SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મઅનુભવ રસથી આ ઘડી ભરેલી છે. જેમાં બીજી કોઈ વસ્તુનો સમાવેશ થતો નથી. આ આનંદઘનરૂપ નિશ્ચય કળા છે. જેને કોઈ વિરલા જીવો જ પામી શકે છે. |૩|| આત્મા વિષે કાંઇક સાંભળી લેવું, કાંઇક વાંચી લેવું, કાંઇક બોલી લેવું કે કાંઈક લખી લેવું, એ અલગ વસ્તુ છે. અને આત્મગુણોની શુદ્ધ અનુભૂતિ કરવી એ અલગ વસ્તુ છે. ‘હું' ની જ ‘હું' તરીકેની અનુભૂતિ, એનું નામ આત્માનુભૂતિ. આત્માના શુદ્ધ ગુણોનું સંવેદન એનું નામ આત્માનુભૂતિ. | માતમ મનમવ રસ મરી અંતઃકરણની ઘડિયાળમાં આત્મા-નુભૂતિનો રસ ભરેલો છે. અહીં ખૂબ મહત્ત્વનો છે ‘ભરી’ શબ્દ. જેનો અર્થ છે પૂર્ણ. જેટલા અંશે અપૂર્ણતા હોય તેટલા અંશે પરદ્રવ્યની પરિણતિ હોય. અને આ પરિણતિ આત્માનુભૂતિને ડહોળી નાખે છે. . . . દૂધપાકમાં એસિડ પડે તો શું થાય? માટે આત્માનુભૂતિ પૂર્ણ જ હોવી જોઇએ. સાંસારિક વ્યવહારોમાં કાળા-ધોળા કરનારા ધર્મક્ષેત્રમાં આવીને સુકૃત કરી જાય, ત્યારે એવી કબૂલાત કરતા હોય છે, કે અમે દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખીએ છીએ. વ્યવહારદષ્ટિએ તેમની વાત કદાચ સાચી હશે, નિશ્ચયદષ્ટિએ તો આ વસ્તુ શક્ય નથી. પ્રસ્તુતમાં તો વિચાર કરીએ તો પરપરિણતિનો અંશ પણ હાજર હોય, તો આત્માનુભૂતિ શક્ય નથી. દેવચંદ્રજી મહારાજના હૃદયોદ્દગારો યાદ આવે છે... પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો... તે જોડે એહ; પરમપુરુષથી સરાગતા, એકત્વતા હો... દાખી ગુણગેહ. | ઋષભ જિનેશ્વર પરમપુરુષ છે. તેમ શુદ્ધ આત્મદ્રવ્ય પણ પરમપુરુષ છે. જિનભક્તિના આલંબને પણ પરમાર્થથી તો શુદ્ધ આત્મ અનુભૂતિ તરફ જ જવાનું છે. આ અનુભૂતિનો એક માત્ર ઉપાય અહીં બતાવ્યો છે. અનંત પરદ્રવ્યો પરથી પ્રીતિ ઉઠાવી લેવી અને તેને પરમપુરષમાં જ પ્રતિષ્ઠિત કરી દેવી. આ અવસ્થામાં શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજી કોઈ વસ્તુ પર મમત્વ ન હોય. બીજી કોઇ વસ્તુ સાથે ભાવપ્રતિબંધ ન હોય. જે અવસ્થામાં પરપરિણતિનો અવકાશ જ ન હોય. ___यामे और न मावे કો’કે મીરાંને પૂછ્યું કે, “તારા દિયરે તને ઝેર આપ્યું હતું, ભલે તું બચી ગઈ. પણ તને એના પર કદી ગુસ્સો આવતો નથી?’’ મીરાંનો જવાબ અધ્યાત્મયાત્રીઓ માટે આલંબનભૂત છે. મીરાંએ કહ્યું, “પ્રભુપ્રીતિમાં હું એટલી નિમગ્ન છું, કે બીજો કોઇ વિચાર કરવાનો મને અવકાશ જ નથી.'' ___ यामे और न मावे આનું નામ પૂર્ણતા. આનું નામ ભરેલાપણું. ઘણું હોવું એ અલગ વાત છે અને બધું હોવું એ અલગ વાત છે. અંગ્રેજીમાં બે શબ્દ છે - (૧) Donation - દાન (૨) Devotion - સમર્પણ એકમાં આંશિક આપવાનું છે. છેવટે, અંશ જેટલું પણ પોતાની પાસે રાખી મુકવાનું છે, જ્યારે બીજામાં સંપૂર્ણ આપવાનું છે, પોતાના માટે કાંઇ જ રાખવાનું નથી. આ પદાર્થ પણ સ્થૂલદષ્ટિથી કહ્યો છે. આત્માનુભૂતિના વિષયમાં Foam & Peycona lly
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy