SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ IV મહત્તા છે સમયની. એક વાર સમય પસાર થઈ ગયો, પછી એ કદી પણ પાછો ફરતો નથી. આજે ચૈત્ર સુદ ૨ છે. આજનો દિવસ ફરી ક્યારે આવશે? સ્થૂલદષ્ટિથી એમ - કહેવાય, કે એક વર્ષે આવશે. પણ સૂક્ષ્મદષ્ટિથી જોઇએ તો આ દિવસ હવે અનંત કાળ પછી પણ પાછો આવવાનો નથી. જે ચૈત્ર સુદ ૨ ગઈ, એ અન્ય હતી અને હવે જેટલી આવશે તે અન્ય હશે. સંયમજીવનની મર્યાદા મુજબ અમારા વિહારો ચાલતા રહે છે. તેમાં એવું બને કે અમુક ગામ કે તીર્થમાં અમારે પાંચ-સાત-દશ વર્ષે ફરીથી જવાનું થાય. તેના રસ્તામાં આવતા અનેક ગામોમાં પણ એટલા સમય પછી ફરીથી જવાનું થાય. ત્યારે એ ઉપાશ્રય-દહેરાસરમાં પહેલા આવ્યા હતા, અહીં બેઠા હતા, આ સૂત્રનો સ્વાધ્યાય કર્યો હતો, એવી બાબતો યાદ આવે. અને એની સાથે એક વાસ્તવિકતાની પ્રતીતિ થાય, કે ક્ષેત્રની પુનઃસ્પર્શના શક્ય છે, પણ કાળની પુનઃસ્પર્શના શક્ય નથી. ક્ષેત્ર એટલે ગામ, તીર્થ વગેરે. એના એ શંખેશ્વરમાં દશ-પંદર વર્ષ પછી ફરી આવીએ એ શક્ય છે. પણ દશ વર્ષ પહેલા જે કાળની સ્પર્શના કરી, જે ક્ષણમાંથી પસાર થયા, એ ક્ષણની સ્પર્શના તો હવે ક્યારે પણ શક્ય નથી. એક વિદેશી કહેવત છે - એકની એક નદીમાં તમે કદી બીજી વાર પગ મુકી શકતા નથી. નદીના જે પાણીમાં પહેલી વાર પગ મુક્યો હતો, એ પાણી તો ક્યાંય દૂર જતું રહ્યું. હવે એમાં બીજી વાર પગ મુકવો એ અશક્ય છે. નદીના વહેણ જેવો છે સમયનો પ્રવાહ. એ સતત અવિરતપણે વહ્યા કરે છે. જરૂર છે વર્તમાનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરવાની, જીવનની પ્રત્યેક પળને રત્નત્રયીની આરાધના દ્વારા સફળ કરવાની. કરશું ધરમ નિરાંતે કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે... Time is Money. જેઓ સંપત્તિને જ સર્વસ્વ સમજે છે, તેઓને એ સમજાવવું છે કે સર્વસ્વ છે સમય. માટે સમય એ જ સંપત્તિ છે. એવું કહેવાય છે, બાકી સમયની તુલનામાં સંપત્તિ આવી શકે તેમ નથી. સમય મહામૂલ્યવાન છે, અને સંપત્તિ તુચ્છ છે. આપણી મહામૂલી મૂડી છે આપણી પ્રત્યેક ક્ષણ. હવે એને કઇ રીતે વાપરવી? કમાણી કરવી કે નુકશાન કરવું? એ આપણા હાથની વાત છે. એક પિતાને પોતાના બે પુત્રોની પરીક્ષા કરવાનું મન થયું. પોતાના બે ખાલી બંગલા હતા. બંને પુત્રને સો-સો રૂપિયા આપ્યા, અને તે એક-એક બંગલો તેટલા રૂપિયાની વસ્તુથી પૂરેપૂરો ભરી દેવો, એવો આદેશ કર્યો. ખૂબ વિચાર કર્યા પછી મોટા પુત્રે કચરાવાળાનો સંપર્ક કર્યો, કચરાનો તો નિકાલ જ કરવાનો હતો, તેનું કોઇ મૂલ્ય ન હતું, પણ ખટારાઓમાં ભરીને કચરો લાવવામાં આવ્યો, તેમાં જ સો રૂપિયા વપરાઈ ગયા. આખો બંગલો ઠસોઠસ કચરાથી ભરાઈ ગયો.
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy