરવી પડે, પણ મન તો હંમેશા મોક્ષમાં જ રમતું હોય. आनंदघन अविचल कला આ કળા ક્યારે આપણને વરમાળા પહેરાવે એ કદાચ આપણા હાથની વાત ન હોય, પણ આ જ ક્ષણે આપણે આ કળાને વરી જઈએ, એ તો આપણા હાથની જ વાત છે ને? આ અવિચળ કળાને પામનારા વિરલા હોય છે, એવી જે વાત આનંદઘનજી મહારાજે કરી છે, તે તદ્દન યથાર્થ છે, કારણ કે આ કળાને વરનારા પણ વિરલા જ હોય છે. જ્ઞાનસારમાં સ્પષ્ટ કહ્યું છે – स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।। જેમ રત્નના વેપારીઓ થોડા જ હોય, તેમ આત્મસાધકો પણ થોડા જ હોય છે. સી.એ.નું રિઝલ્ટ સેંકડે એકાદ-બે ને પાસ કરતું હોય, તો એના અભ્યાસ માટે કેવો પુરુષાર્થ કરવો પડે છે? Juin Education intemat આનંદઘન અવિચળ કળાને વિરલા જીવો જ પામે છે. વિરલા એટલે rare, એનું રિઝલ્ટ કરોડે એક પણ નથી. અરે, અસંખ્ય એક પણ નથી. તો એમાં પાસ થવા માટે કેવો પુરુષાર્થ કરવો પડે? બધેથી ધ્યાન ઉઠાવીને આ ‘અવિચળ કળા'માં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે... શુદ્ધ આત્મતત્ત્વના આવિર્ભાવ માટે આંતરિક અભિલાષાનો ઉદય થાય... એના જ પ્રભાવે આત્મમાલિન્ચ કરનાર સર્વ વિભાવો પ્રત્યે તીવ્ર અરુચિ ઉત્પન્ન થાય... તેથી વૈરાગ્ય અને અધ્યાત્મની ઉત્તરોત્તર વિશુદ્ધ ભૂમિકા પર આરોહણ થાય... સાથે સાથે જ સમ્યક્ આચારો સહજપણે આત્મસાત્ થાય, ત્યારે એ વિરલાઓમાં આપણું સ્થાન આવી શકે. લક્ષ્ય નિશ્ચિત છે, માર્ગ નિશ્ચિત છે... હવે બસ, પગ ઉપાડો... અવિચળ કળા ક્યારની ય આપણી પ્રતીક્ષા કરી રહી છે. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. ।। મર્દા Get in... Go on... wish you all the best. Page #31 -------------------------------------------------------------------------- ________________ CATCH IT, WHICH LASTS Jucation જે ધ્રુવને (નિત્યને) છોડીને અધ્રુવની ઉપાસના કરે છે, એનું નિત્ય પણ નાશ પામે છે. અર્થાત્ નિત્યને પ્રાપ્ત કરવાનું એનું પ્રયોજન સિદ્ધ થતું નથી અને અનિત્ય તો આમે ય નાશ પામેલું જ છે. FOREVER. For Prive & Personal Use o Page #32 -------------------------------------------------------------------------- ________________ A misunderstanding is-Time is passing An understanding is I am passing આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ માટે, આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ કરવા માટે, સુખ-શાંતિ-સમાધિની પરિણતિ માટે એક પરિશીલનીય પ્રબંધ બની MULTY GRAPHICS 27 L7ii For Private & Fersonal use only nella