SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ नाहं देहो न मे देहः - હું શરીરનથી, મારું શરીર નથી. Who am તો ) છે ? A સમાધાન :- ‘સાચી સમજ' કોને કહેવાય? એ પહેલા બરાબર સમજવું પડશે. આત્માના પ્રત્યેક પ્રદેશમાં ઓળઘોળ થયેલી પરિણતિ એનું નામ સાચી સમજ. અંતઃકરણમાં અસ્થિમજ્જા બનેલું આત્મજ્ઞાન એનું નામ સાચી સમજ. કોઈ માણસ આ શરીરનું માથું કાપી નાખતો હોય એમાં આપણને આપણું કાંઈ જ કપાતું ન લાગે એનું નામ સાચી સમજ. - આ જ સાચી સમજને આધારે ગજસુકમાલ મુનિએ અંગારાની વેદનાને પૂર્ણ સમતા અને પ્રસન્નતાથી સહી લીધી હતી. સઝાયકારે તેમની આ સમ્યક સમજને વાચા આપી છે – બળે નહીં મારું કંઇ, બળે બીજાનું એહ રે; પડોશીની આગ માંહિ, આપણું અલગુ ગેહ રે. પડોશીનું ઘર ભડકે બળે, તો ય એમાં આપણું કાંઈ બળતું નથી. કારણ કે તેનું ઘર અને આપણું ઘર જુદું છે. તે જ રીતે શરીર બળે, તેમાં મારું કાંઈ જ બળતું નથી. કારણ કે શરીર જુદું છે, અને હું જુદો છું. આ અન્યત્વ ભાવનાની પરિણતિનો આધાર છે આત્મજ્ઞાન. अकल कला घट मे घरी એક વાર આ અકળ કળાનું સંવેદન થાય, એટલે મમતાથી પૂર્ણપણે મુક્તિ મળી જાય. ઉત્તરાયયન સૂત્રમાં નમિરાજર્ષિની આ જ પરિણતિને શબ્દસ્થ કરી છે - मिहिलाए डज्झमाणीए ण मे डज्झइ किंचण મિથિલા નગરી બળે, એમાં મારું કાંઈ જ બળતું નથી. વર્ષો સુધી જે નગરીનું આધિપત્ય ભોગવ્યું. જે નગરીના યોગ-ક્ષેમ કર્યા. જે નગરીની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. જે નગરીની રક્ષા ખાતર કદાચ યુદ્ધો પણ કર્યા. જે નગરીના પ્રજાજનો દ્વારા પોતાનો જય જયકાર સાભળ્યો. જે નગરીના સ્વામિત્વના કારણે સમૃદ્ધિની છોળોમાં આળોટ્યો. એ જ નગરી ભડકે બળી રહી છે, એવું ઇન્દ્ર દેખાડે છે. આપણે કલ્પના કરી શકીએ? કે ત્યારે નમિરાજર્ષિની મનોદશા કેવી સમગ્ર સંસારના સર્વ દુઃખોનું મૂળ કાંઈ હોય, તો એ છે આત્માનું અજ્ઞાન. આ દુઃખને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે – આત્માનું જ્ઞાન. Jain Education International
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy