SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા :- આત્માનુભૂતિની પૂર્ણતા ત્યારે જ શક્ય બને જ્યારે એક અંશ પણ બીજાને ન આપીએ. સર્વસ્વ પોતાને જ ફાળવીએ. તો પછી બીજા કોઈને પણ સ્થાન આપવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? સમાધાન :- આત્માનુભૂતિની પૂર્ણતાનો અર્થ છે શુદ્ધોપયોગ. આત્માનું લક્ષ્ય તો એ જ છે. પણ શુદ્ધોપયોગની પ્રાપ્તિ ત્યારે જ થાય, કે જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થાય. આ અવસ્થાની પ્રાપ્તિ માટે પહેલા શુભોપયોગ જોઇએ. શુભોપયોગની સિદ્ધિ માટે આત્મભૂમિમાં દેવ-ગુરુ-ધર્મને સ્થાન આપવું અનિવાર્ય છે. होय पुग्गलमओ आहाराइहिं विरहिओ न भवे। શરીર પુદ્ગલમય છે. એ આહાર આદિ વિના ટકી શકતો નથી. શરીર એક સાધન છે. સાધ્યસિદ્ધિ માટે તેની આવશ્યકતા છે. માટે તથાવિધ અનિવાર્ય પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવું પડે છે. હા, જ્યાં શુદ્ધોપયોગ છે, ત્યાં પૂર્ણ આત્માનુભૂતિ છે. એ સિવાય પણ ઉપરોક્ત ઔચિત્યથી આત્માનુભૂતિ સંભવિત છે, કારણ કે શુભોપયોગમાં જે ‘પર’નો પ્રવેશ થાય છે, એ સ્વપરિણતિનો વિનાશક નથી પણ સ્વપરિણતિનો ઉપષ્ટભક છે. માટે... ઔચિત્ય એ સર્વ સાધનાઓની આધારશિલા છે. સ્વ-ભૂમિકાને અનુરૂપ આત્મસાધના કરે, એ સ્વ-ભૂમિકાનો પણ નિર્વાહ કરી શકે અને ઉચ્ચતર-ભૂમિકાને પણ પામી શકે. પણ આવા ઔચિત્ય વિના સીધા શુદ્ધોપયોગની જ કક્ષામાં બેસવાની વાત કરવી, એ ઉભયભ્રષ્ટ થવા જેવું છે. એમાં ન તો સ્વભૂમિકાનો નિર્વાહ થાય છે, કે ન તો ઉચ્ચતર ભૂમિકાની પ્રાપ્તિની શક્યતા પણ ઊભી થાય છે. જાણે કે અજાણે... એમાં થાય છે આત્મવંચના. यामे और न मावे શુભોપયોગની ભૂમિકાએ ‘ઔર’નો અર્થ નિરર્થક અને અનર્થક પરપ્રવૃત્તિ કરી શકાય. પણ એટલું ધ્યાનમાં રાખવું, કે આ મુખ્ય આત્માનુભૂતિ નથી, ગૌણ છે. મુખ્ય આત્માનુભૂતિ તો તેરમે-ચૌદમે ગુણસ્થાનકે અને સિદ્ધાવસ્થામાં સંભવે છે. Self observation for Self recognition મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ધર્મપરીક્ષામાં આત્માનુભૂતિની પરાકાષ્ઠાનું વર્ણન કર્યું છે - जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे णेव वियप्पा तया हुंति ।। ९७ ।। का अरती आणंदे के वत्ति वियप्पणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियप्पा पुग्गलसंजोगजा कत्तो ? ।। ९८ ।। જેમ પવન ન હોય, ત્યારે સમુદ્ર ક્ષોભાયમાન નથી હોતો, તેથી ત્યારે પાણીના મોજાઓ ઉદ્ભવતા નથી. તે રીતે શુદ્ધ આત્માનુભૂતિની અવસ્થામાં વિકલ્પોનું પણ ઉત્થાન થતું નથી. અરિત શું છે? કે રતિ શું છે? આ વિકલ્પો પણ જ્યાં નથી, ત્યાં પુદ્ગલસંયોગજન્ય અન્ય વિકલ્પો તો ક્યાંથી હોઈ શકે?
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy