SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં પણ વ્યવહારિક અભ્યાસ લેતા હતાં, તે શાળાના મકાનને યાદ કરીએ, તેના બિલ્લા, પ્રતિક કે કાગળોને યાદ કરીએ. એમાં ક્યાંક ને ક્યાંક આ સૂત્ર લખ્યું હશે – - विद्या या विमुक्त જ્ઞાન તે છે, જે મોક્ષનું કારણ બને. આ સૂત્ર કોણે નહીં વાંચ્યું હોય? એ પ્રશ્ન છે, તો આ સૂત્રનું તાત્પર્ય કોણ સમજ્યું હશે, એ પ્રશ્ન છે. જો એનું તાત્પર્ય બરાબર સમજાઇ જાય, તો બીજી વાર એ શાળામાં પગ મુકતા પહેલા એ વ્યક્તિ સો વાર વિચાર કરે. બહુ મોટી સમસ્યા એ છે કે જેને Knowledge જ્ઞાન માન્યું છે, એ વાસ્તવમાં જ્ઞાન છે ખરું? એને જ્ઞાન કહી શકાય ખરું? ઉપરોક્ત સૂત્ર તો સ્પષ્ટ કહે છે, કે જેનાથી મોક્ષ મળે એ જ્ઞાન. જ્યારે આજના શિક્ષણો તો બંધનવૃદ્ધિના જ કારણ બને છે. એને જ્ઞાન શી રીતે કહી શકાય? એ તો તદ્દન મિથ્યાજ્ઞાન છે, અજ્ઞાન છે. આવા અજ્ઞાન પાછળ દુનિયા આખી દોડી રહી છે. એના ખાતર જીવનના સુવર્ણકાળને વેડફી રહી છે. માતાપિતાઓ પુત્રને ‘અજ્ઞાની’ અને ‘બંધનગ્રસ્ત’ બનાવવા ખાતર આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. આ કેવી વિચિત્રતા ! પુત્ર આત્મજ્ઞાની બને, બંધનમુક્ત થાય, શાશ્વત સુખ પામે, આવી ઈચ્છા અને પ્રયત્ન જેમનામાં હોય, તેમને સાચા માતા-પિતા કહી શકાય. કારણ કે સાચા માતા-પિતા પુત્ર સુખી જ થાય, દુઃખી ન થાય એવું જ ઇચ્છતા હોય છે. અને સુખનો આધાર આત્મજ્ઞાન છે. મહોપાધ્યાયજીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું છે – આતમ અજ્ઞાને કરી જે ભવદુઃખ લહીએ, આતમજ્ઞાને તે ટળે એમ માની સદ્દહીએ. સમગ્ર સંસારના સર્વ દુઃખોનું મૂળ કાંઇ હોય, તો એ છે આત્માનું અજ્ઞાન. આ દુઃખને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે આત્માનું જ્ઞાન. આત્મા એટલે આપણે પોતે. આત્મા એટલે સ્વસ્વરૂપ. જ્યાં સુધી સ્વસ્વરૂપનું દર્શન ન થાય, ત્યાં સુધી સ્વહિતની પ્રવૃત્તિ શક્ય નથી. સમગ્ર નાસ્તિકવાદ ‘સ્વ’ના અજ્ઞાન પર ઊભો છે અને સમસ્ત આસ્તિકવાદ ‘સ્વ’ના જ્ઞાન પર ઊભો છે. હું કોણ? હું જડ શરીર નથી. હું ચૈતન્યમય આત્મા છું. હું શરીરથી ભિન્ન છું. લાંબો, ટૂંકો, પતલો, જાડો, ગોરો, કાળો, રોગી, નીરોગી, બાળ, વૃદ્ધ આ બધા શરીરના પર્યાયો છે. આ પર્યાયો સાથે મારે કોઇ સંબંધ નથી. મારા પર્યાયો છે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર. અષ્ટાવક્રગીતામાં કહ્યું છે - नाहं देहो न मे देहः હું શરીર નથી, મારું શરીર નથી. જડ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. એક વાર અંતઃકરણથી આ સંવેદન થાય એટલે બેડો પાર થયો એમ સમજી લો. સમાધિતંત્રમાં કહ્યું છે – देहान्तरगतेर्बीजं देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्ते - रात्मन्येवाऽऽत्मभावना ।। જીવ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે, અનાદિકાળથી એક ગતિમાંથી બીજી ગતિમાં ભટકે છે, તેનું કારણ છે આ શરીર ‘હું’ છું, એવી ગેરસમજ. શરીર એ જ આત્મા છે એવા મિથ્યાજ્ઞાનને કારણે જ ભવભ્રમણનો અંત આવતો નથી. આત્મા જ ‘હું’ છું, આવું જ્ઞાન થાય, સમ્યક્
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy