SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નાના દિકરાએ પણ ખૂબ વિચાર કર્યો. એ બજારમાં જઈને સો રૂપિયાના દીવા અને ધૂપસળીઓ લઈ આવ્યો. બંગલામાં આવીને દીવા અને ધૂપસળીઓ પ્રગટાવી. પ્રકાશ અને સુવાસનું એક સામ્રાજ્ય આખા બંગલામાં વ્યાપી ગયું. - બંને પુત્રોએ પિતાને સમાચાર આપ્યા કે, “આપના આદેશનું પાલન થઇ ગયું છે.’ પિતા મોટા પુત્રને આપેલા બંગલે ગયા. હજી તો કંપાઉંડમાં પગ મુકે છે, ત્યાં દુર્ગધથી માથુ ફાટી ગયું. છી... છી... છી... આ શું? પુત્રે પરિસ્થિતિ જણાવી. પિતાએ દરવાજેથી જ વિદાય લીધી. પહોંચ્યા નાના પુત્રને આપેલા બંગલે. હજી તો રસ્તા પરથી કંપાઉંડમાં પ્રવેશ પણ કર્યો ન હતો, ત્યાં તો સમસ્ત વાતાવરણ મહેંક મહેંક થઈ રહ્યું છે, એવી પ્રતીતિ થઈ. આગળ જતાં જતાં તો મન પ્રફુલ્લિત થઈ ગયું. બંગલામાં પ્રવેશ કર્યો અને દીવાઓના તેજથી પ્રભાવિત થઈ ગયા. ધૂપસળીઓની સુરભિથી મન તરબતર થઈ ગયું. પરીક્ષાનું પરિણામ કહેવાની કોઈ જરૂર નથી. આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે આપણને મળેલી પ્રત્યેક ક્ષણ બંગલા જેવી છે. કોઈ ક્ષણ ખાલી રહેતી નથી. યા તો એ કચરાથી ભરાય છે, અને યા તો એ પ્રકાશ અને સુવાસથી ભરાય છે. એને દુષ્પવૃત્તિના કચરાથી ભરવી એ પણ આપણા હાથની વાત છે, અને એને સત્યવૃત્તિના પ્રકાશ અને સુવાસથી ભરવી એ પણ આપણા હાથની વાત છે. સમ્યકૅજ્ઞાન એ પ્રકાશ છે, અને સમ્યક્રચારિત્ર એ સુવાસ છે. જેનાથી આ બેની પ્રાપ્તિ થાય છે, એ છે સમ્યગ્દર્શન. ક્ષણની સાર્થકતા છે રત્નત્રયીની આરાધનામાં. “કાળની સફળતા છે આત્માની સાધનામાં. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – जाजा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। अहम्मं कुणमाणस्स, अहला जंति राईओ।। जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। धम्मं च कुणमाणस्स, सहला जंति राईओ।। જે જે રાતો જાય છે, તે તે રાત્રિઓ પાછી આવતી નથી. માટે જે અધર્મ કરે છે, તેની રાત્રિઓ નિષ્ફળ જાય છે. જે ધર્મ કરે છે, તેની રાત્રિઓ સફળ થાય છે. યાદ કરીએ પ્રભુ વીરનું આ વચન - समयं गोयम ! मा पमायए ગૌતમ ! તું સમયમાત્રનો પણ પ્રમાદ ના કરીશ. ક્ષણ એ સમયનું સૌથી નાનું પ્રમાણ છે, એ એક ગેરસમજ છે. આધુનિક વિજ્ઞાને એવી ઘડિયાળો પણ શોધી છે કે જેમાં સેકંડનો હજારમો ભાગ પણ મારી બતાવવામાં આવે છે. વિશિષ્ટ સ્પર્ધાકાર્યક્રમોમાં આવી ઘડિયાળનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પણ વિજ્ઞાન એ અધૂરું છે. એ ગમે તેટલો પ્રયાસ કરે, તો ય. એ કેવળજ્ઞાનની તોલે આવી શકવાનું નથી. દેડકો ગમે તેટલું કૂદે, ગમે તેટલા ઉંચા કૂદકા લગાવે, તો ય એ કદી સૂરજને આંબી શકે ખરો? ! સેકંડનો હજારમો ભાગ તો દુનિયાએ ય જોઈ લીધો છે. આગળની વાત કરું તો માનો કે ૧ લાખ કાગળોનો થપ્પો રાખવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી બંદૂકથી એના પર
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy