SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મદષ્ટિથી વિશ્લેષણ કરીએ તો બીજાને = પરને એક અંશ પણ ન આપવો અને પોતાને = આત્માને સર્વસ્વ આપી દેવું, એનું નામ છે આત્માનુભૂતિ. यामे और न मावे કોઇ મકાનમાલિકે પોતાના બંગલામાં ચાર રૂમો ભાડે આપી હોય. એમાં પહેલી રૂમનો ભાડૂઆત સમયસર પૂરું ભાડુ પણ આપતો હોય, ઘરકામમાં મદદ પણ કરતો હોય અને બંગલાનું ધ્યાન પણ રાખતો હોય. બીજો ફક્ત ભાડુ આપતો હોય, ત્રીજો ઘણી માંગણી પછી ય પૂરું ભાડુ ન ચૂકવતો હોય, ઉપરથી નડતો હોય. અને ચોથો બિસ્કુલ ભાડુ ન ચૂકવતો હોય, અને ઉપરથી બંગલામાં બધે ગંદકી કરતો હોય. કોલાહલ કરીને વાતાવરણ કલુષિત કરતો હોય, છાશવારે બંગલામાંથી ચોરીઓ કરતો હોય, એટલું જ નહીં લાગ મળે તો જ્યાં ને ત્યાં આગ પણ લગાડી દેતો હોય. આ ચાર ભાડૂઆતોમાંથી રાખવા જેવા કેટલા? ને કાઢવા જેવા કેટલા? ડાહ્યો મકાનમાલિક પહેલા ભાડૂઆત જેવા છે. તેમને સ્થાન આપીએ તેનું સર્વશ્રેષ્ઠ વળતર તેઓ આપે છે. આત્મપરિણતિની રક્ષા પણ કરે છે. અને આત્મોન્નતિમાં સિંહફાળો પણ આપે છે. બીજા ભાડૂઆતના સ્થાને છે આહાર આદિની અનિવાર્ય પ્રવૃત્તિઓ. તેમને સ્થાન આપીએ એટલે તેઓ અધ્યાત્મયાત્રાની સાનુકૂળતા ઊભી કરી આપે છે. શ્રમણજીવનનો વિચાર કરીએ, તો ભિક્ષાચર્યા આદિ પ્રવૃત્તિઓ પણ અધ્યાત્મયાત્રા જ છે. ગૃહસ્થજીવનમાં પણ પૂર્વે કહેલ આત્માભિરુચિ સાથેની સ્વરસરહિત પ્રવૃત્તિઓ અધ્યાત્મ-યાત્રા બની શકે છે. ત્રીજા ભાડૂઆતના સ્થાને છે આહારાદિની અનતિઆવશ્યક પ્રવૃત્તિઓ. જેનાથી અધ્યાત્મયાત્રાનો સમ્યક નિર્વાહ તો ન થાય, ઉપરથી તે પ્રવૃત્તિઓ અધ્યાત્મયાત્રામાં નડતરરૂપ બને. ચોથા ભાડૂઆતના સ્થાને છે તદ્દન નિરર્થક અને અનર્થકારક પરપ્રવૃત્તિઓ. જેને સ્થાન આપવાથી કોઈ લાભ તો નથી થતો, ઉપરથી તેઓ આત્મભૂમિને ખેદાન-મેદાન કરી જાય છે. એમાં ઠેર ઠેર ગંદવાડ કરે છે. કષાયોની આગ લગાડે છે, વિષયાસક્તિનો કોલાહલ કરે છે. બસ, આ જ એણે આપેલું વળતર. હવે એક ડાહ્યા મકાનમાલિકની જેમ આત્માએ વિચારવાનું છે, કે આમાંથી કોને સ્થાન આપવું? શું કરે? આપણો આત્મા એ બંગલો છે. જ્યાં સુધી મોક્ષ ન થાય, ત્યાં સુધી એમાં કોઇ ને કોઈ તો રહેવાના. એમાં કોને રાખવા? એ આપણે નક્કી કરવાનું છે. તેમાં દેવ-ગુરુ-ધર્મ
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy