SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરી શકે? વધુમાં વધુ એનું સામર્થ્ય કેટલું? માત્ર કાળ-કળા જણાવવાનું. कल्यत इति कला જેને કળી શકાય એનું નામ કળા. ઘડિયાળ કળા બતાવે છે, પણ જે અકળ છે, તેને ઘડિયાળ બતાવી શકતી નથી. न कल्यत इत्यकलम् જેને કળી ન શકાય, જાણી ન શકાય, તેનું નામ અકળ. અકળ છે શુદ્ધ આત્મસ્વરૂપ, અકળ છે આત્મિક ગુણસમૃદ્ધિ. અકળ છે આત્માના અનંત જ્ઞાન-સુખ આદિ પર્યાયો. પરમાત્મ પંચવિંશતિકામાં મહોપાધ્યાયજીએ કહ્યું છે यतो वाचो निवर्त्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્ધાનુમવસંવેદ્ય, તવં પરમાત્મનઃ।।૪।। જ્યાંથી વાણીઓ પાછી ફરે છે, જ્યાં મનની ગતિ નથી, માત્ર શુદ્ધ અનુભવથી જેનું સંવેદન કરી શકાય, તેવું પરમાત્માનું રૂપ છે. ચાહે કરોડો કરોડો પાના ભરીને સાહિત્ય કેમ ન લખવામાં આવે? આત્મસ્વરૂપને સંપૂર્ણ રીતે જણાવવામાં તે અસમર્થ છે. ચાહે હજારો જન્મો સુધી સતત આત્મસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે, આત્મસ્વરૂપની સંપૂર્ણ રજુઆત થવી શક્ય નથી. કારણ કે આત્મસ્વરૂપ એ વાણીનો વિષય નથી. કદાચ વર્ષો સુધી આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં આવે, તો પણ તેનું સંપૂર્ણ જ્ઞાન થવું શક્ય નથી. કારણ કે આત્મસ્વરૂપ એ મનને પણ અગમ્ય છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે सव्वे सरा नियट्टंति तक्का जत्थ न विज्जइ મરૂ તત્વ ન માહિયા।।૧-૬-૬।। આ એક એવું પરમ તત્ત્વ છે, કે જ્યાંથી સર્વ શબ્દો Jain Education International પાછા ફરે છે. જેનું વિશ્લેષણ કરવામાં તર્કો સમર્થ થતા નથી. અને મતિ જેનું અવગાહન કરી શકતી નથી. તો પછી આત્મસ્વરૂપનું જ્ઞાન શી રીતે થઇ શકે ? મહોપાધ્યાયજી પોતે જ એનો જવાબ આપે છે - શુદ્ધાનુમવસંવેદ્યમ્ - શુદ્ધ અનુભવથી આત્માનું સંવેદન શક્ય છે. अकल कला घट में घरी આ શુદ્ધ અનુભવ એ જ આંતરિક ઘડિયાળ. એ અકળ કળાને બતાવે છે. અકળ કળા એટલે શુદ્ધ આત્મા. અકળ કળા એટલે પરમાત્મા. પરમાત્મા ખરેખર બીજા કોઈ ઉપાયોથી જણાઇ શકે એમ નથી. સાત નયો અને તેના અસંખ્ય ભેદરૂપ નયવાદો પણ પરમાત્મસ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. પરમાત્મ પંચવિંશતિકામાં કહ્યું છે – धावन्तोऽपि नया नैके, तत्स्वरूपं स्पृशन्ति न। समुद्र इव कल्लोलाः, कृतप्रतिनिवृत्तयः।।८।। અનેક નયો દોટ મૂકે, તો પણ પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. જેમ સમુદ્રમાં મોજાઓ ઘણી દોડધામ કરે, તો પણ દોડી દોડીને તેઓ પાછા ફરે છે, તેમ નયવાદો પણ પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કર્યા વિના પાછા ફરે છે. નાનકડો પીવુ. રવિવારે ચોપાટી ફરી આવ્યો. રાતે પાડોશના છોકરાઓ સાથે રમવા ગયો. ચાર-પાંચ વર્ષના છોકરા. પીનુએ તેમને કહ્યું, “આજે તો મેં દરિયો
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy